SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ ચર્ચાને અંતે ઊંચો અહોભાવ જન્માવતું એક ભવ્ય વાક્ય છે : “આ આખું શાસ્ત્ર (=અર્થશાસ્ત્ર) ઈન્દ્રિયજયરૂપ છે. ૧૮' આનો સાચો અર્થ એ જણાય છે કે રાજનીતિશાસ્ત્ર તે રાજયના સાતે ય અંગો કે ઘટકોએ પોતપોતાની રીતે સાધેલા ઇન્દ્રિયજય દ્વારા જ ચરિતાર્થ થાય છે અને પોતાનો પરિપૂર્ણ અપૂર્વ મહિમા પામે છે. આનો અર્થ એ પણ ખરો કે સમગ્ર રાજયતંત્ર એના પ્રત્યેક ઘટકમાં સધાતા – પળાતા ને પળાવાતા – ઇન્દ્રિયજય દ્વારા જ દીર્ઘકાળ ટકે છે, નવી-નવી રીતે વિકસે છે અને અસાધારણ ગજુ કાઢીને અપૂર્વ રીતે વિજયી, યશસ્વી બને છે. અહીં વિવેકી જનને એ પણ સમજાશે કે અહી જે બહુ મોટા સમુદાયના વ્યાપક ઇન્દ્રિયજયની અપેક્ષા બતાવી છે, તેમાંની દરેક વ્યક્તિ પોતે શાસ્ત્રીય સમજણ પામીને સ્વયંભૂ રીતે ઇન્દ્રિયજય અપનાવે એ એક જ રીત તો સામુદાયિક ધોરણે શક્ય નથી. એટલે એમાં ઓછી કે નહિવત્ સમજણશક્તિ ધરાવતા મનુષ્યોને પણ ઇન્દ્રિયજયને માર્ગે ચડ્યા સિવાય ચાલે જ નહિ એવા સ્વસ્થ સામાજિક-રાજકીય પર્યાવરણમાં મૂકવાની વાત પણ અભિપ્રેત માનવાની રહે. અને હકીકતે સ્વસ્થ રાજ્યતંત્ર કે સ્વસ્થ સમાજ આવી જ જોગવાઈ ઊભી કરતાં હોય છે. જેમ ઇન્દ્રિયજયનો મહિમા સ્વયં સમજીને એના ઊંચા લાભો પમાય, તેમ ઇન્દ્રિયજયને સમજયા વિના પણ એનું ફરજિયાત કે ઘડીક લાગતી મજબૂરીથી કરાતું પાલન દીર્ઘકાળે વ્યક્તિને ક્રમશઃ લાભદાયી જણાયા વગર રહેતું નથી. રાજયતંત્રે સાચી દૃષ્ટિથી ઊભાં કરેલાં દંડવિધાનો દોષિતો તરફની આવી પ્રચ્છન્ન સ્થાયી વત્સલતા પર જ ટકે છે અને સાર્થક બને છે. એટલું ખરું કે જે રાષ્ટ્રમાં સ્વયંભૂ રીતે અધ્યયનશીલ કે ધ્યાનનિષ્ઠ પ્રકૃતિના લોકો દ્વારા મોટી સંખ્યામાં ઇન્દ્રિયજય તરફની સ્થિર પ્રવૃત્તિ ચાલતી હોય, તે રાષ્ટ્ર વ્યાપકપણે આમસમુદાયને પણ, સરવાળે નિર્દોષ એવી – કઠોર લાગતી કે હળવી – યુક્તિઓ દ્વારા પ્રચ્છન્ન વત્સલતાથી ઇન્દ્રિયજયની આશીર્વાદરૂપ આદતમાં સ્થિર કરી શકે છે. એવું રાષ્ટ્ર અવિજેય બની રહે છે. જે ઇન્દ્રિયજય પાળી જાણે, તે અવશ્ય સફળપણે પળાવી પણ જાણે. ઇન્દ્રિયજય-પ્રકરણ આ રીતે “આત્મસંયમ એ કેળવણીનો અને રાષ્ટ્ર-ઉત્થાનનો પ્રાણ છે એ વાત ટૂંકાણમાં પણ બહુ સમર્થ રીતે કહે છે. ઇન્દ્રિયજય જેવું વ્યક્ત, રોકડું કે સામાજિક અધ્યાત્મ જીવનનાં સર્વક્ષેત્રોને પાકી ઉન્નતિનો માર્ગ બતાવે છે. એથી રાજનીતિમાં પણ એને નિર્વિવાદપણે પાયાનું સ્થાન છે એવો મનીષી કૌટિલ્યનો સ્પષ્ટ અભિપ્રાય છે. શિક્ષણની સોપાનબદ્ધ પ્રક્રિયા અંગે પણ ત્રણેક ખૂબ મહત્ત્વની વાતો .. ૨.૬માં મળે છે. તેના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે : “તે-તે વિદ્યાના વિનય અને નિયમ એ બંને, જે-તે વિદ્યાના આચાર્યના માર્ગદર્શન મુજબ અંગીકારવા.૧૯!' આમાં વિનય' શબ્દથી જે-તે વિદ્યાવિષયનાં સર્વાગી બોધ કે તાલીમ (training) અભિપ્રેત જણાય છે અને નિયમ'નો અર્થ જે-તે વિદ્યા આત્મસાતુ થઈ જીવનવ્યાપી બને તે માટે જરૂરી વ્રતચર્યા કે સંયમી જીવનચર્યા – એવો જણાય છે. કોઈ પણ વિદ્યા બુદ્ધિ ઉપરાંત સંવેદનશક્તિ, પ્રાણશક્તિ, ક્રિયાકૌશલ થકી સમગ્ર જીવનવિધિને ઉન્નત કરવા માટે ઝીલવાની છે, જેમાં શ્રવણ-મનન-નિદિધ્યાસનની સમગ્ર પ્રક્રિયા ઉપકારક બની રહે છે. વિદ્યાગ્રહણની કાર્યસાધક શારીરિક-માનસિક-બૌદ્ધિક પાત્રતા આવે છે નિયમથી, અર્થાત્ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy