SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ) - न्यायावतार - श्लो० २९ भवतस्तात्त्विकमभिप्रेतं तन्नाकस्मिकम्, किं तर्हि नित्यपरमाणुघटितम्, इतरथा निष्कारणत्वेन सर्वदा भावाभावप्रसङ्गात् । न ते परमाणवस्तथा प्रतिभान्तीति चेत्, न, अत एव तेषामनुमानतः सिद्धिः, यदि पुनर्यदेव साक्षान्न विशददर्शने चकास्ति तत्सकलमपलप्येत हन्त बहिवदानीमपलपनीयम्, घटादिवस्तुनोऽप्यर्वाग्भागवर्तित्वङ्मात्रप्रतिभासात् मध्यपरभागादीनामपलापप्रसङ्गात्, तथा च लोकव्यवहारकारितापि विशीर्येत, तावता तदसिद्धेः । – ન્યાયરશ્મિ – કરનારા ન હોવાના કારણે જ અમે તેઓની અનુમાનથી સિદ્ધિ કરીએ છીએ. તે આ પ્રમાણેયજુવાન્વિો મેદ્યઃ મૂર્તત્વે સતિ સાવિયત્વીત્ I દ્વયણુક વગેરે સ્કંધો તે ભેદવા યોગ્ય છે, મૂર્તપણું હોવાની સાથે સાવયવ હોવાથી. જેમ ઘડો મૂર્ત હોવાની સાથે સાવયવ હોવાથી ભેદવા યોગ્ય છે, તે જ પ્રમાણે યણુક વગેરે સ્કંધ મૂર્ત હોતે છતે સાવયવ છે, તેથી તે પણ ભેદવા યોગ્ય છે, અહીં હેતુમાં માત્ર સાવયવ રાખીએ તો સાવયવપણું આકાશમાં હોવા છતાં ભેદવા યોગ્ય નથી તેથી વ્યભિચાર આવે, તેના નિવારણ માટે "મૂર્તત્વે સતિ" આ પ્રમાણે વિશેષણનું ઉપાદાન કર્યું છે. અને આવી રીતે યણુકાદિ સ્કંધના ભેદ દ્વારા જે અંશોની ઉત્પત્તિ થાય છે, તે પરમાણુ કહેવાય છે. અથવા બીજું અનુમાન આ પ્રમાણે જાણવુ- ભુપરિમા તારાચં વિદિશ્રાન્તમ્, પરિમાનતારતમ્યત્વાન્ ! અણુ પરિમાણનું તારતમ્ય તે કોઈને કોઈ જગ્યાએ અટકવું જોઈએ, કારણ કે તે પરિમાણનું તારતમ્યપણું છે. જેમ આકાશમાં મહત્ પરિમાણનું તારતમ્ય જઈને અટકે છે, તેમ જે ઠેકાણે અણુપરિમાણનું તારતમ્ય જઈને અટકે, તે જ પરમાણુ છે. આ અનુમાનથી પરમાણુની સિદ્ધિ થયે છતે પણ, જો તમે જે સાક્ષાત્ સ્વરૂપે પ્રત્યક્ષમાં પ્રતિભાસિત થતું નથી તે સર્વના અપલાપ કરશો, તો પછી તમારે ઘણી બધી વસ્તુનો અપલાપ કરવો પડશે. જેમ કે ઘટાદિ વસ્તુ જે સામે રહેલી છે, તેમાં માત્ર સામે રહેલો ભાગ જ દેખાય છે, અંદર રહેલ કે પાછળ રહેલ ભાગ તો દેખાતો નથી, એટલે તો તે મધ્ય અને પાછળના ઘટના ભાગનો પણ તમારે અપલાપ કરવો પડશે. જો આમ કરશો તો તે ઘટના જલાધારણ વગેરે લૌકિક કાર્યોનો પણ ઉચ્છેદ થઈ જશે, કારણ કે માત્ર આગળના ભાગથી ઘટ વિષયક કાર્યો થઈ શકતા નથી. –૦૩૫ર્થસંપ્રેક્ષUT– (३८०) अनुमानतः सिद्धिरिति । द्वयणुकादिस्कन्धो भेद्यः, मूर्तत्वे सति सावयवत्वात्, कुम्भवत् । सावयवैराकाशादिभिर्व्यभिचारपरिहारार्थं मूर्तत्वे सतीति विशेषणम् । ये च द्वयणुकादिभेदादनन्तरमंशा समुत्पद्यन्ते अवयवास्ते परमाणवः । अथवान्यथानुमानयामः-अणुपरिमाणतारतम्यं क्वचिद् विश्रान्तम्, परिमाणतारतम्यत्वात्, आकाशपरिमाणतारतम्यवत् । यत्र अणुपरिमाणतारतम्यं विश्रान्तं त एव परमाणवः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy