SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - आदिवाक्यम गतत्वात् । नार्थक्रियायाः, तदवगतौ परीक्षावैयर्थ्यात् । नापि कारणकलापस्य, ज्ञानोत्पत्तेः प्राक् स्वरूपानवगतः, पश्चात् तत्स्वरूपनिर्णयादेव तत्साद्गुण्यवैगुण्यावगतेनैरर्थक्यात् । नापि क्षयोपशमस्य, तस्य ज्ञानोत्पादोन्नीयमानरूपत्वात् । नापि प्रमितिमात्रस्य तस्य प्रमाणसाध्यतया तच्चारुताद्वारेणैव समीचीनतासिद्धेरिति। २१. तदयमभिप्राय यद्यपि अनन्तधर्माध्यासिते वस्तुनि सर्व एव शब्दार्था निरुपचरिता घटन्ते, तथापि येनार्थं परिच्छिद्यार्थक्रियासमर्थार्थप्रार्थनया प्रवर्तन्ते प्रमातारस्तदेवेह ज्ञानमात्मना –અન્યાયરશ્મિ - તે પ્રમાણ છે કે નહીં તેની પરીક્ષા કરવી છે. હવે જો સામે પડેલી વસ્તુની અર્થયિા ખબર હોય કે તરસ છીપાવે) તો તો પરીક્ષાની જરૂર જ નથી રહેતી. (૪) અપાદાન કારકગત કારણકલાપની પરીક્ષા પણ વ્યર્થ છે, કારણ કે જ્ઞાનની ઉત્પત્તિ વિના કારણ કલાપનું સ્વરૂપ ( તે સાચા છે કે ખોટા તે) જાણી શકાતું નથી. જો જ્ઞાનનું સ્વરૂપ સમજાઈ જાય,તો જ્ઞાનના સ્વરૂપથી જ કારણસામગ્રીનાં સાળુણ્ય (સાચા ગુણો) અને વૈગુણ્ય (ખોટા ગુણો) નો ખ્યાલ આવી જશે, માટે પાછળથી પણ કારણકલાપની પરીક્ષા તો વ્યર્થ જ છે. (૫) અધિકરણ કારકગત લયોપશમની પરીક્ષાનો પણ કોઈ અર્થ નથી, કારણ કે તેનો નિશ્ચય તો જ્ઞાનના ઉત્પાદથી જ થઈ શકે છે. (ક) ભાવસાધનથી નિષ્પન્ન પ્રમિતિની પરીક્ષા કરવાનો પણ કોઈ અર્થ નથી, કારણ કે પ્રમિતિ તે પ્રમાણનું સાધ્ય છે, તેથી પ્રમિતિની સિદ્ધિ પ્રમાણથી જ શક્ય છે. એટલે જો પ્રમાણની ચારૂતા સિદ્ધ થાય, તો જ પ્રમિતિની ચારૂતા સિદ્ધ થઈ શકે, માટે પ્રમાણ શબ્દનો પ્રમિતિ પણ અર્થ કરવાનો નથી. (૨૧) ફલિતાર્થ – યદ્યપિ દરેક વસ્તુ અનંતધર્માત્મક છે અને તેમાં બધા શબ્દોના અર્થો ઘટી શકે - પણ, અહીં તો જેના વડે અર્થનું જ્ઞાન કરીને, અર્થક્રિયાસમર્થ એવા પદાર્થની ઈચ્છાથી પ્રમાતા પ્રવૃત્તિ કરે છે, તે જ્ઞાન જ પ્રમાણ મનાય છે. પ્રનીયતેડનેનેતિ પ્રમાણમ્ એ તૃતીયા કારકનિષ્પન્ન અર્થ જ અહીં લેવાનો છે, એટલે જે આત્મા સાથે ધર્મી રૂપે અભિન્ન હોવા છતાં ધર્મરૂપે ભિન્ન છે, તે જ્ઞાન જ પ્રમાણના અર્થ તરીકે લેવો. અહીં જ્ઞાન આત્માથી ભિન્નભિન્ન છે, એવું એટલા માટે કહ્યું છે, કે પ્રથમ કારકથી પ્રમાણનો અર્થ આત્મા થાય છે, તે જ્ઞાનથી અભિન્ન હોવાથી, તેને પ્રમાણ માનો - એવું કોઈ કહે, તો નિવારણ થાય કે જ્ઞાન આત્માથી કથંચિત્ ભિન્ન પણ છે. તેથી પ્રમાણ શબ્દનો અર્થ “જ્ઞાન” કરવો, આત્મા નહીં. એમ ફલિત થાય છે. યુપાવન એટલે બીજાઓ દ્વારા પરિકલ્પિત લક્ષણોનું ખંડન કરવા સાથે પોતાને અભિપ્રેત એવા યુક્તિયુક્ત લક્ષણને પ્રકાશવું. -अर्थसंप्रेक्षण(२७) उन्नीयमानरूपत्वादिति । उत्पूर्वान्नयतेः कर्मणि यण, निर्णीयमानत्वादित्यर्थः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy