SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार 10 બ0 तदुच्चारणवैयर्थ्यप्रसङ्गात्, विपरीताकारनिराकरणचातुर्यायोगेन निराकाक्षं प्रवृत्त्यसिद्धेः "द्विधैव इत्यवधारणेन परपरिकल्पितविपरीतसंख्यान्तरं तिरस्कुरुते, तस्य युक्तिबाधितत्वात्।। ४३. तथा हि-प्रत्यक्षमेवैकं प्रमाणमित्यसत्, परोक्षाभावे तस्यैव प्रामाण्यायोगात् । स हि काश्चित्प्रत्यक्षव्यक्तीरर्थक्रियासमर्थार्थप्रापकत्वेनाव्यभिचारिणीरुपलभ्यान्यास्तद्विपरीततया –૦નાયરશ્મિ – (ભાવ એ છે કે કોઈએ કહ્યું કે પાણીથી તરસ છીપાય” -પણ આ વાક્ય, જો સાવધારણ ન હોય - તો સામેવાળી વ્યક્તિને જીજ્ઞાસા ઉભી જ રહેશે કે શું પાણી જરૂર તરસ છીપાવશે ?' તેથી તે વ્યક્તિને નિરાકાંક્ષ પ્રવૃત્તિ ન થઈ શકે, પણ જો એવકારાર્થ લઈએ તો “ન છીપાવે એવા વિપરીતાકારના નિરાકરણની ક્ષમતા હોવાથી, તે વાક્ય સામેવાળાની જીજ્ઞાસાઓ શમાવીને, તેને નિયત અર્થ વિશે નિરાકાંક્ષ પ્રવૃત્તિ કરાવશે) તેથી વાક્યને સાવધારણ જ માનવું જોઈએ, માટે પ્રત્યક્ષ અને પરોક્ષ, એમ પ્રમાણની સંખ્યા માત્ર બે જ છે, પૂનાધિક નહીં, એવો નિશ્ચય થાય છે. તેથી બીજાઓ વડે કલ્પાયેલી બેથી ન્યૂનાધિક સંખ્યાઓનો તિરસ્કાર - નિરાસ થાય છે પ્રશ્નઃ- બેથી ન્યૂનાધિક સંખ્યા કેમ ન માની શકાય? ઉત્તરઃ- કારણ કે તે યુક્તિથી બાધિત છે. કઈ રીતે ? તે હવે જોઈએ - ૦ પ્રમાણની બેથી ન્યૂનાધિક સંખ્યાનો નિરાસ ૦ (૪૩) ચાર્વાક - “પ્રત્યક્ષ રૂપ માત્ર એક જ પ્રમાણ છે. જેનઃ- તમારી માન્યતા ખોટી છે, કારણ કે પરોક્ષ વિના પ્રત્યક્ષની જ પ્રમાણતા ન ઘટી શકે, કારણ કે ચાર્વાકો બધા પ્રત્યક્ષને પ્રમાણ માનતા નથી. પણ જે પ્રત્યક્ષો અર્થક્રિયા માટે સમર્થ એવા અર્થની પ્રાપ્તિ કરાવે, તેને અવ્યભિચારી જાણીને અને જે પ્રત્યક્ષો અર્થક્રિયા સમર્થ અર્થની પ્રાપ્તિ ન કરાવે, તેને વ્યભિચારી જાણીને કાળાંતરે અર્થક્રિયા સમર્થ અર્થને પ્રાપ્ત કરાવે તેવા પ્રત્યક્ષને પ્રમાણ અને અર્થક્રિયાસમર્થ અર્થને પ્રાપ્ત ન કરાવે તેવા પ્રત્યક્ષને અપ્રમાણ કહે છે - આ વ્યવસ્થામાં પણ તેઓને પરોક્ષ તો સ્વીકારવું જ પડે છે. તે આ રીતે – જ્યાં આંખથી પાણી દેખાયું હતું, ત્યાં પાણી મળ્યું હતું, તેથી ફરીવાર પાણી દેખાય - ત્યારે પૂર્વના જ્ઞાનની સમાનતાથી - તે જ્ઞાનને પ્રમાણ માને છે. (આ એક પ્રકારની અનુમિતિ છે.) પૂર્વે મમરીચિકામાં પાણી દેખાયું હતું, ત્યાં પાણી મળ્યું નહોતું, તેથી ફરી મમરીચિકામાં પાણી દેખાય તો તેને અપ્રમાણ માને છે. હવે આ પ્રમાણતા/અપ્રમાણતાનો નિશ્ચય,પૂર્વજ્ઞાનના સાશ્યના નિશ્ચયથી થાય છે. અને સાદશ્યનો નિશ્ચય માત્ર પ્રત્યક્ષથી થઈ શકતો નથી. પ્રત્યક્ષ તો માત્ર સામે રહેલ અર્થને –૦૩૫ર્થસંપ્રેક્ષા— (૬૭) રીત્યાદ્રિ | સ પ્રત્યક્ષેઝમાળવાવી વાર્તા | – શાસ્ત્રસંતો(24) "હિવે ત્વનેન પરંપરિલ્પિતસંધ્યાન્તરે નિરણે “ ન્યાયા.હરિ. / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy