SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા વિવિધ ચર્ચાસ્થળોએ ઉલ્લેખીને તેમના તે-તે મતોથી ભિન્ન પોતાનો મત પણ દરેક સ્થળે આપ્યો છે એ જોતાં, કૌટિલ્ય કાળક્રમે તેમની પછી આવે છે, ને સમજણની શ્રેષ્ઠતા પણ પામ્યા છે. જર્મન વિદ્વાન મેયરે (Meyer) વિસ્તૃત ચર્ચા કરી બતાવ્યું છે કે દંડસંહિતા સંબંધી ઉપલા ચાર મતોમાં કોટિલ્યમત સૌથી વધારે સુસંગત અને યોગ્ય છે. પ્રા. શ્રી કંગલે પણ આ વાતને ટેકો આપે છે. બરોબર વિચારતાં આપણને પણ આ મત ઉત્તમ લાગે છે. વિવાહ પર પરિવાર નભે છે, અને તે સંદર્ભે જ મિલ્કત, ઋણ, થાપણના વહેવારો, વ્યાવસાયિક વ્યવહારો વગેરે ઊભા થાય છે. અગાઉ જોયું તેમ, અધિકરણનો પ્રથમ અધ્યાય ન્યાયપ્રક્રિયાનાં વિવિધ પાસાં ચર્ચે છે. દંડસંહિતાનાં પ્રકરણો બીજા અધ્યાયથી શરૂ થાય છે. પ્રથમ પ્રકરણ છે વિવાહસંયુક્તમ્ જે પેટા પ્રકરણો સહિત ત્રણ અધ્યાય(રૂ. રથી ૪)માં ફેલાયેલું છે. આરંભનું જ વાક્ય છે : “વિવાદપૂર્વ: વ્યવહાર:' અર્થાત્ વિવાહ સર્વ સામાજિક વ્યવહારો(=સંબંધો અને આચરણો)નો પાયો છે. સમાજશાસ્ત્રીઓને, મનોવિજ્ઞાનીઓને, જીવનસ્વરૂપચિંતકોને વિચારતા કરી દે તેવું અર્થગર્ભ અને ચિંતનીય આ વિધાન છે. માર્ક્સના મતથી વિરુદ્ધ અને સ્થૂળ રીતે ફ્રોઈડના મતને મળતું વિધાન છે. અલબત્ત, કૌટિલ્યને અભિપ્રેત સાંસ્કૃતિક અનુબંધ (સંદર્ભ) જુદો જ છે. ઊંડું વિચારતાં કૌટિલ્ય ચૈતન્યવાદી અને સંસ્કૃતિકેન્દ્રી ચિંતક હોવાનું આ વિધાનમાં ઊપસી આવે છે. ૨૭૩ પોતાનાં દેહ, મન કે વ્યક્તિત્વમાં જ ‘હું’પણું અનુભવવામાંથી આગળ વધીને અન્ય વ્યક્તિ એક, અનેક કે અનંત માં તે એટલે કે આત્મદર્શન અનુભવવું તે જ છે મનુષ્યની સામાજિકતા કે મનુષ્યતા. પ્રાચીન ભારતીય ઋષિઓ અને ઋષિકવિઓએ સુનિશ્ચિતપણે એ વ્યાપક સત્ય નીરખ્યું કે પ્રેમનું શ્રેષ્ઠ, ટકાઉ અને દિવ્ય સ્વરૂપ પતિ-પત્ની વચ્ચે અંકુરિત થઈને અનેક સુંદરત૨ આવિર્ભાવો પામે છે. સામાન્યતઃ કોરા નીતિવાદીઓ દ્વારા તો પતિ-પત્નીનો સંબંધ કામ-કેન્દ્રી ગણાઈ ચંચળ, છલનારૂપ કે વિકૃતિરૂપ મનાય છે, પરંતુ સત્યદર્શી મનીષીઓ એ જાણે છે કે સ્ત્રી-પુરુષની પોત-પોતાની અસલ પ્રતિભા આડેનાં અવરોધો જ વિકૃતિઓ જન્માવે છે; નરવું પરસ્પરાપેક્ષ સ્ત્રીત્વ અને પુરુષત્વ તો જીવનનાં ઉચ્ચતમ સાંસ્કૃતિક શિખરો આંબી શકે છે, સમર્પણવૃત્તિ પર આધારિત ગાઢ સહયોગ દ્વારા ઉચ્ચતમ સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો અને તેને સાકાર કરતી નિત્યનવી રચનાઓ સાધી શકે છે. આ સત્યની સુંદર અભિવ્યક્તિ ‘રામાયણ’માં એક ધન્ય ઘડીએ સીતાના મુખમાં મુકાયેલ ઉગારમાં જોવા મળે છે, જે પિતા દ્વારા વનવાસની આજ્ઞા પામેલા ને નવપરિણીત સીતાને અકારણ વનમાં લઈ જવા ન માગતા રામને ઉદ્દેશીને ઉચ્ચારાયેલ છે. પોતે એક પત્ની તરીકે આમ કહે છે : “હે આર્યપુત્ર, પિતા, માતા, ભાઈ, પુત્ર તેમ જ પુત્રવધૂ પોતપોતાનાં પુણ્યો ભોગવતાં પોતપોતાના ભાગ્યને ઉપાસે છે. પરંતુ હે નરશ્રેષ્ઠ ! એક પત્ની જ પતિના ભાગ્યને પોતાના ભાગ્ય તરીકે અપનાવે છે. તેથી તમને વનનો આદેશ મળતાં હું ય ‘વનમાં વસવું' તેવી આજ્ઞા પામી છું.” હકીકતે આ ‘વાલ્મીકિ-રામાયણ’માં તો રામની પણ સીતા પ્રત્યેની અનન્ય નિષ્ઠા, તેમાંના ઘટનાચક્ર દ્વારા બતાવાતાં, માનવતાના શ્રેષ્ઠ વિકાસ માટે સ્ત્રી-પુરુષ-સંબંધમાં બંનેની અન્યોન્યનિષ્ઠામાં ઉત્તમ સંભાવનાઓ પડી છે એવું નિઃશંક ઋષિદર્શન પ્રગટ થયું છે. કવિવર ભવભૂતિએ તો વળી વિગત નવોન્મેષથી એ કથાના અંતમાં ,, Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy