SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ :: આના ચાર અધ્યાયો પૈકીના પ્રથમ અધ્યાયમાં શત્રુરાજા કે તેના માણસોના વધ માટેના કે રોગોત્પાદન માટેના વિષ-પ્રયોગો વર્ણવ્યા છે. બીજા-ત્રીજા અધ્યાયનું સંયુક્ત પ્રકરણ છે ‘છેતરપિંડી’ (પ્રત્તમ્બનમ્). તેમાં બીજા અધ્યાયમાં શત્રુને છેતરે તેવા આશ્ચર્યકા૨ક (અદ્ભુત) દેખાવો ઉત્પન્ન કરતાં સંયોજન-દ્રવ્યોનું તે-તે દેખાવ-વાર વર્ણન છે. આનો પ્રયોગ ગુપ્તચરોએ પોતાની જાત પર કરવાનો હોય છે – પોતાને નુકસાન ન થાય ને શત્રુપક્ષ આશ્ચર્યમાં મુકાય અને છેતરાય તે રીતે. એમાં શરીરનો દેખાવ કે વર્ણ બદલાય તેવા, શરીર પર આગનો દેખાવ સર્જાય તેવા, અંગારા પર ચાલી શકાય તેવા, અગ્નિશમન અંગેના, છતે અગ્નિએ રાંધવાની ક્રિયા ન થાય તેવા, મોંમાંથી અગ્નિ કે ધુમાડો પેદા થાય તેવા અને લાંબું ચાલી શકાય તેવા પ્રયોગો વર્ણવાયા છે. ત્રીજા અધ્યાયમાં ગુપ્તચરને પોતાની કાર્યસિદ્ધિ માટે ઇષ્ટ અમાનુષી સામર્થ્ય મળે તેવા ઔષધોના, ઉપરાંત મંત્રોના પણ સિદ્ધ-પ્રસિદ્ધ પ્રયોગો આપ્યા છે. ઉપરાંત યુદ્ધ-સમયે આજનાં રાસાયણિક શસ્ત્રો જેવું કામ કરતા ઔષધાદિ-પ્રયોગો આપ્યા છે ! છેલ્લા અધ્યાયમાં રાજપુરુષો પર કે સૈન્ય પર શત્રુ દ્વારા થતા આવા પ્રયોગોના નિવારણના ઉપાયો ય બતાવ્યા છે ! આ અધિકરણની સામગ્રીનું નૈતિક કે વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું કઠિન છે. કૌટિલ્ય અહીં માત્ર વનજીવી માનવીની આત્મરક્ષક કોઠાસૂઝને આધારે આગળથી ચાલી આવતી, આત્મરક્ષક કાંટાળી વાડ જેવી, હાથવગાં ઔષધ-મંત્રાદિ પર આધારિત અડબંગ કે ઘોર કામગીરીઓનું તટસ્થ ભાવે, છતાં કૌતુકપૂર્વક દિગ્દર્શન ને પરિગણન (enumeration) કરાવે છે એમ કહી શકાય. અલબત્ત, ‘ચાતુર્વર્યના સંરક્ષણ માટે અધર્મિષ્ઠો ઉપર આવા પ્રયોગો કરવા ઘટે” એમ કહીને તેમનું વિવેકાપેક્ષ અનુમોદન, અધિકરણના આરંભે જરૂર કરે છે. સાચે જ સત્યનો અને જીવનસંઘર્ષનો માર્ગ ઘણો વિકટ છે, કઠિન છે. ગ્રંથનું છેલ્લું (પંદરમું) અધિકરણ છે તન્ત્રયુક્તિ: અહીં તન્ત્ર એટલે કોઈ પણ શાસ્ત્ર કે વિદ્યાવિષયને નિરૂપતો ગ્રંથ; તેની રચનામાં વપરાતી ચોક્કસ રજૂઆતપદ્ધતિઓ તે તંત્રયુક્તિઓ. કોઈ પણ શાસ્ત્રનો પરિપૂર્ણ બોધ જે-જે યુક્તિઓ એટલે કે નિરૂપણપદ્ધતિઓ દ્વારા સધાય, એની આ અધિકરણના એકમાત્ર અધ્યાયમાં એક પછી એક ટૂંકી સમજૂતી, આ જ ગ્રંથનાં અનુરૂપ અવતરણો દ્વારા અપાઈ છે. એવી બત્રીસ યુક્તિઓ અહીં તારવાઈ છે. એક રીતે જોઈએ તો અહીં આ ગ્રંથની નિરૂપણશૈલીનું વિશ્લેષણ કરાયું છે. એ દ્વારા જિજ્ઞાસુના બુદ્ધિતંત્રમાં જે-તે શાસ્ત્રનો સમગ્ર બોધ જન્મે તે માટે શાસ્ત્રગ્રંથોમાં કેવી બોધસહાયક રીતો પ્રયોજાતી હોય છે અને પ્રયોજવા જેવી છે તે બહુ મહત્ત્વની વાત કહેવાઈ છે. આ યુક્તિઓનું ધ્યેય છે જે-તે શાસ્ત્રની પરિપૂર્ણ સમજણ – એવી સમજણ કે જે પામ્યા બાદ એવી વ્યક્તિ એ શાસ્ત્રનો બોધ, એ જ રીતોનો ઉપયોગ કરી બીજાને પણ કરાવી શકે; એટલું જ નહિ, એ શાસ્ત્રનો તેના ક્ષેત્રની વિવિધ પરિસ્થિતિઓમાં કુશળ ઉપયોગ પણ કરી શકે. Jain Education International - આમાંની કેટલીક યુક્તિઓનું સ્વરૂપ અથવા તો તેની આપેલી સમજૂતી અસ્પષ્ટ લાગે છે; દા.ત. વ્યાઘ્યાન કે હૈં નું સ્વરૂપ, સ્વતંજ્ઞા નાં સ્વરૂપ અને આપેલી સમજૂતી એ બંને. વળી ૩પમાન અને નિવર્શન, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy