SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ચાયાવતાર છે अनुत्पादकस्य च साक्षात्करणे सर्वसाक्षात्करणप्रसङ्गात्, तथा च विशेषाभावात् सर्वो द्रष्टा सर्वदर्शी स्यात्, अनिष्टं चैतद् भवताम्, तस्माद् भावग्राहकमेव तदेष्टव्यम् । स च भावः सर्वत्राविशिष्ट इति तथैव तेन ग्राह्यः, तदुत्तरकालभावी पुनर्विकल्पो 'घटोऽयं पटादिर्न भवति' इत्येवमाकारो व्यवहारं रचयन् अविद्यामूलत्वान्न प्रमाणम्, तन्न प्रत्यक्षाद्विशेषावगतिः । 'नाप्यनुमानादेः, प्रत्यक्षमूलकत्वाच्छेषप्रमाणवर्गस्य, तस्मात् सामान्यमेव परमार्थो न विशेषा રૂતિ સંદE I -૦નાયરશ્મિ – आहुर्विधातृ प्रत्यक्षं न निषेद्धृ विपश्चितः। नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते ।। અભાવ સકલશક્તિથી રહિત સ્વરૂપવાળો હોવાના કારણે, પ્રત્યક્ષની ઉત્પત્તિમાં તેનો વ્યાપાર સંભવી શક્તો નથી. જે પદાર્થ પ્રત્યક્ષનો ઉત્પાદક ન હોય અને તેનો પણ જો સાક્ષાત્કાર માનવામાં આવે, તો પછી સર્વપદાર્થનો સાક્ષાત્કાર માનવાની આપત્તિ આવશે. અને આ પરિસ્થિતિ હોય તો બધે સમાનતા હોવાથી બધા દૃષ્ટા સર્વદર્શી થઈ જશે. આ તો આપને અનિષ્ટ છે. તેથી પ્રત્યક્ષ તે ભાવ પદાર્થને જ ગ્રહણ કરનાર છે, એમ માનવું જોઈએ. તે ભાવ = અસ્તિત્વ, સત્તા સર્વ ઠેકાણે સમાન રૂપે રહેલ હોવાથી તેનું ગ્રહણ પણ પ્રત્યક્ષ દ્વારા અવિશિષ્ટ સ્વરૂપે જ થવું જોઈએ. અવિશિષ્ટ સ્વરૂપે સત્તા ગ્રહણ થયા બાદ તેના ઉત્તરકાળે જે આ વિકલ્પ થાય છે કે, “આ ઘટ છે, પટ વગેરે નથી' તે વ્યવહારની રચના કરે છે, પરંતુ અવિદ્યામૂલક હોવાના કારણે તે પ્રમાણભૂત નથી. તેથી પ્રત્યક્ષદ્વારા વિશેષોનો બોધ થઈ શકતો નથી. અનુમાનાદિ પ્રમાણો દ્વારા વિશેષનો બોધ શક્ય નથી, કારણ કે અન્ય સર્વ પ્રમાણોનું મૂળ = ઉત્પત્તિ સ્થાન પ્રત્યક્ષ જ છે. હવે જો પ્રત્યક્ષ વડે વિશેષોનું ગ્રહણ ન થતું હોય, તો પછી અન્ય પ્રમાણો દ્વારા વિશેષોનું ગ્રહણ ક્યાંથી થઈ શકે ? મૂળ જ ન હોય તો શાખા-પ્રશાખા ક્યાંથી આવે ? માટે વિશેષો કોઈપણ પ્રમાણ દ્વારા ગૃહીત થતાં ન હોવાના કારણે, અપ્રમાણિક તેમનું અસ્તિત્વ સ્વીકારી શકાતું નથી. તેથી સામાન્ય જ પારમાર્થિક પદાર્થ છે. વિશેષો માત્ર અવિદ્યામૂલક છે, એમ સંગ્રહનયવાદીની માન્યતા છે. સંગ્રહનયના અભિપ્રાયને સંગૃહીત કરનારો શ્લોકાર્થ:- “સત્ રૂપતાને ત્યાગ કર્યા વિના આખું જગત સ્વસ્વભાવમાં રહેલું છે. સર્વપદાર્થનો સત્તાસામાન્યરૂપે સંગ્રહ કરતો નય સંગ્રહનય કહેવાય છે.” For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy