SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૯૩ સમન્વિત રૂપે કહેવાઈ છે : “જવરમુક્ત એવો તું યુદ્ધ કર” (રૂ.૩૦d) શમનું હાર્દ આમ સમજ્યા પછી તેમાં સ્વકર્મફળના ઉપભોગનો મહિમા પણ આત્માની આનંદસ્વરૂપતાના અન્વયે બરાબર સમજી શકાશે. નિર્મળ આત્મામાં વ્યાપેલી શાંતિનું શ્રેષ્ઠ ફળ છે નિરંતર થતી આનંદાનુભૂતિ, કે જે વિષયનિરપેક્ષ છે. ‘આનંદી કાગડો' એ બાળવાર્તાનો ય આ જ સંદેશ છે. કૌટિલ્ય આ શમ-વ્યાયામની જે આખી ચર્ચા કરી છે તેની પ્રેરણાનું મૂળ સંભવતઃ ગીતાના આ વચન(શ્લોક ૬.૩)માં હોવાનો સંભવ છે : “યોગ પર આરોહણ વાંછનાર મુનિને માટે કર્મ [આરોહણનું] કારણ કહેવાય છે અને યોગ પર આરોહણ પામી ચૂકેલા સાધક માટે શમ [યોગની સ્થિરતાનું કે મુક્તિનું] કારણ કહેવાય છે.”૩૩ કૌટિલ્ય આમાં “કર્મ'ને સ્થાને તેનો વધુ બોલકો વ્યાયામ’ એ પર્યાય વાપર્યો છે – એટલો જ બંને વચ્ચે ફેર જણાય છે. શમનું મહત્ત્વ ગીતાના અન્ય એક વાક્યમાં પણ આમ અંકિત થયું છે : “અશાંતને સુખ ક્યાંથી ?” (પ્રશાંતણ્ય ત: સુવમ્ – શ્લોક ૨.૬૬) (અહીં અશાંત એટલે શમરહિત.) વળી ગીતાના શ્લોક ૨૮.ર૬મામાં સાત્ત્વિક કર્તાનું લક્ષણ આપતાં કુલ ચાર વિશેષણો પૈકી પૃત્યુત્સાહિન્વિત: એ વિશેષણ પણ છે, જેમાં ધૃતિ તે શમનો અને સત્સદ તે વ્યાયામનો પર્યાય છે. ખરેખર, ભારતવર્ષની સાધનાએ જીવન-આકાશમાં ઊડવા માટેની બે સમર્થ પાંખો વિકસાવી છે : શમ અને વ્યાયામ ! કૌટિલ્ય આ આખી વાત મૂકી છે રાજનીતિના એકંદર સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે. એ વૈરપ્રધાન, યુદ્ધખોર, સત્તાવિસ્તારવાદી કે આસુરી નથી જ. સમાજમાંનાં શાંતિપ્રેરિત વિધાયક પરિબળોની સક્રિયતાને વિશાળ અવકાશ આપવા, તેમ જ સર્વપોષક સૃષ્ટિમાતાનું જતન કરવા માટે જ રાજનીતિ છે, રાજસત્તા છે. હા, આત્મરક્ષણ માટેની વીરત્વયુક્ત વળતો થા માફ. આત્મરક્ષણ કે સ્વગૌરવરક્ષણ માટે “હા”; અકારણ વેરની “ના' ! અહીં બ્રિટનના એક સાહિત્યકારનો લાક્ષણિક પ્રસંગ, ઉપરની ચર્ચાનો મર્મ સમજવા જાણવાજોગ છે. જાણીતા બ્રિટિશ સાહિત્યકાર ગિલ્બર્ટ મને કોઈએ બીજા વિશ્વયુદ્ધ વખતે પૂછ્યું : “જ્યારે ગ્રેટબ્રિટન ભયંકર યુદ્ધમાં સંડોવાયું છે, ત્યારે તમે તેને ટેકો કરવાને બદલે તમારી સાહિત્ય-પ્રવૃત્તિમાં જ મશગૂલ કેમ છો?” ત્યારે જાગૃત મનીષીનો જવાબ હતો : ““જે સાંસ્કૃતિક મૂલ્યોના મોરચે, તેના નિત્ય જતનમાં જીવનની પળેપળ અમે ખર્ચીએ છીએ, તે મૂલ્યો મોજૂદ છે, તો તેના રક્ષણ માટેના યુદ્ધનો કંઈક પણ અર્થ રહે છે. નહિતર આવું યુદ્ધ લડવામાં શાણપણ શું?” આગળ રાજનીતિના – એના કાર્યક્રમરૂપ પાડ્યુષ્યના – સંદર્ભે આ ચર્ચાની આગલી કડી આમ કહેવાઈ છે : યોગક્ષેમના જન્મસ્થાનરૂપ આ શમ-વ્યાયામ પોતે “જન્મે છે (અમલી બને છે) પરદેશનીતિરૂપ ષાગુષ્યમાંથી – બબ્બેની ત્રણ જોડીરૂપ આ છ નીતિ-ઘટકોથી : સંધિ-વિગ્રહ, આસન-યાન, સંશ્રય-વૈધીભાવ. અગાઉ પ્રથમ વ્યાખ્યાનમાં ચર્ચા મુજબ અહીં “ગુણ' શબ્દ રાજનીતિના અંગ કે ઘટક (constituent) રૂપ ઉપાયો, નીતિઓ કે અભિગમોના અર્થમાં છે. ‘ગુણકારી નીતિઓ' એવો અર્થ પણ કદાચ અભિપ્રેત હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy