SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ લાઘવયુક્ત ઉત્તમ ઉત્તર ભગવદ્ગીતામાં આમ છે : “યજ્ઞાર્થ કર્મ સિવાય આ સંસાર કર્મ દ્વારા બંધન જ નોતરે છે” (ભ. ગીતા : રૂ.૨). એટલે આ મુજબ યજ્ઞાર્થ કર્મ એટલે કે એકસાથે પોતાનું અને અન્યનું હિત સાધે કે જાળવે તેવું કર્મ અ-દોષ, અ-બાધક વ્યાયામ છે. આ વ્યાયામ જ રાજ્યતંત્રની પણ સફળતા સાધતું અંગ છે – જેને માટે આત્મનિયમન સાધતા રહીને પરનિયમનમાં પણ સાબદું રહેતું દેખરેખ-તંત્ર (Vigilance) જરૂરી બને છે. કૌટિલ્યની પ્રતિભાની સમતુલા વર્તાય છે વ્યાયામના જોડીદાર એવા શમના નિરૂપણમાં. એમાં આડકતરી રીતે કર્મના અતિરેકરૂપ જવરનું નિવારણ અથવા ઉપર નિર્દેશ્યા પ્રમાણે અધ્યાત્મવિજ્ઞાનમાં ચિંતવાયેલું કર્મની બંધકતાનું નિવારણ પણ સમાઈ જાય છે. યોગક્ષેમ' શબ્દમાંના ‘ક્ષેમ' સાથે શમને સાંકળવામાં આવ્યો છે. શમ એટલે ચિત્તની શાંતિ અને આત્મશ્રદ્ધા, તેમ જ તેની ઉપર આધારિત નિરુપદ્રવી રચનાત્મક કે રસાત્મક પ્રવૃત્તિ. કૌટિલ્ય આવી શમદશાને કર્મફળોના પરિપૂર્ણ ઉપભોગના ક્ષેમ(નિશ્ચિતતા)ની આરાધના કરનારી, અર્થાત્ તેને અવકાશ કે મોકળાશ આપનારી કહી છે. વળી આ શમરૂપ મનોવલણ મનુષ્યને તાત્કાલિક કાબૂ બહારના દૈવતત્ત્વને જીરવવાનું ધૈર્ય પણ આપે છે. આમ થવાનું કારણ એ છે કે શમને પણ યથાસમય અવકાશ આપનાર વ્યાયામ તો સ્વરૂપથી જ આગ્રહમુક્ત, કર્મફળ બાબત અનાસક્ત, આવેશોથી રહિત અને હમણાં કહેવાયું તેમ યજ્ઞાર્થ-કર્મરૂપ હોય છે. એમાં સ્વ-ગતિ-નિયંત્રણ ગમે તે ક્ષણે સાધી શકાય તેવું લચીલાપણું હોય છે. એટલે જ દૈવને પારખી લેવાની સભાનતા સદા જાગૃત હોય છે. એથી દૈવની આજ્ઞા થતાં વેંત મનુષ્ય શમમાં સહજતાથી સ્થિર થઈ શકે છે, અને એ દિશામાં પણ ચિત્તની શાંતિ સાથે પોતાને સહજપણે લાધેલાં વત્તાઓછાં કર્મફળને માણવાની સ્વસ્થતા અને આત્મનિષ્ઠ સહજ આનંદિતા પણ પ્રગટ થાય છે. શંકરાચાર્યે આ જ વાત એમના એક સ્તોત્રમાં સુંદર રીતે આમ કહી છે : “પોતાના કર્મથી મેળવેલું જે ધન હાજર હોય તેનાથી ચિત્તને હળવુંફૂલ બનાવ.”૩૧ ઉપર કહ્યું તેમ “શમ'ને કૌટિલ્ય સ્વકર્મના ઉપભોગરૂપ ક્ષેમ સાથે સાંકળ્યો છે. પરંતુ તેમની સમગ્ર ચર્ચા પરથી શમનું સાચું સ્વરૂપ પ્રગટે છે અનારંભનો (કર્મશક્તિને સ્થગિત રાખી શકાય તેવા આત્મસંયમનો) સાચો નૈસર્ગિક મહિમા સમજી લઈને અનારંભ-કાળને જીરવવામાં અને કશા જ કચવાટ વગર સ્થિર ચિત્તે તેને અપનાવી જાણવામાં. આ કારણે દૈવની પ્રતિકૂળતાને સ્વયં સમજી લઈને મનુષ્ય કર્મરૂપ તલવારને શમરૂપ મ્યાનમાં સમાવી લેતાં ખચકાતો નથી. આ રીતે વ્યાયામ અને શમ બંનેના પોતપોતાના મહિમાને સમજીને બંનેને માણી જાણવાના છે, બંને દ્વારા નિરંતર આત્મવિકાસ સાધી જાણવાનો છે. આ વાત ભગવદ્ગીતાના આ વચનમાં ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે : “જે વ્યક્તિ કર્મમાં અકર્મ જુએ અને અકર્મમાં કર્મ જુએ તે મનુષ્યોમાં ખરો બુદ્ધિમાનું છે, તે કર્મને સમગ્ર રૂપે કરનારો યોગી છે. ૨” આમાં સમજવા જેવો મુદ્દો એ બતાવાયો લાગે છે કે વ્યક્ત સ્વરૂપે કે અવ્યક્ત સ્વરૂપે દરેક જીવન સમાંતર રૂપે (એકસાથે) કર્મતત્ત્વ અને અકર્મતત્ત્વ બંનેની ગૂંથણી પામીને જ પુષ્ટ થાય છે. આ જ વાત ભગવદ્ગીતાના આ આદેશવાક્યમાં લાઘવથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy