SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - न्यायावतार - श्लो. २९ सर्वत्रानाश्वासप्रसङ्गात् । २६२. अथाभिदधीथा:-मन्दमन्दप्रकाशे प्रदेशे रज्जौ विषधरभ्रान्तिः प्राक्तनी यथोदीचीनेन तन्निर्णयकारिणा विकल्पेन बाध्यते, तथेदमपि स्थिरस्थूरदर्शनं क्षणक्षयिपरमाणुप्रसाधकपरामर्शन, किमत्रायुक्तम्, नैतदस्ति, रज्जुप्रतिभासस्यैव प्राक्प्रवृत्तविषधरभ्रान्त्यपनोददक्षत्वात्, तदभावे च विकल्पशतैरपि निवर्तयितुमशक्यत्वात्, अत्राप्यतीतवय॑तोर्विनष्टानुत्पन्नतयाऽसंनिहितत्वात्, स्थूरावयवानां च स्वावयवेषु भेदाभेदद्वारेण पर्यालोच्यमानानामवस्थानाभावात् क्षणक्षयिपरमाणव एव प्रतिभान्ति, ततश्च प्रतिभास एव स्थिरस्थूरदर्शनस्य बाधक इति चेत्, एवं तर्हि प्रतिभासस्योपदेशगम्यतानुपपत्तेः तथैव व्यवहारः प्रवर्तेत । पाश्चात्यमिथ्याविकल्पविप्लवान्न प्रवर्तते इति चेत्, न अन्यत्राप्यस्योत्तरस्य विप्लवहेतुत्वात् । तथा हि- धवले जलजादौ –૦ન્યાયરશ્મિ – પ્રસિદ્ધ દષ્ટ પદાર્થ, તે અદૃષ્ટને જણાવનાર કુયુક્તિના વિકલ્પો વડે બાધિત કરી શકાય નહીં. જો દૃષ્ટ પદાર્થને માત્ર કલ્પના દ્વારા બાધા પહોંચતી હોય, તો પછી જગતમાં સર્વ ઠેકાણે અવિશ્વાસ ઊભો થશે. (૨૦૨) ઋજુસૂત્રવાદીઃ- જે ઠેકાણે મદ-મન્દ પ્રકાશ રહેલો છે એવા પ્રદેશમાં દોરડામાં સાપની ભ્રાન્તિ થાય છે. દોરડામાં થયેલ સાપની ભ્રાન્તિ, જેમ તેના પછી ઉત્પન્ન થતા દોરડાનો નિર્ણય કરાવતા વિકલ્પ વડે બાધિત થઈ જાય છે, તે જ પ્રમાણે આ સ્થિર, સ્થૂલાકાર પદાર્થનું જ્ઞાન, ક્ષણમાં નાશ થનારા, પરમાણુને સિદ્ધ કરનારા પરામર્શથી બાધિત થઈ જાય છે. તો પછી આ પ્રમાણે સ્વીકાર કરવામાં શું અયુક્ત છે ? જૈન- આ તમે કહેલું શું અયુક્ત નથી ? દોરડાનું પ્રત્યક્ષ જ પહેલા ઉત્પન્ન થયેલા એવા સાપના ભ્રમને દૂર કરી શકે છે. જો દોરડાનું પ્રત્યક્ષ જ ન થાય, તો પછી કેટલાયે હજારો વિકલ્પો આવી જાય, તો પણ તે સાપની બ્રાન્તિને દૂર કરવા માટે સમર્થ થઈ શકતા નથી. એમ ક્ષણિક પરમાણુનું પ્રત્યક્ષ જ સ્થિર-થૂલ અર્થના પ્રત્યક્ષનું બાધક બને, વિકલ્પ નહીં. ઋજુસૂત્રવાદીઃ- અરે તમે વિચાર તો કરો ! જે અતીત પદાર્થો છે, તે તો નાશ પામી ગયા છે અને ભવિષ્યકાલીન પદાર્થો તો હજી ઉત્પન્ન થયા ન હોવાથી, સંનિહિત નથી. સંનિહિત ન હોવાના કારણે, તદ્વિષયક જ્ઞાન કેવી રીતે થઈ શકે ? તથા સ્થૂલ અવયવો, પોતાના અવયવોમાં ભિન્ન સ્વરૂપે રહે છે કે અભિન્ન સ્વરૂપે વગેરે વિચાર કરતા તેની સ્થિતિ ઘટી શકતી નથી, માટે ક્ષણક્ષયી એવા પરમાણુઓનો જ પ્રતિભાસ થાય છે અને તેના દ્વારા સ્થિર અને સ્થૂલ પદાર્થ વિષયક પ્રત્યક્ષનો બાધ થાય છે. જેનઃ- જો ક્ષણિકનું પ્રત્યક્ષ થતું હોય, તો તેના ઉપદેશની જરૂર જ નહીં રહે, પ્રત્યક્ષ દ્વારા જ ક્ષણિકત્વનો વ્યવહાર થઈ જશે. પછી તમે શા માટે તેનો ઉપદેશ આપો છો ? ઋજુસૂત્રવાદીઃ- પ્રત્યક્ષ તો ક્ષણિકનું જ થાય છે, પણ પાછળથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પથી બાધિત થવાના કારણે, તેવો વ્યવહાર પ્રવર્તતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy