SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૩૧ માત્ર અવિચારી ઝનૂન, દૈષ કે પ્રાણબલ પર ચાલે છે, ન તો મિથ્યાભિમાન પર ચાલે છે. એ ચાલે છે પ્રજ્ઞાબલની રાહબરીમાં દેવ-કૃત લાભ-અલાભ, જય-પરાજય જેવાં કંકોના નમ્ર કે ખેલદિલીભર્યા સ્વીકાર દ્વારા. હા. એમાં સતત આત્મગૌરવ જાળવવાનું છે. પોતાનાં “ક્ષય’ કે ‘સ્થાન' (સામાન્ય સ્થિતિ) છેવટે “વૃદ્ધિ'-ગામી બને તેની ખાંખત રાખવાની છે; પણ અધીરાઈ, ઉતાવળ કે મિથ્યાભિમાન સેવવાનાં નથી. ‘પંચતંત્ર'માંના એક શ્લોકવાક્ય મુજબ તેમાં “કુશળ યુદ્ધ પણ અપનાવાય છે, તો પ્રસંગે કુશળ પલાયન પણ !” (સુયુદ્ધ સુપલાયનમ્ I) એમાં નથી નિષ્ક્રિય પ્રજ્ઞાબળ કે આંધળું આત્મઘાતક પ્રાણબળ. રાજનીતિ ટકે છે આ બંનેના કાર્યસાધક સમન્વયથી. ટૂંકમાં, આ આખી પવિધ રાજનીતિ ક્ષત્રિયના રાગદ્વેષમુક્ત કે અનાસક્ત સ્વધર્માચરણરૂપ જ છે. ‘‘ગામ વચ્ચે રહીએ, તો થાય એવા થઈએ” એ સહજ લૌકિક ન્યાય એમાં કર્તવ્યરૂપે જ અનુસરાય છે. રાષ્ટ્રવાસી પ્રજાઓની શરીરયાત્રા માટેની અનિવાર્ય રાષ્ટ્રીય મૂડીને કીમતી થાપણ જેમ ઉત્કટ ધર્મબુદ્ધિથી સાચવવાની હોઈ એ મૂડી (સાધનો) ન જ જોખમાય તેવું નિત્યનું જાગરણ કરવાનું છે. એટલે વ્યક્તિગત જીવનમાં શક્ય એવાં અહિંસા, ક્ષમા, ત્યાગ જેવાં મૂલ્યો રાજનીતિમાં તે જ રૂપે અપનાવવામાં ધર્મ નથી. અલબત્ત, એ લૌકિક હિતો સરવાળે વધુ સારી જાળવણી ને વૃદ્ધિ પામે તેવા ઘેર્યાદિ ગુણો રાજનૈતિક ઔચિત્ય મુજબ અપનાવવામાં દોષ નથી જ. એવી સ્થિતિમાં પ્રજાને કષ્ટો વેઠવાં પડે તો પણ એમાં પ્રજાને બરાબર હૂંફ આપવાની છે અને એમની પૈર્યયાત્રા બરાબર ચાલે તે માટે એમને શક્ય રાહતો પૂરી પાડવા પણ મથવાનું છે. આમાં ‘વિગ્રહ’ અને ‘યાન” એ બે ગુણો વચ્ચેનો ભેદ થોડું સ્પષ્ટીકરણ માગે છે. વિગ્રહની વ્યાખ્યા ‘અપકાર' શબ્દથી અને યાનની વ્યાખ્યા “અમ્યુચ્ચય' (સંન્યાદિ સર્વ સાધનોની સંપન્નતા અને સજ્જ સ્થિતિ) શબ્દથી આપી છે. આથી એમ કહી શકાય કે વિગ્રહ શત્રુ તરફના વિશિષ્ટ અભિગમરૂપ છે, યાન વિજયસજ્જતારૂપ. વિગ્રહની સ્થિતિમાં પોતાની દંડાદિશક્તિ પૂરી સજ્જ ન હોઈ પોતાના તરફ વેર સેવતા સામા રાજ્યને ચાહીને આડકતરી રીતે (કોથળામાં “પાનશેરીની ઢબે) જુદી-જુદી રીતે હાનિ પહોંચે યા એને ટેકો ન અપાય તે રીતે વર્તવાનું મુખ્ય છે. તેના કોઈ ને કોઈ હીન રાજનૈતિક વલણ-વર્તનના સંદર્ભે તેને ભીંસમાં લેવા માટે જ તેના પ્રત્યે આવો વિગ્રહ નિભાવવાનો છે. બીજી બાજુ, જયારે શત્રુ જોખમી બની યુદ્ધ માટે તોળાયો હોય, યા બીજી રીતે ઉચ્છેદયોગ્ય હોય તે સ્થિતિમાં, યુદ્ધ માટે પોતાની પૂરી સજ્જતા (કમ્યુવી) જોઈને, દેશ-કાળની યોગ્યતા મુજબ વિધિપૂર્વક કર્તવ્યબુદ્ધિથી યુદ્ધપ્રયાણ પણ કરવાનું હોય છે. તે છે ‘યાન'. પાગુષ્યના દાવ-પેચનાં વર્ણનો પરથી એવું તારવી શકાય છે કે સંધિ, આસન કે સંશ્રય જેવો શમપ્રધાન ગુણ અપનાવતાં પણ સ્ટેજે ગાફેલિયત ન પોષાય, સામાનો અતિવિશ્વાસ ન કરાય કે સ્વરાષ્ટ્રને સરવાળે હાનિ ન થાય તેમ સ્વકેન્દ્રી રીતે જ વર્તવાનું છે; ભાવુકતાથી તણાવાનું નથી. વિશ્વાસનો દેખાવ કરીને પણ માનેલા મિત્ર કે આશ્રયદાતાને, પોતાની ગરજ મટતાં, સહસા છોડી દેવાનો છે. લાગ જોઈને અન્યાયી શરતી સંધિઓનો પણ ભંગ કરી પોતાના સ્વાર્થને થતી હાનિ અટકાવવાની છે. આવું સ્વાર્થપ્રધાન વર્તન, ખરેખર તો રાજનૈતિક ક્ષેત્રનું લૌકિક સ્વરૂપ સમજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy