SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ મુખ્યત્વે આવતીયસત્ એ બારમા અધિકરણમાં કરી છે, તે તો લૌકિક સ્તરની છે. એમાં કોઈ આકાશમાંથી અચાનક ઊતરી આવીને સંકટગ્રસ્તને તારે છે એવી કોઈ વાત નથી. એમાં મનુષ્યયન, ઈશ્વરકૃપા' એ વચનના પણ પૂર્વાર્ધની જ વિગતો રાજનૈતિક ક્ષેત્રના અન્વયે આપી છે. ચર્ચા નર્યા બૌદ્ધિક સ્તરની હોઈ એમાં ઈશ્વરકૃપાનો કોઈ સધિયારો આપવામાં ગ્રંથકાર પડ્યા નથી. અલબત્ત, એવી શક્યતાનો કોઈ વિરોધ પણ એમણે નથી કર્યો. સૃષ્ટિમાં પડેલા બેઠા ઔદાર્યમાં તો કૌટિલ્ય જરૂર શ્રદ્ધા ધરાવે જ છે. કૌટિલ્ય તો ભક્તિના પાયાના લક્ષણ તરીકે, મનુષ્ય સંકટ સમયે પોતાની પ્રકૃતિદત્ત બધી જ શક્તિનો ઉપયોગ આળસ, પ્રમાદ, ભય કે અશ્રદ્ધાને વશ થયા વગર કરી છૂટવું અને ફળ બાબત અનાગ્રહી બની રહેવું – એ ગીતા-પ્રતિપાદિત મનોવૃત્તિને જ પુરસ્કારે છે. બારમા સાવિત્નીયસમ્ અધિકરણનો આવો સારાંશ ધ્યાનમાં લેવો જોઈએ. પ્રથમ વ્યાખ્યાનમાં આખા ગ્રંથની અધિકરણવાર સામગ્રીનો સાર ઠીક-ઠીક વિગતે આપ્યો જ છે, તેમાંની આ અધિકરણ અંગે આપેલી વિગતો ધ્યાનમાં લેવી જોઈએ. એનું અત્રે સંક્ષેપમાં પુનઃકથન કરવું તે અભ્યાસીઓ માટે વધુ સગવડભર્યું બની રહેશે. એમાં આખી મથામણનો પાયો બતાવવો હોય તો તે છે અડગ આત્મગૌરવ, આત્મવિશ્વાસ અને બુદ્ધિબળનો સર્વાગી અને એકાગ્ર એવો ઉપયોગ. શત્રુનાં પાકાં સામર્યો અને પાકાં અસામર્થોના વિસ્તૃત જ્ઞાન પર પોતાનું સમગ્ર પૌરુષ પ્રયોજવાનું છે. તે માટે રાજાએ પોતાનું અને મંત્રીઓનું સજ્જ જ્ઞાનબળ વિશ્વાસ્ય ગુપ્તચરતંત્રની પૂરેપૂરી સક્રિયતાના સાથમાં, પ્રત્યેક પગલે સાવધાની રાખી પ્રયોજવાનું છે. ઉચ્ચતમ બુદ્ધિબળ એકરસ રાજયતંત્રને એવો અડીખમ આત્મવિશ્વાસ આપે છે કે જેથી શત્રુના બધા પ્રખર પ્રયત્નો, ઉધામા કે ધમપછાડાઓ વચ્ચે ક્ષોભ કે કંપ વિના તંત્ર શત્રુ સામે ધર્મ અને હિંમત જાળવીને વધુમાં વધુ ઝીંક ઝીલી શકે છે, રમત રમી શકે છે અને સંજોગાનુસાર પૂરા પરાજયની ઘડી આવે તો રાજા તંત્રને, નિકટતમ સાથીઓને કે છેવટે નરી પોતાની જાતને સમેટી લઈને કેવળ પોતાના આંતરિક ખમીર કે ધિંગા આત્મબળને આધારે ઊજળા ભવિષ્યનો માર્ગ ખુલ્લો રાખી શકે છે. પોતાના સ્થળ અતિ-બળની સાચી કે ખોટી ધારણા કરીને અભિમાનમાં ઝૂમતા શત્રુમાં – એને પોતાનામાં અને એના તંત્રમાં – અનેક શિથિલતાઓ અને વ્યસનોનો પ્રવેશ શરૂ થઈ જ જતો હોય છે તેવું બરાબર સમજીને નબળો પણ જાગૃત રાજા અને તેનું વફાદાર તંત્ર, શત્રુ પોતાના પરના શક્ય આક્રમણમાં વિલંબ કરવા મજબૂર કે શિથિલ બને એવી અનેક ચતુર યુક્તિઓ કરે છે. આત્મવિશ્વાસ ભલ-ભલી પરિસ્થિતિમાં રસ્તાઓ બતાવી શકે છે. દૂતો દ્વારા સંધિઓ કરવાના દેખાવો કરવા, શત્રુ અનેક રીતે ડરી જાય એવી વાતો વહેતી કરવી, બનાવટી મંત્રણાઓ રૂપ મંત્રયુદ્ધ ચલાવવું – આવા બધા નરવા બૌદ્ધિક પ્રયત્નો એ નિર્દોષ અને અહિંસક એવો પ્રાથમિક તબક્કો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy