SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૨૯ પ્રથમ વ્યાખ્યાનમાં ઉલ્લેખ્યા મુજબ અધ્યાય રૂ.૪ના સૂત્ર ક્ર. ૫૪થી ૬૦માં કૌટિલ્ય પૃથ્વીજય'ની અવનવી – કંઈક તરંગી લાગે તેવી – વાત સાવ સંક્ષેપમાં નિર્દેશી છે. એમાં પૃથ્વીજયની ચાર વૈકલ્પિક રીતો ઉલ્લેખી છે. એ ચર્ચામાં કૌટિલ્યને મુખ્યત્વે આ સમસ્ત રાજમંડલ પરનો “જય’ – એક પ્રકારનું ગરવું, સર્વહિતકર અધિરાજત્વ, મોવડીપણું – અભિપ્રેત જણાય છે. તેના પ્રથમ પ્રકારમાં રાજમંડલમાંની સમસ્ત “અરિપ્રકૃતિને (બધા બરોબરિયા શત્રુઓને) જીતી લીધા બાદ, જેમના જયમાં રાજપ્રતાપની અસાધારણતાનો ખપ પડે તેવી મધ્યમ અને ઉદાસીન રાજપ્રકૃતિઓને જીતવાની વાત છે. (રાજમંડલમાં ગણાવાતા રાજપ્રકારો ભિન્ન-ભિન્ન પ્રકૃતિઓ અર્થાત રાજકીય તાસીર ધરાવતા હોઈ એમનો ઉલ્લેખ પણ “પ્રકૃતિ' શબ્દ દ્વારા થતો હોય છે !) મધ્યમ રાજા શત્રુ કે મિત્ર બંને “પ્રકૃતિ' તરફ યથેચ્છ સરસાઈ ભોગવતો હોય છે. શત્રુ ને મિત્ર એક થયેલા (સંહત) હોય કે અળગા (કે વિરુદ્ધ) (સંત) હોય; તે બંને સ્થિતિમાં બંને પર અનુગ્રહ (ઉપકાર) કરવા સમર્થ હોય છે અને બંને પરસ્પર શત્રતા(અસંહતપણા)ની સ્થિતિમાં હોય ત્યારે બંનેના નિગ્રહ (નિયમન) માટે પણ સમર્થ હોય છે (૬.૨૨). આવા સમર્થ મધ્યમ રાજાને પણ વિજિગીષએ બધી અરિપ્રકૃતિ પર જય સાધ્યા બાદ જીતવાનો છે. તેથી પણ વધુ સમર્થ – સહુથી સમર્થ – રાજા ‘ઉદાસીન પ્રકૃતિ' તરીકે ઓળખાય છે. તે શત્રુ, મિત્ર કે મધ્યમ પ્રકૃતિથી “પર” – ચઢિયાતો અને તેથી તે બધા બાબતે નિર્ભય અને બેતમા – બની રહે તેવો બલવત્તર હોય છે. વળી એ બધી પ્રકૃતિ એક થયેલી (સંત) કે ફાટ-ફૂટવાળી (સંત) હોય ત્યારે એ દરેક પર અનુગ્રહ કરવા સમર્થ હોય છે અને એ બધા પરસ્પર શત્રુતામાં હોય ત્યારે એ દરેકનો નિગ્રહ કરવા સમર્થ હોય છે (૬.૨.૨૨). આવી જબરી ઉદાસીન પ્રકૃતિને પણ જો વિજિગીષ જીતે તો તે પ્રથમ પ્રકારનો ( શ્રેષ્ઠ ) પૃથ્વીજય કરનાર સિદ્ધ થાય છે. એ ધ્યાનમાં રહે કે આ પૃથ્વીજય તે રાજપ્રતિભાના ઉત્કર્ષ થકી અર્થાત્ નૈતિક (સાંસ્કારિક) અને રાજનૈતિક બંને પ્રકારના સામર્થ્યના ઉત્કર્ષ થકી સિદ્ધ થનારો ઉત્કૃષ્ટ ધર્મવિજય સમજવાનો છે. એનાથી સરવાળે તો વિશાળતમ માનવસમૂહમાં બંધુત્વના કે રચનાત્મક રાજકીય મૈત્રીના અસાધારણ વિકાસનો માર્ગ મોકળો બને છે. ધર્મશાસ્ત્ર જેને ધર્મરૂપ માને તેવો આ વિજય છે. (પૃથ્વીજયના બાકી ત્રણ પ્રકાર એ મર્યાદિત પરિસ્થિતિમાં સધાનારા મર્યાદિત પૃથ્વીજયરૂપ હોઈ, અત્રે ઉલ્લેખનીય ગણ્યા નથી.) આ રીતે કૌટિલ્ય અધ્યાય ક્ર. ૬.રમાં (પરદેશનીતિના વિભાગના આરંભે) સમસ્ત રાજમંડલની રૂપરેખા આપીને એ જ વિભાગના અંતિમ અધ્યાય રૂ.૪માં ઉપર નિર્દેશેલી પૃથ્વીજયની માર્મિક વાત કરી છે, તેથી સુજ્ઞજનોને આખી રાજમંડલની વિભાવના માનવસંસ્કૃતિની દષ્ટિએ મૂલ્યવાનું લાગ્યા વગર રહેતી નથી. આને કારણે આપણે એવા વિશ્વને ઝંખતા થઈએ છીએ, જેમાં આત્મજય અને પૃથ્વીજય તે એક જ સિક્કાની બે બાજુ હોય, અર્થાત્ એકની સિદ્ધિમાં બીજાની પણ સિદ્ધિ થઈ જાય. પ્રબુદ્ધ વિશ્વરાજકારણની આ વાત છે; ભલે આજે માનવ-જાત એનાથી સાવ બીજા છેડાનું રાજકારણ જોઈ રહી હોય. અર્થશાસ્ત્રમાંના આ બીજા વિભાગમાં તાત્ત્વિક રીતે સૌથી મૂલ્યવાનું અધિકરણ છે સાતમું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy