SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ @R न्यायावतार સુપુત્વાત્ "મૃત્યત્યુટો વઘુતમ્" (પા. રૂ-રૂ-૧૧૩) અન્યત્રાપિ (પા. ૩-Z-૧૩૦) કૃતિ વચનાત્ यथाक्रमममी कर्त्रर्थादिकारक भावव्युत्पत्त्या प्रमाणशब्दवाच्याः, तद् यथा-आत्मार्थज्ञानार्थक्रियाकारणकलापक्षयोपशमक्रियारूपाः, तथापीह ज्ञानमेवाधिक्रियते, तस्यैव परीक्षाक्षमत्वात्, इतरेषां परीक्षायाः तत्पुरःसरत्वात्, वैयर्थ्याच्च । तथा हि- नार्थस्तावदात्मनः परीक्षया, तस्य भ्रान्ताभ्रान्तज्ञानेषु समानत्वात् । " नाप्यर्थस्य तस्योपेयत्वात्, उपायभूतज्ञानपरीक्षणेनैव ૦ન્યાયરશ્મિ - છે. અનટ્ પ્રત્યય છએ કા૨કમાં અને ભાવમાં આવે છે, એટલે પ્રમાણનો અર્થ સાત રીતે થઈ શકે છે. તે આ પ્રમાણે - (૧) કર્તા કારકમાં પ્રમાણનો અર્થ જે પ્રમા કરે તે ‘આત્મા’ છે. (૨) કર્મ કારકમાં પ્રમાણનો અર્થ જેની પ્રમા થાય તે ‘પદાર્થ’ છે. (૩) કરણ કારકમાં પ્રમાણનો અર્થ જેના વડે પ્રમા થાય તે ‘જ્ઞાન' છે. (૪) સંપ્રદાન કારકમાં પ્રમાણનો અર્થ જેના માટે પ્રમા થાય તે ‘અર્થક્રિયા’ છે. (૫) અપાદાન કારકમાં પ્રમાણનો અર્થ જેનાથી પ્રમા થાય તે ‘કારણકલાપ’ છે. (૬) અધિકરણ કારકમાં પ્રમાણનો અર્થ જે હોતે છતે પ્રમા થાય તે ‘ક્ષયોપશમ’ છે. (૭) ભાવમાં પ્રમાણનો અર્થ ‘પ્રમિતિ’ રૂપ ક્રિયા છે. ‘પ્રમાણ’ શબ્દનો આત્મા વગેરે સાત અર્થમાંથી પ્રસ્તુત ગ્રંથમાં કરણ કા૨કગત ‘જ્ઞાન’ રૂપ અર્થ જ અભિપ્રેત છે, કારણ કે જ્ઞાન જ સર્વ પરીક્ષામાંથી પ્રમાણરૂપે પાર ઉતરે છે. બીજા બધાની પ્રમાણતા જ્ઞાનાધારિત છે, જ્ઞાન જો પ્રમાણ બને તો જ તે પ્રમાણ બને, એટલે બીજાની પરીક્ષા વ્યર્થ છે. ભાવાર્થ, અહીં પ્રમાણ શબ્દનો અર્થ કરવો છે. વ્યુત્પત્તિથી ૭ અર્થ શક્ય છે, પણ કયો અર્થ લેવો? તે નક્કી કરવું છે. પ્રમાણ એ છે, જે પદાર્થનો નિશ્ચાયક હોય. એટલે જે વ્યુત્પત્તિ અર્થમાં, પદાર્થનિશ્ચાયકતા ઘટી શકે, તે અર્થ લેવાનો છે. પણ (૧) કર્તા કા૨કગત આત્મામાં પદાર્થનિશ્ચાયકતા ઘટતી નથી, કારણ કે આત્મા તો પ્રમા-અપ્રમા બંને જ્ઞાનમાં સમાન છે. (૨) કર્મ કા૨કગત અર્થની પરીક્ષા કરવી, તે પણ નિષ્પ્રયોજન છે, કારણ કે તે તો પ્રમાણનો ઉપેય છે, અને તેની પરીક્ષા ઉપાયભૂત જ્ઞાનની પરીક્ષાથી જ થઈ જશે. અર્થાત્ જ્ઞાન જો સમ્યગ્ હશે તો અર્થ પણ સમ્યગ્ હશે. (૩) સંપ્રદાન કારકગત અર્થક્રિયાની પરીક્ષા પણ જરૂ૨ નથી, કારણ કે જો અર્થક્રિયાનું જ્ઞાન હોય તો પ૨ીક્ષાની જરૂર નથી. આશય એ છે કે તરસ લાગી છે, પાણી જોઈએ છે, સામે દેખાય છે - अर्थसंप्रेक्षण: ત -0 (રપ) નાર્થ કૃતિ । ન પ્રયોખનન્ । (૨૬) નાપ્યર્થસ્યંતિ । અત્રાપ્રિનેષુ ચ સ્થાનેષુ પરીક્ષયા प्रयोजनमिति संबन्धनीयम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy