SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૧૧૭ બલ વિષેની ઉક્ત ચર્ચા એ સૂચવે છે કે સર્વાગી જીવનસિદ્ધિ માટે મનુષ્ય બલ સિવાયની બાધા-આંતર બંને પ્રકારની જીવન-વિધાયક શક્તિઓની ખોજ એકાગ્રપણે નમ્રતા અને આત્મવિશ્વાસ એ બંને કેળવીને કરવી રહી. અને એ ખોજ સફળ પણ બને જ છે. હા, આમ કરવામાં બલનું જે નિશ્ચિત મહત્ત્વ છે તેને પણ અવગણવું નહિ, અને તેથી બલની પ્રાપ્તિના પ્રમાણસરના પુરુષાર્થમાં પણ પ્રમાદ ન કરવો – જેથી દુનિયાદારીમાં મનુષ્ય પ્રમાદને કારણે જ પાછો ન પડે. એથી તોપનિષમાં સાવધતાથી આમ પણ કહ્યું છે : “જીવનમાં બળને અવગણનારા દ્વારા પણ આ આત્મા પ્રાપ્ત થતો નથી.” બાકી સરવાળે જગત-ઇતિહાસ તપાસવામાં આવે, તો વખતે બળમાં પાછી પડતી, પણ આત્મસંયમ કે આત્મશક્તિની પૂર્વભૂમિકાને લીધે સૂક્ષ્મતર સામથ્ય-કૌશલો અને એકંદર સૌભાગ્ય ધરાવતી પ્રજાઓની વિજયગાથાઓ એમાંથી મળી રહે – જેમ કે આધુનિક ભારતના સ્વાતંત્ર્યપ્રાપ્તિ-પુરુષાર્થની અને લોકોત્થાનના અનેક પાયાના પુરુષાર્થોની ગાથા. કેટલીક વાર તો સત્તાધારીઓના પક્ષે ખરું બળ નહિ, પણ પોતાનું નરદમ નમાલાપણું અમુક સમય પૂરતું છૂપાવે તેવું શસ્ત્રબળ, યંત્રબળ અને શોષણની મજબૂરીમાં ધંધવાતા સૈનિકોનું ભ્રામક સૈન્યબળ જ હોય છે એ વાત ગાંધી-પ્રેરિત આધુનિક પ્રજાઓ બરાબર સમજતી થઈ છે. એક અંગ્રેજી કહેવત છે : Nature abhors superlatives (‘પ્રકૃતિ શ્રેષ્ઠતાના દાવાઓને ફગાવી દે છે”). એ ન્યાયે બળ કે શક્તિનાં બણગાં ફૂંકનારાથી ડરી ગયા વગર, પોતે સમજણભરી પૂર્ણ નમ્રતા અને આત્મશક્તિ ધારણ કરીને મનુષ્ય પોતાની શરીરશક્તિ અને પ્રાણશક્તિ ઉપરાંત મનોમય, વિજ્ઞાનમય અને આનંદસમાધિરૂપ શક્તિઓની એકાગ્ર ખોજ ચાલુ રાખવી અને સાથોસાથ ખીલેલી શક્તિઓને કાર્યસિદ્ધિ માટે નિપુણતાથી અને એકાગ્રતાથી પ્રયોજતા રહેવું. ‘દુનિયા સૂતી હૈ – યુવાનેવાતા દિ’ એ વાત કાયમી વરદાન તરીકે સૃષ્ટિમાં ઊભી છે. એ પણ અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે બળ સિવાયનાં સામથ્ય-કૌશલ્યો થકી થતી વિજયની ખોજ સરવાળે આયાસ, સંઘર્ષ અને ક્ષય-વ્યયને ઘટાડવાની શક્યતા પણ ચોક્કસ વધારે છે. એથી સામ-સામે આવી ગયેલા બંને પક્ષોની હાનિ ઘટે છે, અને તેને લીધે શત્રુતાની માત્રા પણ ઘટે છે; સંભવતઃ મૈત્રી માટેની પૂર્વભૂમિકા પણ સર્જાય છે. છેવટે તો નિર્ભેળ વિજયને વાંછનારે પેલું બુદ્ધવચન કદી ન અવગણવું ઘટે : “તે જ શ્રેષ્ઠ વિજય છે, જેમાં કોઈનો પરાજય નથી” (જેમાં victor અર્થાત વિજેતા છે, પણ કોઈ victim અર્થાત્ પરાજિત કે ધ્વસ્ત થનારો નથી) ! “ક્ષમા એ વીરનું ભૂષણ છે” (ક્ષમા વીરસ્ય ભૂષણમ્) – આવું તારણ પણ શુષ્ક લાગતા વ્યવહાર-જીવનની પેલી પાર પડેલી દિવ્ય સંભાવનાઓને જ ચીંધે છે. સર્વ સામાજિક રોગોના મૂળરૂપ અહંકારને શમાવવાની શીખ સમાવતી પેલી નરી વ્યવહારુ દેખાતી, છતાં આધ્યાત્મિક મહિમા ધરાવતી કહેવત પણ કેમ ભૂલીએ ? – વાણિયા-મૂછ-નીચી', તો કહે “સાત વાર નીચી”.” આ મુદ્દાનાં શીર્ષકમાં જે જાણીતા ભજનની પંક્તિ ટાંકી છે, તેમાં આપેલાં પ્રાચીન દૃષ્ટાંતોમાં તો ઈશ્વર ભક્તની ભીડ વખતે કેવી અકલ્પિત રીતે સહાયભૂત થાય છે એ અંગેની શ્રદ્ધગમ્ય દિવ્ય ઘટનાઓ નિર્દેશી છે. પણ કૌટિલ્લે તો નિર્બલની રક્ષા બળિયા સામે કઈ રીતે થઈ શકે તેની જે વાતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy