SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार 10 तथाहि-संभवत्येवंवादी-नारब्धव्यमिदम्, अभिधेयादिशून्यत्वात्, काकदन्तपरीक्षादिवदिति, "तदनेनास्य तद्वत्ताप्रकाशकेन वचसा तद्धेतूनामसिद्धतोद्भाव्यत इति । तदयुक्ततरम, यतो यदीदमप्रमाणमिति नाभिधेयादीनि साक्षाल्लक्षयत् प्रवर्तयति, ततः परोपन्यस्तहेत्वसिद्धतां कथयतीति युक्तिरिक्तं पश्यामः, अप्रमाणस्याकिंचित्करत्वात्, अन्यथा प्रमाणविचारणमानर्थक्यमश्नुवीत । तस्मादिदं प्रमाणभूतं सदभिधेयादीनि प्रतिपादयत् प्रेक्षावतः प्रवर्तयतीति प्रकरणादावुपन्यस्तम् । –૦ન્યાયરશ્મિ - પ્રયોગ પરોપજ્યસ્ત હેતુની અસિદ્ધતા બતાવવા માટે છે, નહીં કે સંશય દ્વારા પ્રવૃત્તિ માટે. ૦ અર્ચટમત અયુક્ત છે – ટીકાકારશ્રી ૦ ધર્મોત્તરના મત કરતા પણ અચંટનો મત તો સાવ જ અયુક્ત છે, કારણ કે આદિવાક્યને અપ્રમાણ પણ માનવું છે અને એના દ્વારા પરોપજ્યસ્ત હેતુઓનું નિરાકરણ પણ કરવું છે - એમ બે તો કઈ રીતે થાય ? જો અપ્રામાણિક હોવાના કારણે સાક્ષાત્ અભિધેયાદિ જણાવીને પ્રેક્ષાવાન વ્યક્તિઓને પ્રવૃત્તિ ન કરાવી શકે, તો પરોપજ્યસ્ત હેતુનું નિરાકરણ પણ કઈ રીતે કરી શકે ? અપ્રમાણ તો અકિંચિત્કર છે, અર્થાત્ તે તો કોઈ પણ કાર્ય કરવા સક્ષમ નથી, અને જો અપ્રામાણિક વાક્યથી પણ પરોપજ્યસ્ત હેતુની અસિદ્ધતા સિદ્ધ થઈ શકતી હોય, તો પ્રમાણ - અપ્રમાણની વિચારણા જ બિનજરૂરી થઈ જાય, કારણ કે પ્રમાણનું કાર્ય પણ અપ્રમાણ કરે છે. આમ આદિવાક્યને પ્રમાણભૂત નહીં માનો, તો પ્રેક્ષાવાનોની પ્રવૃત્તિ પણ નહીં થાય અને પરોપજ્યસ્ત હેતુનું નિરાકરણ પણ નહીં થાય, માટે આદિવાક્યને પ્રમાણભૂત માનવું જ જોઈએ. પ્રમાણભૂત આ આદિવાક્ય જ અભિધેયાદિનું અસ્તિત્વ બતાવવા દ્વારા પ્રેક્ષાવાન વ્યક્તિઓને ગ્રંથ વિશે પ્રવર્તાવે છે અને માટે જ આનો ઉપન્યાસ ગ્રંથની શુભ શરૂઆતમાં કરાય છે. ૦ આદિવાક્યની પ્રમાણતા – અપ્રમાણતા અંગે વિચાર ૦ ૦ આદિવાક્ય અપ્રમાણ છે – બૌદ્ધપૂર્વપક્ષ ૦. (૪) બૌદ્ધ ગ્રંથકારોમાં ધર્મોત્તર અને અર્ચટ સુપ્રસિદ્ધ છે, તેઓ આદિવાક્યને પ્રમાણભૂત માનતા નથી, કારણ કે શબ્દ અને અર્થ વચ્ચે કોઈ સંબંધ નથી. માટે શબ્દરૂપ આદિવાક્ય અર્થ વિશે પ્રમાણરૂપ બને નહીં. શબ્દ – અર્થ વચ્ચે સંબંધ નથી - એ અંગે બોદ્ધોની માન્યતા આ પ્રમાણે છે – – ૩૫ર્થસંપ્રેક્ષTO(६) एवंवादीति । एवं वक्ष्यमाणप्रकारेण वादवान् एवं वदनशीलो वा । (७) तदिति तस्मादर्थे अव्ययम्। अनेनादिवाक्येनास्य शास्त्रस्य तद्वत्ता अभिधेयादिमत्ता ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy