SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ રાજાની નહિ, પણ ધર્મવિજયી રાજાની પ્રતિભાને ધ્યાનમાં રાખીને થઈ છે તે સમજાયા વગર રહેતું નથી. ગીતાની ભાષામાં કહીએ તો લોકસંગ્રહ (સ્થિર લોકકલ્યાણ) અર્થે, માનવની અનેક સાંસ્કૃતિક આપ-લેથી કે આવ-જાથી ઊભરાતા વિશાળ મુલ્કમાં કે ખંડીય ભૂ-ભાગમાં અસહ્ય અંતરાયો ઊભા કરતાં માથાભારે રાજકીય અને ઉપદ્રવકા૨ી તત્ત્વોને, સારી પેઠે ખિલવાયેલી બાહોશીથી વશ કરીને સંગીન માનવ-જીવન સ્થાપવાની જ આ વાત છે. આ જ કારણે તો કૌટિલ્યે ઉચ્ચ વિવેકદૃષ્ટિએ ત્રિ-વર્ગમાં અર્થપુરુષાર્થને અને ચાર વિદ્યાઓમાં દંડનીતિને પ્રાધાન્ય આપ્યું છે. રાજસૂય યજ્ઞનું વિધાન પણ આ જ ઉદ્દેશ્ય અર્થે છે. આ અધ્યાયને અંતે વિજયી રાજાને સર્વ વર્ણો અને આશ્રમો વિધિપૂર્વક ધર્મમાર્ગે વિકસતા રહે તેવું રાજ્ય, તેવો સમાજ સ્થાપવા માટે નિત્ય સ્વધર્મપાલન દ્વારા શાસન કરવાની ભલામણ કરાઈ છે. આ જ તંતુને આગળ વધારે તેવો અધિકરણનો છેલ્લો (પાંચમો) અધ્યાય છે ન—પ્રશમનમ્ (જીતેલા રાજ્યમાં શાંતિસ્થાપન, અર્થાત્ સર્વ ઘટકોનું હૃદય જીતવાનું કામ). ટૂંકો સુંદર અધ્યાય છે. વિજયના સહાયકોને આપેલાં વચનોનું પાલન થાય અને પ્રજામાં નવા રાજ્ય બાબતે સંપૂર્ણ અભય અને વિશ્વાસ સ્થપાય તેવું પ્રિય-હિતસાધક સૌમ્ય આચરણ વિજિગીષુએ નિરંતર કરવાનું છે. રાજ્યનાં અનેક વ્યાવસાયિક, સામાજિક, સાંસ્કૃતિક સંગઠનોને પણ વિશ્વાસમાં લેવાનાં છે. સર્વ ક્ષેત્રના ગુણી-જનોની, ધર્મસ્થાનોની, આશ્રમાદિ સંસ્કૃતિ-સ્થાનોની માત્ર પૂજા જ નથી ક૨વાની, પણ તેમના યોગ-ક્ષેમ અંગે જરૂરી કાળજી કાયમ લેવાની છે. સમાજના સર્વ અસહાયોને હૂંફ અને ટેકો આપવાનાં છે. વિજયને વધાવવા સર્વ બંદીજનોને મુક્ત કરવાના છે. નિયત કરેલા સમયગાળે ઠેરવેલા દિવસોએ પશુઓ પરત્વે ‘અધાત’ (જેને જૈન-પરંપરામાં ‘અમારિ' પણ કહે છે) જાળવવાનો છે. રાષ્ટ્રના કોશ કે દંડ(સૈન્ય)ને હાનિ પહોંચાડે તેવા બધા વહેવારો અટકાવી ધર્મવ્યવહારો સ્થાપવાના છે. માથાભારે તત્ત્વો કે મર્મસ્થાનના અધિકારીઓનો સમયે-સમયે સ્થાનફે૨ કરતા રહેવાનું છે. સરવાળે વિજેતાએ પોતાના ગુણોને વિકસાવતા રહી પૂર્વરાજાના દોષોને કે ગુણોને પણ પ્રજા ભૂલી જાય અને સંતાપમુક્ત, શંકામુક્ત બને તેવું કરવાનું છે. ૪૭ આ રીતે પરદેશનીતિ અંગેનું આ છેલ્લું કળશરૂપ અધિકરણ કૌટિલ્યના સમગ્ર સાંસ્કૃતિક અભિગમની પણ સુંદર પ્રતીતિ કરાવે છે. ગ્રંથનાં છેલ્લાં (૧૪, ૧૫) બે અધિકરણ પરિશિષ્ટ તરીકે ગણાવાય છે. તેમાનું પહેલું તે પરદેશનીતિના પરિશિષ્ટરૂપ છે, જ્યારે બીજું તો આખા ગ્રંથના પરિશિષ્ટરૂપે લેખકની પોતાના આ ગ્રંથની શૈલીનું સદષ્ટાંત વિશ્લેષણ કરતી નોંધ જ છે. ચૌદમું અધિકરણ છે ઔપનિષદ્ – ૩પનિષદ્ એટલે કે ગુપ્ત-પ્રયોગો; તે બધાનું નિરૂપણ કરતું અધિકરણ. અત્યંત અસાધ્ય કે અધર્મિષ્ઠ શત્રુના વધ કે પ્રવંચન (છેતરપિંડી) માટે ગુપ્ત રીતે કરવાના ને જેની બનાવવાની રીત ગુપ્ત રાખવાની હોય તેવા પ્રયોગો આમાં નિરૂપાયા છે. કોઈને પ્રશ્ન થાય કે એવા પ્રયોગો આ ગ્રંથમાં નિરૂપવાથી તે ઉઘાડા પડી જાય તેનું શું ? શંકા સાચી છે. તેનું સમાધાન એ છે કે આ વિધિઓ તો માત્ર નમૂનારૂપ કે વધુ જાણીતા જ છે; બાકી ફળદ્રુપ માનવબુદ્ધિ તો જલદી પકડાય નહિ કે જાણી ન શકાય તેવા નીત-નવા નુસખા શોધી શકે જ છે. માનવ-પ્રતિભા સામે શક્યતાઓનો અમાપ સાગર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy