SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ) न्यायावतार - आदिवाक्यम् इतरथानुमानस्याप्यप्रामाण्यमासज्येत, तस्याप्यविशदानियतार्थग्राहित्वात्। १८. परमार्थतस्तु त्रिकालव्यापिनः सर्वार्थग्रहणस्वभावत्वेऽपि आवरणतिरस्कृतस्य जीवद्रव्यस्य चक्षुरादिसामग्रीसापेक्षावरणक्षयोपशमवशात् संनिहितस्पष्टार्थग्रहणपरिणामः प्रत्यक्षमित्युच्यते। शब्दसापेक्षक्षयोपशमात्तु नियतानियताविशदार्थग्रहणपरिणामस्तु शाब्दमिति । तन्न तदुत्पत्तितदाकारते प्रत्यक्षे शाब्देऽन्यस्मिन् वा ज्ञाने वास्तव्यौ स्तः । तस्मात्पारमार्थिकाभिधेयप्रयोजनसंबन्धप्रतिपादकमेतदादिवाक्यमिति स्थितम् ।। –૦ન્યાયરશ્મિ - ૦ પ્રત્યક્ષ – શબ્દ વગેરેની પારમાર્થિક વ્યવસ્થા ૦. (૧૮) વાસ્તવમાં તો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ વગેરે બધા જ જ્ઞાનો જીવના એકપ્રકારના પરિણામો છે. આ આત્માનો સ્વભાવ ત્રિકાળવ્યાપી સમસ્ત પદાર્થોને ગ્રહણ કરવાનો છે, પણ આત્મા ઉપર ‘કર્મ' નામનું એક એવું આવરણ આવી ગયું છે કે જેના કારણે જીવ સમસ્ત અર્થોનું ગ્રહણ કરી શકતો નથી. પ્રત્યક્ષજ્ઞાન માટે જીવને ચક્ષુ વગેરે સામગ્રીઓની અપેક્ષા રહે છે અને તે ચક્ષુ વગેરે કારણ સામગ્રીઓ મળવા સાથે તે તે ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાનના આવરણના ક્ષયોપશમની (ઘટાડાની) અપેક્ષા રહે છે. માટે ઈન્દ્રિયાદિ કારણ સામગ્રી + આવરણનો ક્ષયોપશમ મળી જાય, ત્યારે જીવનો જે સંનિહિત અર્થને સ્પષ્ટરૂપે ગ્રહણ કરવાનો પરિણામ ઉભો થાય, એને જ “પ્રત્યક્ષ' કહેવાય છે. શબ્દજ્ઞાન માટે જીવને શબ્દ વગેરે કારણ સામગ્રીની + શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની અપેક્ષા રહે છે. આ બધુ મળે જે જીવમાં નિયતાનિયત અર્થને અસ્પષ્ટરૂપે ગ્રહણ કરવાનો પરિણામ ઉભો થાય, એને “શબ્દજ્ઞાન” કહેવાય છે. આમ પ્રત્યક્ષ – અનુમાન - શબ્દ - ઉહ વગેરે જે જે જ્ઞાનો છે, તે બધા છેલ્લે તો આત્માના પરિણામ રૂપે જ પર્યવસિત થાય છે, પરંતુ બાહ્ય સાધનોની ભિન્નતાના કારણે લોકમાં ભિન્ન-ભિન્ન રૂપે વ્યપદેશ થાય છે. (જેમ, ચક્ષુ આદિથી જન્ય હોય તે “પ્રત્યક્ષ', શબ્દથી જન્ય હોય તે “શબ્દજ્ઞાન' વગેરે ) આ પારમાર્થિક દૃષ્ટિએ તો પ્રત્યક્ષ, શબ્દ કે બીજા કોઈ પણ જ્ઞાનમાં તદુત્પત્તિ કે તદાકારતા વાસ્તવમાં છે જ નહીં. જીવનો જ એવા પ્રકારનો પરિણામ છે, જે બાહ્ય સામગ્રીની અપેક્ષાએ પ્રત્યક્ષ વગેરે ભિન્ન-ભિન્ન વ્યપદેશ પામે છે. પણ વ્યવહાર દૃષ્ટિએ તો જેમ પ્રત્યક્ષમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે, તેમ શબ્દમાં વાચ્ય-વાચકભાવ –૦૩૫ર્થસંપ્રેક્ષા(૨૦) વાસ્તવ્યાવિતિ. | વસ્તુશધ્વાત્ વસ્તુનિ પરમાર્થે “મવે” (સિ. $. ૬-૩-૧૨૩) તિ भवार्थाणप्रत्ययान्तादीप्रत्ययः, पारमार्थिक्यावित्यर्थः । वास्तव्यशब्दात्तु स्त्रियामाप्रत्यये वास्तव्ये इति ચાત્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy