SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ ન્યાયાવતાર ) - इति भवतां दर्शनम्, तन्न विकल्पसाहित्यं प्रत्यक्षस्य कञ्चन विशेष पुष्णाति । तदिदं ग्राह्यग्राहकभावकारणं प्रत्यक्षेऽपि यद् भवद्भिरभ्यधायि, तद् यथा यथा विचार्यते तथा तथा विशीर्यत इत्यनपेक्षणीयम् । १५. तद् यथाकथंचित् प्रत्यक्षस्य प्रतिपादितग्राह्यग्राहकभावलक्षणवैकल्येऽपि ग्राहकत्वम् अर्थस्य ग्राह्यत्वम्, तथा दृष्टत्वात्, अन्यथा निखिलव्यवहारोच्छेदप्रसङ्गात् भवद्भिरपि –૦ન્યાયરશ્મિ – જેન- આવો પરિષ્કાર કરવા દ્વારા તો તમે પ્રત્યક્ષનું પણ ગ્રાહકત્વ ખોઈ બેઠા, કારણ કે પ્રત્યક્ષને વિકલ્પનું સાહિત્ય તો છે, પણ તે પ્રત્યક્ષને કંઈ ઉપકાર કરતું નથી. વિકલ્પ એ વાસનાથી જન્ય છે અને તે કાલ્પનિક (અનર્થ – અર્થથી ભિન્ન સ્વરૂપ) એવા સામાન્યને વિષય કરે છે, જ્યારે પ્રત્યક્ષ તે સ્વલક્ષણથી જન્ય છે અને સ્વલક્ષણને જ વિષય બનાવે છે, એમ અહીં ભિન્નવિષયક અધ્યવસાય છે, જ્યારે તદધ્યવસાય હોય તો જ વિશેષ ઉપકાર થઈ શકે ૯ આમ વિકલ્પસાહિત્ય સાથે તદુત્પત્તિ-તદાકારતા હોવા છતાં પ્રત્યક્ષમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા થઈ શકે નહીં. તાત્પર્ય, તમે પ્રત્યક્ષમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ લાવવા, જે ભિન્ન રૂપે તદુત્પત્તિ તદાકારતા અથવા તદધ્યવસાયસહકૃત-સંયુક્ત એવા તે બંનેને કારણરૂપે સ્વીકાર્યા, પણ આ વિશે જેટલું - જેટલું વિચારીએ છીએ તેટલું-તેટલું તમારું બધું જ કથન યુક્તિરહિત હોવાથી, અપેક્ષણીય નથી, એમ નિશ્ચય થાય છે. ૦ પ્રત્યક્ષની જેમ શબ્દ અંગે પણ વાચ્ય - વાચકભાવ ૦ (૧૫) પ્રત્યક્ષજ્ઞાનમાં તદુત્પત્તિ-તદાકારતા એ બંને ભિન્ન-ભિન્ન રૂપે કે સાથે મળીને ગ્રાહ્યગ્રાહકભાવમાં કારણ ન હોવા છતાંય, જેમ પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવ તમે માનો છો, જો ન માનો તો જગતનો બધો જ વ્યવહાર ઉચ્છેદ થઈ જાય. તેમ, તદુત્પત્તિ- તદાકારતા ન હોવા છતાં શબ્દ અને અર્થ વચ્ચે પણ વાચ્ય-વાચકભાવ માનવો જોઈએ. જો શબ્દ-અર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ ન સ્વીકારાય, તો ‘ઘટ લાવ” એમ કહેવાથી ઘડો જ લાવે છે, તે દેખાય છે, તે દષ્ટની હાનિ અને ઘડો જોઈતો હોય તો ઘટ લાવ એમ કહે છે તે જગતપ્રસિદ્ધ વ્યવહારનો ઉચ્છેદ થઈ જશે. માટે પ્રત્યક્ષની જેમ, શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકભાવની વ્યવસ્થા યોગ્ય જ છે. ૦ જેને દર્શનમતે શબ્દ – અર્થ વચ્ચેનો સંબંધ ૦ જેનદર્શનમતે પરમાર્થથી તો શબ્દ અને અર્થ વચ્ચે ‘કથંચિત્ તાદામ્ય સંબંધ રહેલો છે, આનો નિર્દેશ કરતા શ્રી ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy