SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ न्यायावतार २३६. अथ अगृहीतसंकेतस्य घटशब्दश्रवणेऽपि घटप्रतीतेरभावाद् व्यतिरिक्त इति चेत्, एवं तर्हि विषस्य मारणात्मकत्वं तदज्ञस्य न प्रतिभातीति तत्ततो व्यतिरिक्तमापद्येत, न चैतदस्ति, तदव्यतिरेकाविशेषेण गुडखण्डवद्विषस्याप्यमारकत्वापत्तेः, संबन्धस्य च व्यतिरिक्तेन सह प्रागेवापास्तत्वात्, तन्न अबुधप्रमातृदोषेण वस्तुनोऽन्यथात्वम्, अन्यथान्धो रूपं नेक्षते इति तदभावोऽपि प्रतिपत्तव्य इति । २३७. ये निरभिधाना वर्तन्तेऽर्थास्तेषां शब्दात्पार्थक्येन वस्तुत्वसिद्धिरिति चेन्न, ૦ન્યાયરશ્મિ ૦ -O તે જ પ્રમાણે શબ્દની પ્રતીતિ થયે છતે અર્થની પ્રતીતિ થાય છે. તેથી અર્થ શબ્દથી અભિન્ન છે એમ નિશ્ચિત થાય છે. (૨૩૬) પ્રશ્નઃ- જે વ્યક્તિએ શબ્દ અને અર્થની વચ્ચે ‘આ શબ્દ દ્વારા આ પદાર્થ જાણવો' એવો સંકેત ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને ‘ઘટ’ એ પ્રમાણે શબ્દ બોલતા ઘટ પદાર્થની પ્રતીતિ થતી નથી. તેથી ‘તન્ત્રતીતૌ તસ્ય પ્રતીયમાનત્વાત્' આ તમારો હેતુ અસિદ્ધ હોવાથી શબ્દ અને અર્થની વચ્ચે ભિન્નતા જ ઘટે છે. ઉત્તરઃ- જો ખબર ન હોવા માત્રથી તેની ભિન્નતા સ્વીકારાતી હોય, તો પછી જે વ્યક્તિને ઝેરમાં મારવાની શક્તિ રહેલી છે એમ ખબર નથી, તે વ્યક્તિના માટે શું ઝે૨ની મારવાની શક્તિ તે ઝેરથી ભિન્ન થઈ જશે ? આવો તો કોઈને અનુભવ થતો નથી. ઝેર અને તેની મા૨વાની શક્તિ આ બન્ને વચ્ચે અભેદ ૨હેલો છે, એ પ્રમાણે સ્વીકાર કરવામાં ન આવે તો પછી ગોળનો ટુકડો અને ઝે૨ બન્ને સરખા થવાની આપત્તિ આવશે, કારણ કે ઝેરમાંથી મારક શક્તિ તો નીકળી ગઈ છે, તેથી જેમ ગોળ ખાવા દ્વારા મારતો નથી, તેમ ઝેરને પણ ખાવાથી મૃત્યુ થશે નહીં. વળી જે વસ્તુ અત્યંત ભિન્ન હોય, તે પદાર્થનો બીજા પદાર્થની સાથે રહેવાનો કોઈપણ સંબંધ ઘટતો નથી, આ તો પહેલા જ સિદ્ધ કરી દીધું છે. તેથી અજ્ઞાની, અગૃહીત સંકેત એવા પ્રમાતાના દોષના કારણે, કાંઈ વસ્તુ જેવી હોય તેનાથી વિપરીત સ્વરૂપે કહેવી યોગ્ય નથી. જો પ્રમાતાના દોષથી વસ્તુ વિપરીતરૂપે થતી હોય, તો પછી કોઈ આંધળા વ્યક્તિને રૂપ દેખાતું નથી, તો પછી તમારે રૂપનો પણ અભાવ જણાવવો જોઈએ, પરંતુ તેવું તો છે નહીં. માટે પ્રમાતાના દોષથી વસ્તુનું વિપરીતપણું માનવું યોગ્ય નથી. તેથી શબ્દ અને અર્થની વચ્ચે અભિન્નતા જ રહેલી છે. ૦ (૨૩૭) અનભિલાપ્ય કોઈ પદાર્થ જ નથી O પ્રશ્નઃ- જે પદાર્થો નામથી રહિત છે, તે પદાર્થોની સાથે શબ્દનું જોડાણ ન હોવાના કારણે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy