SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ न्यायावतार चेतना भवान्तरागतचेतना जीवसंबन्धिनीति प्रतिपद्यामहे । किं च, जीवस्तावत् कर्मचैतन्यसंबन्धाच्छरीरनिर्वर्तनार्थं प्रवर्तत इति युक्तमेवैतत्, भूतानि पुनः किंभूतानि चेतनाकरणे प्रवर्तेरन् 'सचेतनानि निश्चेतनानि वा ? 'यद्याद्यः कल्पः, ततो विकल्पयुगलमवतरतितच्चैतन्यं तेभ्यो ^भिन्नमभिन्नं वा ? यदि भिन्नं तदा ४२१ पुरुषशरीरवत् ४ २२ तत्रापि भूतैः सह वर्तमानमपि भूतविलक्षणमात्मकारणमनुमापयतीति ४२३ तदवस्थैव जीवसिद्धिः । अथाभिन्नम्, तथा सति समस्तभूतानामैक्यं प्रसजति, एकचैतन्याव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत् । निजनिजचैतन्याव्यतिरेकीणि भूतानि तेनायमदोष इति चेन्न, तत्संपाद्यपुरुषशरीरेऽपि तज्जन्यपञ्चचैतन्यप्रसङ्गात् । ૦ ∞ન્યાયરશ્મિ ૦ શરીરની રચના કરવા માટે જીવ પ્રવૃત્તિ કરે છે તે માનવું યુક્ત જ છે, પરંતુ આ ભૂતો કયા સ્વરૂપવાળા હોતે છતે ચેતનાને પ્રગટ કરવા માટે પ્રવૃત્તિ ક૨શે ? શું તેઓ (૧) સચેતન છે કે (૨) અચેતન છે ? જો સચેતન સ્વરૂપ પહેલો કલ્પ ગ્રહણ કરશો, તો અહીં બે વિકલ્પોનું અવતરણ થાય છે. તે ચેતના ભૂતોથી (૧A) ભિન્ન છે કે (૧B) અભિન્ન છે ? જો તે ચેતનાને ભૂતોથી ભિન્ન સ્વીકારો, તો પછી જેમ પુરુષના શરીરમાં ૨હેલ ચૈતન્ય તે પોતાની ઉત્પત્તિમાં શ૨ી૨જનક ભૂતોમાં ચૈતન્યની કલ્પના કરાવે છે, તે જ પ્રમાણે તે ભૂતોની સાથે રહેનાર ચૈતન્ય પણ, પોતાના જનક તરીકે ભૂતથી વિલક્ષણ પોતાની ઉત્પત્તિમાં કારણભૂત એવા અન્ય ચૈતન્યનું અનુમાન કરાવે છે અને તે ચૈતન્ય જ જીવ છે, આમ જીવની સિદ્ધિ થાય છે. જો ચૈતન્ય ભૂતોથી અભિન્ન છે, એમ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો પછી જેટલા ભૂતો છે તે સર્વે એક થવાની આપત્તિ આવશે, કારણ કે એક જ ચૈતન્યથી અભિન્ન છે, પોતાના સ્વરૂપની જેમ, અર્થાત્, સ્વરૂપથી અભિન્ન હોવાથી જેમ પદાર્થ અને સ્વરૂપ એક છે, તેમ ચૈતન્યથી અભિન્ન હોવાથી પોતે અને ચૈતન્ય એક છે, તેથી બધા ભૂતો એક જ થઈ જશે. ચાર્વાકઃ- દરેક ભૂતોનું ચૈતન્ય ભિન્ન-ભિન્ન હોય છે અને તેવું ચૈતન્ય તેનાથી અભિન્ન છે, આ પ્રમાણે હોવાથી બધા ભૂતોમાં ઐક્યતાની આપત્તિ આવતી નથી. જૈનઃ- તો પછી પાંચભૂતોના સમુદાય વડે બનેલ પુરુષના શરીરમાં પણ તે પાંચ ભૂતોથી અભિન્ન રૂપે રહેલ પોત-પોતાનું ચૈતન્ય આવવાથી તેમાં પાંચ પ્રકારના ચૈતન્ય માનવાની આપત્તિ આવશે જ . -૦૬ર્થસંપ્રેક્ષળ– ની (४२१) पुरुषशरीरेत्यादि । यथा पुरुषशरीरे यच्चैतन्यं तत् स्वोत्पत्तये शरीरजनकेषु भूतेषु चैतन्यं कल्पयति । (४२२) तत्रापीति । तेष्वपि भूतेषु तैर्भूतैः सह वर्तते यच्चैतन्यं तदपि स्वजनकेषु भूतेषु तेभ्यो भूतेभ्यो भिन्नमात्महेतुमपरं चैतन्यं गमयतीति । (४२३) तदवस्थेति । अनवच्छिन्नचैतन्यसंतानस्य जीवरूपत्वादित्यभिप्रायः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy