SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार आदिवाक्यम् २१ प्रत्यपादि । तथा शब्दस्य वाचकत्वमर्थस्य वाच्यत्वं प्रतिपद्यध्वं यूयम्, अत्रापि दृष्टहानेः व्यवहारोच्छेदस्य समानत्वात् । १६. अथ इत्थमाचक्षीथाः, यथा नद्यास्तीरे गुडशकटं पर्यस्तं, धावत धावत डिम्भकाः - इत्यादिविप्रतारकपुरुष-वचनश्रवणात् प्रवर्तमाना विप्रलम्भताभाजो जायन्ते, अतः सकलवचनेष्वनाश्वास इति । एवं तर्हि "चिकिचिकायमानमरुमरीचिकाचक्रचुम्बि यज्जलोल्लेखि विशददर्शनमुदयपदवीं समासादयति तदलीकमवलोकितमिति, सकलाध्यक्षेष्वनाश्वास इत्यभिदध्महे । - ૦ન્યાયરશ્મિ - “શબ્દ તે અર્થથી કથંચિદ ભિન્ન છે, કારણ કે ખુર(અસ્ત્રો), અગ્નિ કે મોદક શબ્દનો ઉચ્ચાર કરતા વક્તાનું મોઢું અને શ્રોતાના કાનનો અનુક્રમે વિચ્છેદ, દાહ કે ભરણ થતું નથી. અને ‘મોદક’ શબ્દનું ઉચ્ચારણ કરતા માત્ર લાડવાનો જ બોધ થાય છે,અન્ય પદાર્થનો નહીં. માટે શબ્દ તે અર્થથી કથંચિદ્ અભિન્ન છે – આમ જૈનદર્શનમતે શબ્દ-અર્થ વચ્ચે ‘કથંચિત્ તાદાત્મ્ય સંબંધ છે.” - આમ શબ્દ-અર્થ વચ્ચે કથંચિદ્ ભિન્ન અને કથંચિદ્ અભિન્ન, એમ ભિન્નાભિન્ન સંબંધ સ્વીકારાય, તો જ જોવાતો વ્યવહાર સંગત થઈ શકે, અન્યથા નહીં. (૧૭) બૌદ્ધઃ- અમુક વચનો તો એવા હોય છે, કે જેનાથી માત્ર છેતરવાનું જ કામ થતું હોય છે. જેમ કે, કોઈએ કહ્યું કે “નદીના કિનારે ગોળનું ગાડુ આવ્યું છે, તેથી કે બાળકો ! જાઓ – દોડો દોડો” આવા ઠગનાર પુરુષના વચનથી, જો પ્રવૃત્તિ કરવામાં આવે, તો ખરેખર ઠગાઈ જ જવાય. અને આવા તો ઢગલાબંધ શબ્દો જોવાય છે, માટે બધા જ શબ્દો-વચનો પરથી અમને વિશ્વાસ ઉઠી ગયો છે, અને તેથી જ શબ્દ-અર્થ વચ્ચે અમે સંબંધ નથી માન્યો. જૈનઃ- આવી રીતે તો તમને એક-બે સ્થળે પ્રત્યક્ષનો વિષય ખોટો જોવાશે, તો બધા જ પ્રત્યક્ષ પરનો વિશ્વાસ ખોવો પડશે. જેમ કે, રણમાં પ્રકાશમાં ચમકતી રેતીને વિષય બનાવતું ‘પાણી’ એવું ભ્રમાત્મક જ્ઞાન થાય છે, તે પ્રત્યક્ષ હોવા છતાં ખોટું છે - આમ એકાદ પ્રત્યક્ષ જો ખોટું જોવાય, તો શું બધા જ પ્રત્યક્ષમાં વિશ્વાસ ખોઈ બેસવાનો ? જો ના, તો શબ્દ અંગે પણ આ જ નિયમ અપનાવો, કે એક - બે વચન ખોટા જણાય એટલા માત્રથી બધા જ વચનો ખોટા જ છે, એવી ગાંઠ બાંધવી નહીં. કારણ કે પ્રત્યક્ષની જેમ, તે સિવાયના બીજા શબ્દો તો પ્રમાણ હોવા શક્ય જ છે. નવ ૦૬ર્થસંપ્રેક્ષ– (१९) चिकिचिकायमानेति । चिकिचिकाशब्दो देदीप्यमानार्थः स चानुकरणे पटपटाशब्दवद् डाजन्तः तद्वदाचरति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy