SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગુપ્તચરતંત્ર કાયમ સાબદું રહીને આવાં પર્દાફાશ કરવાનાં કામ સફળપણે સાધતું રહે છે તેવી ચોપાસ ફેલાયેલી ધાક પણ રીઢા ગુન્હેગારો પૈકીના કાચા-પોચા શમ્નોને કે ઊંડે-ઊંડે સારા ઈરાદા ધરાવતા ગુન્હેગારોને તો આ કાંટાળો ધંધો છોડી વધુ આબરૂદાર ધંધો કરવા પણ પ્રેરે તેવી પાકી શક્યતા રહે છે. પાંચમા અધ્યાયમાં આ જાતનાં કંટકશોધનના અનુભવસિદ્ધ માર્ગો ચીંધાયા છે. રાજ્યતંત્રની એક ખૂબ અગત્યની કામગીરી છે મનુષ્યમાત્રની જીવનજ્યોતની રક્ષાની. રામરાજયના આદર્શમાં અપમૃત્યુનો અભાવ પણ એક આવશ્યક લક્ષણરૂપ ગણાવાય છે. આ દષ્ટિએ, થયેલી કોઈ હત્યા અંગે કોઈની ફરિયાદ હોય કે ન હોય, પણ પ્રાણવાનું રાજયતંત્ર રાષ્ટ્રમાંના કોઈ પણ અપમૃત્યુ અંગે ચિંતિત અને સક્રિય હોય તે અપેક્ષિત છે; ખાસ કરીને બિનવારસી મૃતદેહ બાબત, માનવમાત્રની જીવનજયોતના ઉપાસક રાજયતંત્રની આ અંગેની સક્રિયતા ખૂબ ઉત્કટ હોય. અત્યંત તેજસ્વી અનુમાનવિદ્યા, શરીર-રસાયણ-વિદ્યા (Bio-chemistry અને Forensic Science), વિવિધ પ્રજાજૂથોના સામાજિક-આર્થિક-ધાર્મિક આંતરપ્રવાહની ઊંડી જાણકારી, દેશકાળ મુજબના વિશિષ્ટ પ્રવાહોની જાણકારી – આ બધાં દ્વારા, તરત પૂર્વે પ્રાણ ગુમાવી બેઠેલા દેહની તપાસ ચોક્કસ તારણ પર લઈ જાય છે અને અપરાધશંકાના અનુસંધાનનો માર્ગ મોકળો કરે છે. આ દૃષ્ટિએ આજની જેમ એ વખતે પણ મરણોત્તર દેહપરીક્ષણ(post mortem)-વિદ્યા ઠીક-ઠીક વિકસેલી હતી, અને આજની જેમ અજ્ઞાતપણે થયેલા મૃત્યુની તપાસ અંગે જાગૃત રાજ્યતંત્ર ચુસ્ત રહેતું. આ પરીક્ષણની ચર્ચા સાતમા અધ્યાયમાં સામાન્ય જિજ્ઞાસુઓને અને આ ક્ષેત્રના જાણકારોને પણ રસ પડે તેવી વિગતો સાથે કરાઈ છે. અધિકરણના છેલ્લા બે અધ્યાય પૈકી આગલો બારમો અધ્યાય કહેવાતા “વિકસિત સમાજોમાં વ્યાપકપણે જોવા મળતી સ્ત્રી-દેહની અમાનુષી છેડછાડના વિષયમાં પૂરક વાતો કહે છે. નૃવંશશાસ્ત્ર (Anthropology) મુજબ એકંદરે વૈધ (માન્ય વિધિ પ્રમાણેના) જાતીય વ્યવહારો સમાજ અને રાષ્ટ્રના વંશીય અને મનો-દૈહિક સ્વાથ્યના સ્તરને જાળવીને એનો સમુચિત ઉત્ક્રાન્તિમાર્ગ મોકળો કરે છે. આ અધ્યાયમાં એકંદરે સ્ત્રીના જાતીય જીવનની સુરક્ષા અંગે જ વિશેષ ભાર અપાયો છે તેનું કારણ એ હોવા સંભવ છે કે સ્ત્રી-પુરુષ પૈકી સ્ત્રીનું જીવન પરિવાર અને ઘરના સીમાડામાં, તેની નૈસર્ગિક મનો-દૈહિક રચનાને કારણે પણ સીમિત હોઈ, તેને વિકૃતિનિમિત્તરૂપ બાહ્ય જગનો સંપર્ક ઓછો હોઈ, તેમ જ પરિવારમાં તેને વાત્સલ્યપ્રધાન કાર્યકલાપમાં વ્યસ્ત રહેવાપણું પણ પૂર્ણકાલીન હોઈ સ્ત્રીઓને જાતીય જીવન બાબત નિયમનમાં રાખવાનું, મુખ્યત્વે બાહ્ય સંપર્કો વચ્ચે પ્રવર્તતા પુરુષની તુલનામાં સરળ બની રહે. જો એક પ્રવૃત્તિના બે સાથીઓ પૈકી બંનેને એક સાથે નિયમનમાં રાખવાનું દોહ્યલું હોય, તો છેવટે એક સાથીને સરળતાથી નિયમનમાં રાખી શકાય તો સરવાળે તે સાથી દ્વારા જ અન્ય સાથીને લઘુતમ નિયમનોમાં સહયોગી બનાવવાનું શક્ય બની શકે. એક સહજપણે નિયમનવશ સાથી અન્યને મર્યાદામાં રાખી શકે તેવી શક્યતા જેટલી પણ ફળે તેમ હોય, તે કંઈક ને કંઈક લાભની જ વાત ગણાય – ખાસ કરીને જયાં નિયમન ખૂબ જરૂરી હોય અને એના પાલનના અનેક સાંસ્કૃતિક લાભો ઉઘાડા હોય ત્યાં. બે ખરાબ જણ સુધરે તે જયાં પ્રાયઃ અશક્ય હોય ત્યાં તેમાંથી એક જણ પણ સમજપૂર્વક સારું હોય તે સ્થિતિ આશાસ્પદ છે. આ અધ્યાયમાં સ્ત્રી દ્વારા આચરાતા જાતીય જીવનના શક્ય મલિન વ્યવહારોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy