SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પગલે ઊભો થયેલો સંદર્ભ, પૂર્વેના શિકારયુગમાં પ્રાધાન્ય ભોગવતાં ગાઢ વનોના પથારાને ઘટાડીને વસવાટો અને કૃષિક્ષેત્રો માટેના ખુલ્લા ભૂ-ભાગો સંપાદિત કરવા ફરજ પાડી રહ્યો હતો. એ વખતે વનોનો મર્યાદિત વિનાશ એ મનુષ્યને કર્તવ્યરૂપ દેખાયો હતો. એને લીધે નવનિર્મિત ગ્રામ-નગરાદિના ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓ અને સર્પોનો અતિપ્રવેશ એ સહજ પણ હતો અને ગ્રામ-નગરવાસીઓ માટે બાધાકારક પણ હતો. એ કારણે કૌટિલ્યની પરિગણનામાં એ બે જીવસમુદાયો પણ આપત્તિરૂપ બતાવાયા છે. એનો ઉકેલ એ બંને સમુદાયોના નિયમનરૂપ અભિપ્રેત છે, ઉચ્છેદરૂપ નહિ. અત્યારે તો અવિવેક અને તર્જન્ય પ્રમાદનું સામ્રાજય ફેલાતાં મનુષ્ય મનોરોગજન્ય સંગ્રહવૃત્તિ અને વિકૃત, ખર્ચાળ ભોગવૃત્તિના અશક્ય એવા સંતોષ અર્થે કૃત્રિમ સંપત્તિ અને અર્થતંત્રનાશક અવાસ્તવિક ચલણી નાણું પાગલની જેમ ભેગું કર્યું જ જવા મજબૂર બન્યો હોઈ જગતમાં જીવન-નાશક, સૃષ્ટિવિનાશક યાંત્રિક મહાઉદ્યોગો ભયાવહ ઝડપે ફાલી રહ્યાં છે અને એની અવાસ્તવિકતાને કારણે સર્વવિનાશક યુદ્ધો અને તેની ખતરનાક સામગ્રી જરૂરી ગણાઈ રહ્યાં છે. તેથી વનોનો ભયાવહ ખાતમો અને જળ-ભૂમિ-વાયુ-આકાશનું અતિપ્રદૂષણ સૃષ્ટિ અને માનવનો ઉચ્છેદ કરવાને આરે આવીને ઊભાં છે. આજે તો જંગલો અને તેમની જીવસૃષ્ટિના પુનઃસ્થાપનની તાતી જરૂર ઊભી થઈ છે. એકંદરે ધરતી પરના વિવિધ જીવોનું અસ્તિત્વ પર્યાવરણ, વનસૃષ્ટિ, અન્ય જીવો, કૃષિ આદિ જીવનાધારોની રક્ષા – પરસ્પર રક્ષા – કરે છે. સહાયવૃત્તિ એ સર્વ પ્રાણીજૂથો – નાનામાં નાનાંથી માંડી મોટામાં મોટાં – નો મૂળ સ્વભાવ હોવાનું પોતાનાં પરિભ્રમણ, વ્યાપક નિરીક્ષણ અને અધ્યયન-ચિંતનને આધારે પ્રખર પર્યાવરણપ્રેમી પ્રિન્સ ક્રોપોટકીને પ્રતિપાદિત કર્યું છે. દાયકાઓ પૂર્વે તેમણે આ વાત તેમના “સહાયવૃત્તિ' પુસ્તક ઉપરાંત “ઉધઈનું જીવન ઇત્યાદિ અધ્યયનફળરૂપ ગ્રંથોથી રજૂ કરી છે. સદીઓ પૂર્વે પ્રખર જૈન ચિંતક ઉમાસ્વાતિએ પોતાના ‘તત્ત્વાર્થસૂત્ર' ગ્રંથના એક સૂત્રમાં “પરસ્પર ઉપકાર એ જીવોનો સ્વભાવ છે” એમ ઘોષિત કર્યું છે. પર્યાવરણપ્રદૂષક રાસાયણિક ખેતીના નૂતનતમ યુગમાં પણ હજી ઉંદરો ઉપરાંત અન્ય પરંપરા દ્વારા ચીંધાયેલી તીડ અને પોપટની સમસ્યા, તે ઉપરાંત ભૂંડ, નીલગાય, મોર આદિની સમસ્યા કૃષિ પર ઝળુંબતી રહે છે. એનો એક અર્થ એ કે હજી પર્યાવરણ તેમનો નાશ થાય તેટલી હદે બગડ્યું નથી. બીજો અર્થ એ છે કે જંગલો ઘટવાથી આ જીવો કૃષિ પર, સ્વનિર્વાહ અર્થે ત્રાટકી રહ્યા છે. કૌટિલ્યોક્ત સમસ્યાઓના સૂચવાયેલા ઉકેલો તરફ નજર નાખવાનું રસપ્રદ અને બોધક બની રહેશે. અગાઉ આપણે જોયું છે કે ધર્મો અને તેમાં પ્રતિપાદિત આચારો તરફનું કૌટિલ્યનું વલણ તટસ્થ અને ગુણગ્રાહી છે. અંધશ્રદ્ધા અને દંભના પોષક ધર્માચારો પ્રત્યે વાજબી પુણ્યપ્રકોપ દાખવીને પણ ગુણવૃદ્ધિ, ઈશ્વરશ્રદ્ધા, ઉપાસનાશક્તિ ઇત્યાદિને પોષનારા ધર્માચારો તરફ ઊંડો આદર જાળવી પોતાના જીવનમાં પણ તેઓ તેને અપનાવે છે અને રાજયશાસનમાં પણ અનુરૂપ રીતે ગૂંથવાની ભલામણ કરે છે. આપણે બીજા વ્યાખ્યાનમાં જોયા પ્રમાણે તેમણે કરેલા દૈવતત્ત્વના સ્વીકારમાંથી પણ આ વાત આપોઆપ ફલિત થતી જોઈ શકાય છે. આપણે એ પણ પ્રથમ વ્યાખ્યાનમાં જોયું છે કે કૌટિલ્ય યજ્ઞાદિ વેદપ્રતિપાદિત કર્મો ઉપાસનારા શ્રોત્રિય બ્રાહ્મણ હોવાની વાત પરંપરાગત રીતે કહેવાય છે. વિશાખદત્તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy