SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ભ્રષ્ટાચારો રોકવાનું કર્તવ્ય જે-તે તંત્રનું ગણાય. અલબત્ત, તે દરેક તંત્રની અંતર્ગત આવતાં તે-તે મોકાનાં કર્તવ્યોની યોગ્ય બજવણીની વ્યાપક ચોકી (ખબરદારી) સમાહર્તાનાં કર્તવ્યોમાં સમાય જ છે. માણસ, કવિ ખબરદારની ભાષામાં ‘તેજ-અંધારનું પૂતળું' હોઈ, જાગતા રહેવું ને જગાડતા રહેવું તે જ રાજ્યતંત્રનો વ્યાપક ધ્રુવમંત્ર બની રહેવો ઘટે. (૩) અર્થતંત્ર આગલા વ્યાખ્યાનમાં આપણે કૌટિલ્યનું અર્થદર્શન જોઈને એનું હાર્દ સમજેલાં. ખાસ તો ‘ત્રિ-વર્ગ’(ધર્મ,અર્થ,કામ)માં તેમણે કયા તાત્પર્યથી અર્થને પ્રધાન કહેલો તે પણ તપાસેલું . અર્થાત્પાદનનો પ્રજાજીવન સાથેનો તેમણે ચીંધેલો અદબભર્યો અનુબંધ (સંબંધ) પણ જોયેલો. ‘અર્થ ખાતર અર્થ' એવું વિપરીત દર્શન કૌટિલ્યમાં હોવું મૂળથી જ અશક્ય હતું. શંકરાચાર્યની વ્યવહારુ ચેતવણી મુજબ અર્થ અનર્થરૂપ પુરવાર થઈ શકે એમ છે તે વાત પણ કૌટિલ્ય બરાબર સમજતા હતા. ગ્રંથના આરંભે ચાર વિદ્યાઓનાં ફલ નિર્દેશતાં ‘વાર્તા’-વિદ્યાથી અર્થ-અનર્થનો વિવેક ખીલે છે – એવું જે કહ્યું છે તે તો પ્રાયઃ દુન્યવી સ્થૂળ ગણતરીના અર્થમાં સમજવાનું છે. પરંતુ બાકીની ત્રણે ય વિદ્યાઓનાં ફલનાં બળાબળ જાણનાર ‘આન્વીક્ષિકી’-વિદ્યા તે વાર્તા-વિદ્યાજન્ય અર્થ-અનર્થવિવેકને પણ ઉચ્ચતર કસોટીએ ચઢાવી ઉચ્ચતર સત્યરૂપ અંતિમ નિર્ણય કરાવી આપે છે તે પણ કૌટિલ્યે કહેલું છે. આમ અર્થ વિષે સમજણની કોઈ ભ્રાંતિ કે કોઈ ગેરવાજબી અપેક્ષા ગ્રંથકારે બરાબર ટાળી દીધી હોઈ અર્થનું જે વાજબી મહત્ત્વ છે એ બાબતમાં તેમની દૃઢ નિષ્ઠા (પાકી લગન) બંધાઈ છે. તેથી તેનાં ઉત્પાદન, રક્ષણ, વૃદ્ધિ, વિતરણ ઇત્યાદિ બાબતો માટેની પૂરતી ચુસ્ત વ્યવસ્થાઓ બતાવી છે. વળી પરંપરાથી ‘દંડનીતિ’ તરીકે ઓળખાતી વિદ્યાને ‘અર્થશાસ્ત્ર' એવું હેતુલક્ષી ભાવાત્મક નામ આપવા દ્વારા પણ તે વિદ્યાનું છેવટનું ઉપાસ્ય તત્ત્વ અર્થ (જીવનસાધક ચીજો) હોવાનું બતાવ્યું છે. ૧૮૯ ‘મનુષ્યવાળી ભૂમિ તે અર્થ' એવી વેધક, સમગ્રલક્ષી વ્યાખ્યા દ્વારા આ લોકને સુખશાંતિદાયક કે નંદનવન સમાન બનાવવા માટે બે મૂળરૂપ તત્ત્વોની સમાન ઉપાસનાની આવશ્યકતા ચીંધી છે ભૂમિ અને મનુષ્ય. ભૂમિને ‘વસુમતી’ (સંપત્તિયુક્ત) કે ‘વસુંધરા’ ‘વસુધા’ (સંપત્તિ ધારણ કરનારી) તરીકે અનુભવવા માટે મનુષ્યની વૈવિધ્યપૂર્ણ હેતુલક્ષી સક્રિયતા આવશ્યક છે એ વસ્તુસ્થિતિ, મહત્ત્વની આડપેદાશ તરીકે, માનવનાં તન-મનની સહજ સ્વસ્થતાનું પણ અનાયાસ પ્રદાન કરે છે. આનો ચોખ્ખો અર્થ એ પણ ખરો કે મનુષ્ય રાજ્યતંત્રનો ઉપાસ્ય દેવ ગણાય રાજ્યતંત્રના પોતાના અંગત સ્વાર્થની સિદ્ધિ અર્થે પણ. આજે મનુષ્યની કેળવણી માટેના સરકારી ખાતાને ‘કેળવણી-ખાતું' ન કહેતાં, એક ઘણું જ અનુરૂપ નામ આપ્યું છે, જે મનુષ્ય તરફના કૌટિલ્યના વલણને બરાબર વ્યક્ત કરે છે : ‘માનવ-સંસાધન-વિકાસ-ખાતું’ (Human Resource Development ટૂંકમાં H.R.D. Department). આમાં માનવને રાષ્ટ્રની Jain Education International — For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy