SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પડેલું છે ! એકંદરે ભારતીયો આ બાબતે ખૂબ વિવેકી ઠર્યા છે!) તાદાત્વિક પોતાના કે પરિવારના ભાવિ માટે, નવી કમાણીના અભાવમાં પણ ટકી રહેવા કશી જોગવાઈ કરતો નથી. ત્રીજી વ્યક્તિ છે કંજૂસ (ાર્થ:), જે પોતાના માટે કે પરિવાર માટે પોતાના ધનનો વાજબી ઉપયોગ પણ કરતી નથી.! તેવો મનુષ્ય જો આશ્રિતો વિનાનો કે પરિવાર વિનાનો હોય, તો તેનું સંચિત ધન કાયદેસર રાજયે લઈ લેવા પાત્ર બને છે. આ ઉપરાંત કંજૂસ પોતાનું વિપુલ ધન સાચવવા-વધારવાના શા ઉપાયો કરે છે એ તપાસ પણ સમાજને કે રાષ્ટ્રહિતને થનાર શક્ય હાનિની દૃષ્ટિએ કરવાની જરૂર બતાવાઈ છે. કાં તો ધન પોતાના ઘરમાં ભંડારી રખાય, કાં તો નગરજનોમાં કે ગ્રામજનોમાં ઊંચા વ્યાજે ફેરવાય, કાં તો રાષ્ટ્રહિતને પાયાનું નુકસાન થાય તેમ અન્ય રાષ્ટ્રમાં કે શત્રુ-રાષ્ટ્રમાં પણ, દેશદ્રોહી ઇરાદા સાથે મોકલાય. આ ત્રીજા પ્રકાર પરત્વે એ ધનની હેરફેરમાં સલાહકાર, મિત્ર, સેવક કે સગા વગેરે પૈકી કોણ-કોણ સંડોવાયેલું છે તેની અને પરદેશ સાથે ધનની થતી આવન-જાવનની – તેના સ્વરૂપની – તપાસ ગુપ્તચર દ્વારા બરાબર થવી જોઈએ. ખાસ તો ધનની લાવ-લઈજા કરનાર વ્યક્તિને વિશ્વાસમાં લઈને તે પ્રવૃત્તિ પાછળનું રહસ્ય જાણવું. જો દેશદ્રોહી હેતુનો નિશ્ચય થાય, તો શત્રુએ મોકલેલા પત્ર તરીકે ઠેરવાય કે પુરવાર કરી શકાય તેવો નકલી પત્ર (જૂટશાસન કે ટલેa) ઊભો કરી, તે નકલી પુરવાર ન થઈ શકે તે રીતે એવા કંજૂસ ધનપતિનો ઘાત કરાવવો. ' અર્થ-અધ્યક્ષોનાં કામોની, અવ્યવસ્થાથી કે ભ્રષ્ટતાથી મુક્તિ માટે તે દરેકનાં કાર્યાલયો હિસાબનીશ, નોંધણી-અધિકારી, આવેલાં ચલણી નાણાંની ખરાઈ તપાસનાર (રૂપર્શવા), સિલક જમા કરાવનાર (તીવી ગ્રાહ) અને કાર્યનિરીક્ષક (મુકાદમ – supervisor કે જે શસ્ત્ર, અસવાર વગેરેથી સંપન્ન પણ સાદા વેશનો અધિકારી હોય) – આ બધાંથી સજ્જ હોય. ગુપ્તચરોની જુગલબંદીમાં પ્રવૃત્ત શસ્ત્રકુશળ અધિકારી કટોકટી-પ્રસંગે ખપ લાગે છે. બીજી એક જોગવાઈ એવી સૂચવાઈ છે કે એક કાર્યક્ષેત્રમાં એકાધિક અધ્યક્ષો હોય, જેથી ખોટા વ્યવહારની શક્યતા ઘટે; અલબત્ત, આવી જોગવાઈમાં અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે જો એવા સમકક્ષ અધિકારીઓ ખોટા ઇરાદા માટે એક થઈ જાય તો રાજયને મળવાપાત્ર ઘણી આવક ખાઈ જઈ શકે, અને જો એ એકબીજાનો પાકો દ્વેષ કે વિરોધ કરવામાં રત હોય તો કાર્યોને કાં તો ટલ્લે ચઢાવે, કાં તો બગાડે. આને મળતી પરિસ્થિતિમાં, અન્ય સંદર્ભે, એવો ઉપાય સૂચવાયો છે કે બેથી વધુ વ્યક્તિને મુખ્ય બનાવવા, જેથી તેમની વચ્ચે ઉપર્યુક્ત બે શક્યતાઓ ન રહે. કૌટિલ્ય બે રાજાવાળી વૈરાજ્યપદ્ધતિને તો રાજ્યતંત્ર માટે અનિચ્છનીય ગણી છે એ અહીં નોંધવું ઘટે. પણ ત્યાં રાજા ઉપર કોઈ ઉપરી નથી હોતો, જયારે અધ્યક્ષોની બાબતમાં તો રાજા ઉપરી હોય છે એ ભેદ છે. આ ઉપરાંત આવા ઉચ્ચાધિકારીઓની, કાર્ય સાથીઓ સાથે કે પ્રજાજનોમાંની કોઈ વ્યક્તિઓ સાથે ખોટા કામ અંગે સાંઠગાંઠ ન થાય તે માટે, આજની જેમ, એના કાર્યસ્થળની અવાર-નવાર બદલી કરવાની ભલામણ એ સમયે પણ કરાઈ છે ! રાગદ્વેષમુક્ત, વ્યક્તિનિરપેક્ષ સત્યપાલન અને કર્તવ્યપાલન જ અર્થતંત્રને અને પ્રજાને બેઠાં કરવાની, આબાદ કરવાની જડીબુટ્ટી છે. કણ નાશ પામ્ય ધન ક્યાંથી ?” એવી સૂક્તિ મુજબ ઉપર્યુક્ત થયેલા ભ્રષ્ટાચારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy