SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૯૩ રત્ન, સોનું ઇત્યાદિ ધાતુઓ તથા રોકડ નાણાંનું સંગ્રહસ્થાન), અક્ષણીતા (સોનાની ચીજોનું આગવું સંગ્રહસ્થાન) – આ બધાંમાંની વિવિધ ચીજોની બરોબર જાળવણી માટેની કડક વ્યવસ્થાઓ પણ આમાં સમાય. જો આ બધી ધોરણસરની બાબતો (ધM )રૂપ વાસણો કાણાં હોય, તો રાષ્ટ્રવાસીઓ દ્વારા તૈયાર થઈ યોગ્ય સંગ્રહ પણ પામી ચૂકેલી ચીજો વધુ ને વધુ વિપુલ પ્રમાણમાં ગુમાવવી પડે અને પ્રજાની નિત્યની વિવિધ જરૂરિયાતો સંતોષવાનું મુશ્કેલ બનતું જાય. વળી, “પ્રજાના હિતમાં રાજાનું હિત સમાયેલું છે” – એમ ઘૂંટી-ઘૂંટીને પૂરી પ્રતીતિ સાથે કહેતા કૌટિલ્ય રાજધાની અને જનપદ એ બંનેમાં સર્વત્ર ફેલાયેલાં પ્રજાનાં વાસસ્થાનોમાંની સંપત્તિની પણ પૂરી સુરક્ષાની ચિંતા તો કરે જ ને? એથી આ અધ્યાયમાં તે પણ ધરળ રૂપ ગણાયાં છે. તેથી ચોરો વગેરેથી તેની રક્ષા માટેનાં વિવિધ નિયમનો પણ કહેવાયાં છે. આમ અહીં “ધ” શબ્દ “યોગ-ક્ષેમ' (જરૂરી ચીજોનાં સંપાદન, રક્ષણ અને ઉપભોગ)નો પર્યાય બની રહ્યો છે. ખરેખર પેચીદો શબ્દપ્રયોગ છે. હકીકતે, આ અધ્યાયમાંની ઘણી વાતો બીજા અધ્યક્ષપ્રચાર અધિકરણમાં રૂપાંતરે કે તે જ રૂપે આવી જાય છે. પણ દષ્ટિભેદે કે પરિપ્રેક્ષ્યભેદે (સંદર્ભોના કુલ ક્ષેત્રવિસ્તારના ભેદ) કૌટિલ્ય કહેલી વાત પણ ફરી કહે છે તેનું ઔચિત્ય સમજાય એવું છે. વળી, આવી મહત્ત્વની વાતો આમ નિમિત્તવશાત્ ફરી ઘંટાય તે ય યોગ્ય છે. સર્વ અધિકરણોના રક્ષણ'ની આ મહત્ત્વની કામગીરી સંભાળનાર એક ચુનંદો ઉચ્ચતમ અધિકારી તો સમાહર્તા પોતે જ છે. અલબત્ત, અગાઉ જોયા પ્રમાણે, તેના હાથ નીચે દુર્ગમાં અને જનપદ(રાષ્ટ્ર)માં વિશિષ્ટ કર્મચારીગણ મદદમાં હોય છે. તે દંડપાત્રને દંડવામાં અને કોઈ પણ હિસાબે નિર્દોષ વ્યક્તિ ન દંડાય તેની સાવચેતી રાખવામાં – એમ બંને બાબતે અપ્રમાદ દાખવે તે અપેક્ષિત છે. જેલોમાં સ્ત્રી-અપરાધીઓને પણ રાખવામાં આવતાં તેવી વસ્તુસ્થિતિ કૌટિલ્યોક્ત રાજયતંત્રમાં સમાવેશ પામેલી છે. પાયાના સ્ત્રી-પુરુષ-સામ્યની દૃષ્ટિ આની પાછળ જણાય છે. કૌટિલ્ય અવાસ્તવિક કે આંધળું સ્ત્રી-દાક્ષિણ્ય બતાવવા જેટલા મિથ્યા-ઉત્સાહી નથી. તો સામે પક્ષે વિવેકપૂર્ણ સ્ત્રી-દાક્ષિણ્યને સંસ્કૃતિનો દઢ પાયો ગણીને સ્ત્રી-કેદીઓની સવિશેષ સુરક્ષા પણ થાય તે અનિવાર્ય સમજે છે. અલબત્ત, આ સુરક્ષાની ઉચ્ચાવચતા જે-તે સ્ત્રીના સામાજિક સ્તર પ્રમાણે ભિન્ન રાખવાનું તો પ્રાયઃ સહજ મનોવૈજ્ઞાનિક આધાર પર જ સૂચવતા જણાય છે; કોઈ રાગદ્વેષપ્રધાન પક્ષપાતથી નહિ. - હિંસાયુક્ત કે જોરાવરીભરી ધાડ-લૂંટ કરનારો રીઢો ગુન્હેગાર-વર્ગ પૂર્ણપણે સમાજદ્રોહી હોઈ, એક સંગઠિત વ્યવસાયની જેમ, આજે જોવા મળે છે તેમ, નિયમિત રીતે જાત-જાતનાં ને નવાં-નવાં કલયુક્ત આગોતરા આયોજનો કરતો રહે છે. આવા ગુન્હા થાય એ પહેલાં જ એને રોકી દેવા કે નિષ્ફળ બનાવવા માટે ગુપ્તચરતંત્રની ઘનિષ્ઠ સેવા ખૂબ કાર્યસાધક બને. આજે પણ ગુપ્તચર-વિભાગને Intelligence Department (‘વિચક્ષણ-વિભાગ') તરીકે યોગ્ય રીતે જ ઓળખવામાં આવે છે. ઉક્ત રીઢો વર્ગ અનેક ગૂઢવિદ્યાઓ, ‘સિદ્ધ' તરીકે ઓળખાતા, પણ લૌકિક અતિતૃષ્ણાનો કારણે પોતાને હાથવગી એવી ગૂઢવિદ્યાઓને વેચીને જીવતા વર્ગ પાસેથી મેળવતો હોય છે. એટલે એ જ “સિદ્ધ'-વેષનો ઉપયોગ, આવા ગુન્હેગારોને આગોતરા જ પકડી પાડવામાં ખૂબ જ કાર્યસાધક બની રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy