SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિંરક્ષકતા આમાંની ત્રીજી સહકારી પદ્ધતિ અંગે સ્પષ્ટતારૂપે કેટલીક વાતો પણ કૌટિલ્યે ઉમેરી છે. તેમાં લાભ પામનાર ગામોના કે વિસ્તારના પ્રત્યેક પરિવારે પોતાના પ્રતિનિધિ દ્વારા પ્રત્યક્ષ કાર્યમાં સાથ આપવાનો રહે છે. જો કોઈ પરિવારનો એક પણ સભ્ય શ્રમમાં સાથ ન આપે, તો તેના સેવકો અને બળદોને તે કામ માટે મોકલવાની ફરજ રહે અને ખર્ચનો ભાગ પણ આપવો પડે; પણ સેતુબંધથી થનારો લાભ તેને ન મળે ! આ છેલ્લી વિગત આકરી અને કદાચ કોઈને અન્યાયી પણ લાગે. આમ કેમ કહેવાયું હશે ? કદાચ કૌટિલ્ય દરેક સ્વસ્થ મનુષ્ય માટે શ્રમનિષ્ઠા આવશ્યક માનતા હોય અને તેના વાસ્તવિક પાયારૂપે તેવી શ્રમનિષ્ઠ વિવિધ તળ પ્રજાઓનાં દૃષ્ટાંતો પણ તેમની સામે તરવરતાં હોય. તળ મુસ્લિમ સમાજોમાં ગરીબ અને નિક પરિવારો વચ્ચે ધાર્મિક આચારો બાબતમાં તેમ જ કેટલાંક સામાજિક પાસાંઓ પરત્વે પણ સમાનતાની કે બિરાદરીની ભાવના જોવા મળતી હોય છે. માણસ ગમે તેટલાં સાધનો કે ધનથી બાંધેલા ચાકરો વસાવે, પણ જો પોતાના અંગત જીવનમાં વાજબી પરિશ્રમને સ્થાન ન આપે, તો તે સમાજ પ્રત્યે જેટલો અપરાધ કરે છે, તેટલો જ જાત પ્રત્યે – દેહ-મનનાં આરોગ્ય પ્રત્યે પણ કરે છે એ સુજાણ વ્યક્તિ તો જરૂર સમજી શકશે. કૌટિલ્ય હાડથી જ (પોતાના અંતર્ગત મૂળ સ્વભાવથી જ) દાસપણું (ગુલામી), વેઠ વગેરે પ્રથાને વ્યક્તિ અને સમષ્ટિ બંને માટે અભિશાપરૂપ સમજી, આપણે આગળ જોઈશું તેમ, તે પ્રથાઓને પાતળી અને નિઃશેષ કરતા જવાના પ્રગતિમાર્ગો શોધતા રહ્યા છે. આખું આ ખેતી અંગેનું પ્રકરણ પણ એ દિશાનું જ છે શ્રમના સામાજિક સમવિતરણની દિશાનું. - અધ્યાય ૪.૨.૨૪માંના સીતાધ્યક્ષઃ (‘ખેતીવાડીના નિયામક') પ્રકરણમાં રાજ્યના ખેતીવાડીના અધ્યક્ષનાં કર્તવ્યો વર્ણવ્યાં છે. તેમાંની, ખેતીવાડીનાં વિવિધ પાસાંઓ અંગેની અનુભવાશ્રિત થોડી, પણ મર્માળી વિગતો એ બતાવે છે કે રાજ્યે પોતે પણ કેવી નિપુણતાથી ખેતી કરવાની છે અને તે દૃષ્ટાંત દ્વારા સમસ્ત રાષ્ટ્રને ખેતીવાડીમાં કેવું ઉમદા નેતૃત્વ પૂરું પાડવાનું છે. સીતાધ્યક્ષ પોતે જે રાજ્યહસ્તકની કૃષિયોગ્ય જમીનોમાં ખેતી ન કરાવી શકે, તે જમીનો, પ્રજામાંથી વિવિધ શરતે ખેતી કરવા તૈયાર થનારા વિવિધ કોટિના ખેડૂતોને કે ખેત-મજૂરોને સોંપીને ખેતી કરાવે તેવો આદેશ છે. આખા અધ્યાયમાં ખેતી પૂરેપૂરી કસદાર થાય તે માટે બીજ-સંગ્રહ, વર્ષાપ્રમાણ સાથે કૃષિ-પ્રકાર આદિનો સંબંધ, આકાશી જ્યોતિઓના આધારે કરવાના વર્ષાના વર્તારા, ખેતીની ઉચ્ચાવચ કોટિઓ, સીંચાઈ-આધારિત ખેતીનો મહિમા, સીંચાઈ-પ્રકાર મુજબના રાજ્યભાગની વિવિધ કક્ષાઓ કે તે મુજબ કરવાની વિવિધ ખેતીની પસંદગી, બીજના પ્રકારભેદ મુજબની વિવિધ માવજતો, ઉત્પન્ન પેદાશોની કુશળ સંચયવ્યવસ્થા એમ કરાયેલી ઘણી વાતો, અર્થતંત્રમાં કૃષિના મહિમાયુક્ત સ્થાનને પણ સ્થાપી આપે છે. - Jain Education International ૧૯૯ સ્થાવર સજીવો (વૃક્ષાદિ વનસ્પતિ-જીવો, જે ધરતી ઉભેદીને અર્થાત્ વીંધીને જન્મનાર તરીકે ‘ઉદ્ભિજ્જ’ કહેવાય છે) કે જીવાણુથી માંડી પશુ-પંખી-મનુષ્યાદિ ‘જંગમ’ (હરતા-ફરતા) સજીવોની પ્રકૃતિને સમજીને અને નવી-નવી રીતે વધુને વધુ સૂક્ષ્મ ધ્યાનયોગથી સમજતા રહીને, અને તે સમજણને સદા વફાદાર રહીને, એ પ્રકૃતિની જ ખિલવટના ભાગ તરીકે કૃષિ અને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy