SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ કિૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પરિબળો દ્વારા થતા રાષ્ટ્રભંજક વ્યાપારોની ચોથા અધિકરણમાં મળતી ચર્ચાનું ઉપયોગી અવલોકન વારાફરતી કરીએ. એ સ્પષ્ટ કરવું ઘટે કે આ બે અધિકરણો માત્ર દંડસંહિતારૂપ કે વ્યવહારોપયોગી કાયદાપોથી જ નથી, પણ તેની અંદર ધબકતું સમાજદર્શન સુજ્ઞ-હૃદયોમાં સ્થાપવાનો ગર્ભિત હેતુ પણ તેમાં જણાય છે. આ હૃદયતર્પકતાં (હૃદયને ધરવવાની શક્તિ) વચ્ચે-વચ્ચે આવતાં જીવનમૂલ્યનિર્દેશક વાક્યોમાં, પ્રકરણોના ક્રમમાં, દરેક પ્રકરણમાંના અવાંતર (પેટા) મુદ્દાના ક્રમમાં, ધૂળ સાથે સૂક્ષ્મ દોષો-અપરાધોની કૌતુકપોષક નવી-નવી વિગતો આપતા જવા પાછળ ધબકતી લેખકની સુસંસ્કારસુસંસ્કૃતિ પ્રત્યેની ઉદાર-નમ્ર રુચિમાં અનુભવાય છે. અહીં કૌટિલ્યની બહુમુખી ભરીભરી સામાજિકતા નિર્દેશતા રહેવાનો જ મુખ્ય આશય (ઇરાદો) છે, જેથી પરિશ્રમી જિજ્ઞાસુ, હૃદયની તાલાવેલી સાથે, મૂળ ગ્રંથના યથેચ્છ અધ્યયન માટે પ્રેરાય. ત્રીજા (થર્મસ્થીયH) અધિકરણની સામગ્રી : મનુષ્યનું આગવાપણું માત્ર તેની સંકુલ બહુમુખી બુદ્ધિમાં કે તેમાંથી સધાતાં ધનાર્જન (ધનપ્રાપ્તિ) કે સર્જનોમાં જ નહિ, પણ એ બુદ્ધિના સંગમાં આત્મદર્શનનો ઊંડો તલસાટ સંતોષવા અર્થે થતા મનુષ્યના આત્મવિસ્તરણમાં એટલે કે તેની ભરી-ભરી સામાજિકતામાં અનુભવાય છે. એ જ મનુષ્યની ભાવાત્મક વૈવિધ્યપૂર્ણ ગુણસમૃદ્ધિનું મૂળ છે. સત્ત્વગુણમાં સ્થિર થયેલી કે વળી ત્રિગુણાતીત બની ગયેલી વિમલ પ્રકૃતિ પર તમોગુણ-રજોગુણનું, વિવિધ માત્રા અને મિશ્રણોવાળું સંકુલ આવરણ આવી જઈ મનુષ્યને દોષો કે અપરાધોમાં ધકેલે છે. એવા અપરાધકારક દોષોને સ્થૂળરૂપે નિશ્ચયપૂર્વક દંડવા દ્વારા, “પ્રાયઃ ક્ષોભ પામવા થકી મનુષ્ય પોતાનો આગવો મહિમા પાછો મેળવે છે” એવા, મજ્ઞાનશાકુન્તત્વના છઠ્ઠા અંક(શ્લોક ૬.૩૨)માંના કાલિદાસવચન મુજબ, માણસની પ્રકૃતિનું શોધન અને મહિમાનું ઉદીપન કરવામાં ન્યાયતંત્ર અને દંડસંહિતાની સાર્થકતા સમાયેલી છે એ વાત પણ કૌટિલ્ય આ અધિકરણમાં ઘૂંટે છે એમ જરૂર અનુભવી શકાય. મુખ્યત્વે પરમ-તત્ત્વના અનુસંધાનમાં એટલે કે તેનાં ધ્યાનપ્રધાન ચિંતન અને સાધનામાં નિરત ઋષિઓ ને દ્રષ્ટાઓ પોતાની લોકાભિમુખતા અને લોકસંગ્રહ' (લોકારાધન)-વૃત્તિને કારણે સમાજચિંતનમાં પણ ઉત્કૃષ્ટ રીતે પ્રવર્તતા હતા. એથી ઋષિઓમાં પોતાનું આગવું સમાજદર્શન પણ હતું. આવા ધર્મશાસ્ત્રકાર કે ઋતિકાર ઋષિઓના આગવા સમાજદર્શન મુજબ, તે-તે ઋષિના ગ્રંથમાં દંડસંહિતાના અન્વયે સમાજનાં વિવિધ પાસાંઓનો ચોક્કસ મહત્તાક્રમ નક્કી કરીને પ્રકરણોનો ક્રમ નક્કી થતો. મનુષ્યના વિવિધ સામાજિક વ્યવહારોમાં કયું મૂળ પાસું અને તેમાંથી ચોક્કસ ક્રમે ફલિત થતાં કયાં અન્ય અવાંતર (પેટા) પાસાં એની ચોક્કસ સમજણ મુજબ પ્રકરણક્રમ તે-તે ગ્રંથમાં અંગીકારાતો. આ વાતને ઉલ્લેખતો એક સંગ્રહશ્લોક (સારકથનરૂપ શ્લોક) કહે છે તેમ “મનુ ઋણને પાયાનો વ્યવહાર ગણે છે, ઉશનસ્ મિલ્કતને, બૃહસ્પતિ થાપણને અને કૌટિલ્ય વિવાહને તેવો વ્યવહાર ગણે છે.” કૌટિલ્ય વિષેનું આમાંનું વિધાન ‘અર્થશાસ્ત્ર'ના ત્રીજા અધિકરણને જોતાં સાચું ઠરે છે. કનિર્દિષ્ટ અન્ય આચાર્યોના વિવિધ વિષયો અંગેના મતો કૌટિલ્ય “અર્થશાસ્ત્ર'માંનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy