SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૯ જતા વસાહતીઓને રાહતરૂપે આપવાં. પણ તે સાથે આપત્તિનો સંદર્ભ ન ભુલાય તે માટે આ લોકો પાસે ખેતી કરાવી, તેમના ખાધા-ખોરાકીના અને બિયારણના જથ્થાને બાદ કરીને ધાન્યના બાકીના જથ્થાનો ચોથો ભાગ રાજ્યતંત્રને વેચાણે આપવાની ફરજ તેમના પર નાખવી. (દરેક તબક્કે રાજયના વ્યવહારમાં જળવાતું ન્યાયીપણું કે વાજબીપણું નોંધપાત્ર છે !) આ નિયમમાંથી વનજીવીઓની પેદાશોને અને શ્રોત્રિય(વેદનાં જ્ઞાન અને કર્મોમાં રત બ્રાહ્મણ)ની નીપજોને બાદ ગણીને તેમની સ્વચ્છા હોય તો જ અને તેટલી તેમની પેદાશો જ, તેમને લાભ થાય તે રીતે ખરીદવી. આ બંને વર્ગોની કાઠી (અનુક્રમે પરિશ્રમશીલ અને તપ-પ્રધાન) જીવનશૈલી તરફની અદબ જાળવવા આમ ઠરાવ્યું લાગે છે. આના વિકલ્પ સમાહર્તાના હાથ નીચે કામ કરતા ગોપ, સ્થાનિક વગેરે પ્રાદેશિક અધિકારીઓએ (સંભવતઃ રાજયમાલિકીની જમીનોમાં) ખેડૂતો પાસે ઉનાળામાં ખેતરો ખેતી માટે સજ્જ કરાવવાં અને વાવણીના સમયે રાજય તરફથી ચોક્કસ બિયારણનો જથ્થો ખેડૂતોને આપીને, બિયારણના સરકારી ચોપડામાં તેની નોંધણી કરવી. એ બિયારણના પ્રમાણમાં જે-તે દેશ-કાળના ધોરણ પ્રમાણે ખેડૂતે પાકનો લઘુતમ જથ્થો તો નિપજાવવો જ જોઈએ, નહિતર પાકની થયેલી ઘટથી બમણા પાક જેટલો દંડ ભરવો પડે. થયેલા પાકમાંથી અંગત જરૂરિયાત પૂરતું કે ધાર્મિક હેતુ અર્થે યા ગાય માટે “મૂઠી' (જે તે પ્રયોજન માટે પૂરતા એવા અમુક ચોક્કસ માપ જેટલું ?) શાક કે મૂઠી” દાણા સિવાય ખેતરમાં તૈયાર થઈ ઊભેલા પાકમાંથી ખેડૂતને પોતાની માલિકી માટે વધારે લણણી ન કરવા દેવી. લલા પાકના ઢગલા ઉપાડી લીધા બાદ ઢગલાના તળિયાના બચેલા દાણા વગેરે અંશો ભિક્ષુકો કે ગામના વસવાયાં (ગામમાં વસાવેલાં અને ગામનાં ઉપયોગી પરંપરાગત નિયત કામોની ફરજ બજાવતા પરિશ્રમીઓ) માટે રહેવા દેવા. તે બધું બાદ કરીને પોતાના હાથ નીચેના ખેતરમાંથી લણેલા પાકના ઢગલામાંથી ખેડૂત પોતાને માટે જેટલો પાક ઘરભેગો કરે, તેનાથી આઠગણી નુકસાની તેણે રાજયને ભરપાઈ કરવી. તે રીતે બીજાના ખેતરેથી ઉપાડનાર ખેડૂત પાસેથી પચાસંગણી નુકસાની લેવી, અને ખેડૂત સિવાયની વ્યક્તિ તેમ કરે તો તેનો વધ (!) કરવો. (અહીં અને આ ગ્રંથમાં ઘણાં ખરાં સ્થળોએ એમ સમજી શકાય કે કાગળ પર વધની ખૂબ આકરી સજા લખવા પાછળ ધાક બેસાડવાનો હેતુ રહેતો હશે. બાકી તેનો અમલ ન્યાયાધીશની સર્વાગી વિવેકબુદ્ધિ મુજબ કે જે-તે દેશકાળની સ્થિર થયેલી રૂઢિ પ્રમાણે રહેમથી વધુ હળવી સજા રૂપે કરાતો હશે. “વધની સજા' એવો દેખીતો ફેંસલો અપરાધી પર સામાજિક કલંકની પૂરી સભાનતા જન્માવી તેના મન પર જરૂરી ડારો ઊભો કરી એને ભવિષ્યમાં અપરાધ કરતાં પ્રાયઃ રોકી શકે છે. અલબત્ત, અમુક રીઢા ગુન્ડાઓ માટે તો વધ ખરેખર અમલી બનતો હશે જ.) ખેડૂતો પાસેથી લેવાના વધુ કર અંગે કૌટિલ્ય પાકેલી વસ્તુના સ્વરૂપ મુજબ એ વધારો વધુઓછો લેવા સૂચવે છે. એ જ રીતે વેચાણની ચીજના કે કામગીરીના સ્વરૂપભેદ મુજબ વેપારી પાસેથી જુદા-જુદા પ્રમાણમાં આપત્તિકાળે વધારાનો ભાગ કે કર લેવો. તે જ રીતે “યોનિપોષકો' અર્થાત પશુપાલકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy