SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ છે – શત્રુ પર વિજય. જો ધરતી પર “શત્રુ' કહી શકાય એવી કોઈ હસ્તી ન હોય તો “વિજિગીષ' બિરુદ પણ ન સંભવે. કદાચ કોઈ રાજા કે રાષ્ટ્ર પોતે સામે ચાલીને કોઈ અન્ય રાજા કે રાષ્ટ્ર સાથે શત્રુતા ન દાખવે, તો પણ એ સામી વ્યક્તિ કે સામું રાષ્ટ્ર પોતાના પૂર્વગ્રહો કે અન્યાયી સ્થાપિત હિતોને વશ થઈને એકતરફી (unilateral) શત્રુતા દાખવી શકે. એ સ્થિતિમાં નિરુપદ્રવી રાષ્ટ્ર એવા અકારણ શત્રુને પણ શત્રુ તરીકે સ્વીકાર્યા વિના છૂટકો નથી. રાજકીય ક્ષેત્રમાં આવી શત્રુતાનું પહેલું કારણ મુલ્કવિસ્તારની મહત્ત્વાકાંક્ષા છે. આથી જ સરહદી રાષ્ટ્ર કોઈ પણ રાષ્ટ્ર માટે સહજ શત્રુ બની રહે છે. હવે એ સરહદી રાષ્ટ્રની પોતાની સરહદે આવેલું, પણ પ્રથમ રાષ્ટ્રની સરહદથી દૂર હોય તેવું રાષ્ટ્ર એ સરહદી રાષ્ટ્રનું શત્રુ ઠરે – ઉપર કહેલા નિયમ મુજબ. તો “શત્રુનો શત્રુ તે મિત્ર' એ લૌકિક ન્યાયે પ્રથમ રાષ્ટ્ર માટે તે મિત્ર ગણાય. એમ સીધી એક રેખા પરનાં રાષ્ટ્રો ક્રમશઃ શત્રુ-મિત્ર-શત્રુમિત્ર-મિત્રમિત્ર ઇત્યાદિ સ્વરૂપનાં બની રહે. દેખીતી રીતે તો આ સ્થળ તર્ક પર આધારિત યાંત્રિક વર્ણન લાગે. પણ જયાં અજાણ્યાપણું હોય અને એવા અજાણ્યાનો તટસ્થ પરિચય કેળવવાની નિર્ભયતાનો કે ઉદ્યમભરી હિંમતનો અભાવ હોય, ત્યાં માત્ર અજાણ્યાપણાને આધારે જ શત્રુત્વશંકા યાંત્રિકપણે રૂઢ બને અને પછી વ્યવહાર પણ એ પ્રમાણે જ ગોઠવાય. એ ન્યાયે જ પ્રાચીન રાજનીતિશાત્રે સરહદની પડખેથી શરૂ થતી રાજયાંતરોની પરંપરાની સંભવિત મનોવૃત્તિ આવી ઊલટસૂલટ હોવાનું સ્વીકારીને, તે રીતે દરેક રાષ્ટ્રને પોતાની પરદેશનીતિ ઘડવા સાવચેત કર્યું. વળી જ્યારે સરહદની એક બાજુએ કોઈ રાજય પડોશી સાથે યુદ્ધમાં સંડોવાયું હોય, ત્યારે તેનાથી ઊલટી દિશાની સરહદે આવેલું કોઈ રાજ્ય એની મજબૂરીનો સંજોગ જોઈને એને આક્રમણથી યા અન્ય રીતે પીડવાની ચેષ્ટા કરી શકે છે. તો વળી એની પણ પેલી પારનો પડોશી પ્રથમ રાષ્ટ્રનો મિત્ર બની એની આ ભીડ ભાંગવા પોતાના ય સહજશત્રુરૂપ પેલા પાછલા આક્રમકને પીડીને આક્રમણ કરતો રોકી શકે. આવી રીતે પૂંઠે આક્રમણ કરનારને પાણિગ્રહ (પૂંઠ પકડનાર) અને એને સીધો કરનારને મોન્ટ (મિત્રના શત્રુ સામે અવાજ ઉઠાવનાર') કહે છે. પાછો એને સીધો કરનાર હોઈ શકે છે પાષ્ણિગ્રાહનો મિત્ર એવો બન્દાસાર (પેલા અવાજ ઉઠાવનારને ભીડાવીને નિષ્ફળ બનાવનાર; નાસાર એટલે હુમલો કરનાર). આવી શત્રુતા કે મિત્રતા હાલતાં ને ચાલતાં આચરાય એવું તો ન જ સમજી શકાય; કારણ કે ભ ટૂંડા થવું પણ સહેલું નથી ! માત્ર આવી શક્યતાની કાયમી સભાનતા રાખીને કોઈ પણ રાજ્યતંત્રે પૂરા સજ્જ રહેવું, જેથી રાષ્ટ્રના આંતરિક વિકાસમાં અણધારી બાધા ન આવી પડે – એ વાત અહીં પ્રસ્તુત છે. યુદ્ધ વખતે જો સરહદ પરના એક ભાગ પર જ મોટા ભાગનું સૈન્ય કાર્યરત હોય તો ઉપર કહ્યું તેમ પાણિગ્રાહના આક્રમણની શક્યતા રહે છે. તે ઉપરાંત ખુદ સ્વરાષ્ટ્રમાં અસંતુષ્ટ કે બળવાખોર તત્ત્વો મુખ્યત્વે રાજધાનીમાં યા ક્વચિત્ રાજ્યના અન્ય ભાગમાં બળવો કરે છે, જેને “અન્તઃકોપ' (આંતરિક વિદ્રોહ) કહે છે. આ માટેની સાવચેતી અને અનુરૂપ પ્રતીકારની જોગવાઈ રખાઈ હોય તો રાષ્ટ્ર ભારે મોટી બેહાલીમાંથી બચી શકે એ માટે પણ ઉપર્યુક્ત ચર્ચા ઉપકારક બને છે. બાકી તો આજના યુગના યાંત્રિક-આદિ વિકાસે રચનાત્મક અને મૈત્રીપ્રધાન રાજનીતિની નૂતન સંભાવના ચોક્કસ ઊભી કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy