SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરેલા ગાળા સુધી આપવી. ઋણ સમયસર ચુકવનારને છેવટે થોડી ઋણમાફી પણ આપીને રાજાએ પ્રજા પ્રત્યે પિતા જેવો વત્સલ વહેવાર દાખવવો. કૌટિલ્યની દૃષ્ટિ એવી છે કે ન રાજયને અર્થહાનિ થાય કે ન પ્રજાહિત જોખમાય તેવી સમતોલ નીતિ રાયે રાખવી. વ્યક્તિ અને સમષ્ટિ એ બંને એક સિક્કાની બે બાજુ છે એવી સંગીન સમજણ જ સમાજ અને તેની સંસ્કૃતિને પોષે છે. રાષ્ટ્રની પરિશ્રમતત્પર બહુસંખ્ય ગ્રામ/નગર-વાસી પ્રજા સાતત્યપૂર્વક અને અગવડો સામેના સંઘર્ષમાં થતા પુષ્કળ શક્તિક્ષય વગર, તાલબદ્ધ-લયબદ્ધ રીતે, ભરપૂર કોઠાસૂઝ અને કાર્યાનંદ સાથે રાષ્ટ્રપોષક ખેતી, પશુપાલન, હુન્નરો તથા વેપારમાં રચીપચી રહે તે માટે, આજે જેને પાયાની સગવડોનું માળખું (infrastructure) કહે છે તેવાં પૂરતાં, ઉત્તમ સાધન-સામગ્રીનું અને સમયાનુરૂપ વિશાળ સુવિધાજાળનું ધોરણસરનું નિર્માણ અને તેની નિત્યની પૂર્તિ તથા પૂરતી સાચવણી ને સુરક્ષા કરવામાં જ પ્રજા અને રાજ્યતંત્ર બંનેનો જયવારો છે. એ દૃષ્ટિએ આકાશી ખેતી(જેને કવિવર ભારવિએ ટેવમાતૃકા કૃષિ – દેવોએ પોષેલી ખેતી કહી છે તે)ની આવશ્યક પૂર્તિ માટે સીંચાઈવાળી (પિયતવાળી, મવમાતૃશ) ખેતી પૂરતા વ્યાપ સાથે પોષવા સેતુબંધનું જરૂરી નિર્માણ તે રાજ્યતંત્રનું એક મહત્ત્વનું કર્તવ્ય બની રહે છે. આપણે સમાહર્તા નીચેના વહીવટીતંત્રની ચર્ચામાં જે સાત રાષ્ટ્રીય આવકના સ્રોતો ગણાવેલા તેમાં પણ સેતુબંધની ગણના હોવાનું જોયેલું. સેતુબંધ' શબ્દ અહીં માત્ર પ્રાધાન્યસૂચક હોઈ એમાં “સેતુ (બંધો) ઉપરાંત કૂવા, વાવ, તળાવ, સરોવર જેવાં કુદરતી કે કૃત્રિમ જળાશયોના નિભાવ અથવા અને નિર્માણની વાત પણ સમાઈ જાય. સેતુ-નિર્માણ વહેતી નદીમાં પણ થઈ શકે (જેને કૌટિલ્ય “સો' સેતુ કહે છે) અથવા ચોપાસથી આવતાં વર્ષાજળનાં સંચયથી કે નહેર દ્વારા આણેલા (હાર્ય) સરોવરજળથી પણ થઈ શકે (જેને કૌટિલ્ય મારા સેતુ કહે છે). બીજા પ્રકારમાં વિશેષતઃ પહાડી વિસ્તાર અનુકૂળ પડતો હોય છે. કૌટિલ્ય ક્યાંય ખૂબ વિશાળ મુલ્કને સીંચાઈનો લાભ મળે તે માટે શાખાઉપશાખાઓવાળી નહેરોના સંકુલ જાળ સહિતના બંધોની વાત ઉલ્લેખી નથી, તે પરથી તેમને નાના-નાના બંધો – જેને “બંધારો' યા આજકાલ “ચેકડેમ' શબ્દથી ઓળખવામાં આવે છે તે, યા કવચિત્ મધ્યમ બંધો જ અભિપ્રેત હોવાનું જણાય છે. કૂવા, વાવ, તળાવના નિર્માણની વાત કદાચ એટલે નથી કરી કે તે કર્તવ્યો {પૂર્તમાંનાં ‘પૂર્તરૂપ ધાર્મિક કર્તવ્યોમાં જ સમાઈ જાય છે. આવા બંધોના વ્યાપક મહત્ત્વનું પ્રતિબિંબ એ વાતમાં પડે છે કે કૌટિલ્ય આના નિર્માણ માટે ત્રણ વૈકલ્પિક સામુદાયિક પદ્ધતિઓ ઉલ્લેખી છે : કાં તો સેતુ રાજ્યતંત્ર પોતે બાંધે, કાં તો રાજય દ્વારા પ્રાથમિક સુવિધાઓ(infrastructure)નો ટેકો પામેલું ખાનગી સંગઠન (private sector) બાંધે, કાં તો લોકો પરસ્પરના સહયોગથી તેમ જ સમુચિત તાલીમ અને સંગઠનના બળે ખરેખરા સહકારી ધોરણે બાંધે. આ વિગત – એમાં ય ત્રીજી પદ્ધતિની વાત – સુવિકસિત રાષ્ટ્રવ્યાપી આર્થિક ચેતના અને તે માટેનાં અડીખમ પ્રાણબળ તેમ જ પ્રજ્ઞાબળ સૂચવે છે. સંકલ્પ – અને તે ય રાષ્ટ્રીય કે સામાજિક સ્તરનો – શું ચીજ છે તેની ઝલક અહીં મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy