SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૫ આગવી ભાત સાથે પ્રવર્તતા વિવિધક્ષેત્રીય વ્યવહારોને આપણે અહીં પૃથક્કરણ કર્યા મુજબના અંતઃસત્ત્વવાળી સંસ્કૃતિ તરીકે જોઈએ. અહીં વિવિધ તંત્રોની માત્ર સ્થળ માહિતીનો નીરસ ગંજ ખડકવો નથી, પણ એવી માનવાચિત સંસ્કૃતિની ઝલક મેળવવી છે, કે જે આત્મસાક્ષાત્કાર કરાવી ‘નિઃશ્રેયસ' (જનાથી વધુ ઉચ્ચ અવસ્થાની ઝંખના ન રહે તેવી મુક્તિ) સુધીનો સમગ્ર માર્ગ ખુલ્લો કરી આપે, તેમ જ આજે આપણે જે કાળબિંદુએ ઊભાં છીએ, તેમાં આધુનિકતાના ભ્રમને વશ થઈ જે કહેવાતી સંસ્કૃતિની બોલબાલા થાય છે, તેને ટકાઉ રીતે માપવા-મૂલવવાનો એક વિશ્વાસપાત્ર, સ્થિર માપદંડ આપણને આપે અને ભવ્ય કહેવાતી આ આધુનિક “સંસ્કૃતિને ખોળે જે વિસ્ફોટક, સર્વવિનાશક સમસ્યાઓ, વિષમતાઓ બેઠી છે, એમાંથી ઊગરવાનો ચોખ્ખો રાજમાર્ગ આપણને બતાવે. આ વ્યાખ્યાનશ્રેણી દ્વારા માનવને કાયમ સદે એવી સંસ્કૃતિની ભૂખ જગાડી શ્રોતાઓની અને તેમના દ્વારા વ્યાપક સમાજની ચેતનામાં “સંવેગ' (અમંગળમાંથી છોડાવે તેવો વૈરાગ્યજન્ય આધ્યાત્મિક વેગ, તેવી આધ્યાત્મિક સક્રિયતા) પણ જગાડવાનો વ્યાખ્યાતાનો એક નાનો-અમથો અનાસક્ત પ્રયત્ન છે. એ પણ સ્પષ્ટ કરવું ઘટે કે જે રાજ્યતંત્રનાં વિવિધ પાસાંની કે તંત્રોની સંસ્કૃતિરક્ષક હેતુલક્ષિતાનું વર્ણન અહીં કરવા ધાર્યું છે, તે કોઈ આધ્યાત્મિકતાનો દાવો કરનારું રાજ્યતંત્ર નથી જ નથી. દેખાવે તો તે લૌકિક જ છે. તેમાં મનુષ્યોને અનેક રીતે નિયંત્રિત કરનારું સુ-વિશાળ નિયમ-જાળ છે. અનેક સ્થળે, રાષ્ટ્રમાં પેધી પડેલી પેચીદી સમસ્યાઓ ઉકેલવા માટે યોજવાના હિંસક, પ્રપંચી લાગતા વિવિધ ઉપાયોની પણ ભલામણ છે. અટપટી પરદેશનીતિની, યુદ્ધનીતિની વ્યવહારુ, વિજયલક્ષી વાતો છે. વળી આ ગ્રંથમાં વ્યક્ત રીતે તો કૌટિલ્ય મોક્ષ સિવાયના બૌદ્ધિક ત્રણ પુરુષાર્થો જ – ધર્મ, અર્થ, કામ – ઉલ્લેખ્યા છે. આમ છતાં, આગલા વ્યાખ્યાનમાં જે વિવિધ દાર્શનિક ભાવનાઓ કે રટણાઓ વર્ણવી છે, તેમનો પ્રભાવ રાજા, તેના સમગ્ર તંત્ર તથા છેવટે પ્રજાસમૂહ પર પણ અવશ્ય પડે છે. માનવજીવનની પાયાની સ્થાયી ઉન્નતિ સાધે તેવી સંસ્કારિતાનો ખટકો રાજાને અને તેના જીવંત અધ્યક્ષપણાને લીધે રાજ્યનાં વિવિધ તંત્રોનો કારોબાર સંભાળનાર કર્મશીલોને, સતત અને સવિશેષપણે, કોઈ પણ નિર્ણયના અને કાર્યવાહીના પ્રસંગે એકંદરે રહે છે. તેને લીધે શ્રદ્ધાપ્રધાન, ઉદ્યમતત્પર એવી લચીલી આમપ્રજાને તો મનગમતો જીવનમાર્ગ પણ મળી જાય. આમાં રાજાને પક્ષે, વધારામાં તેનો દર્શનશાસ્ત્રનો જીવંત પરિચય પણ નિત્ય ઘણો ઉપકારક બની રહે છે. એ રીતે સર્વ ઉદ્યમોની પાર્શ્વભૂમિકારૂપે અહીં મોક્ષરૂપ ચોથા ધ્યેય તરફ પણ આદર અને રુચિ પેદા થઈને સતત જળવાઈ રહે છે. “આ આખું [અર્થ-]શાસ્ત્ર એટલે ઇન્દ્રિયજય” આવું હિંમતભર્યું, ચોખું, નિઃશંક વિધાન ગ્રંથના આરંભે છઠ્ઠા અધ્યાયમાં કૌટિલ્ય કરી શક્યા છે તે નાની-સૂની ઘટના નથી. એ આદેશરૂપ વચન નથી, પણ માનવની મૂળ, સહજ પ્રકૃતિનું ગ્રંથકારે કરેલું તટસ્થ દર્શન છે. હાડના સંયમ સહિતનો વિનય (સંગીન તાલીમ) પામેલો ઉચ્ચતમ અધિકારીગણ અને તેના વિશ્વાસે નીચેનો બહુસંખ્યક કાર્યકરગણ આખા રાષ્ટ્રમાં કેવી નીતિનિષ્ઠા અને કાર્યનિષ્ઠા પાકે પાયે સાતત્યથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy