SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Q.२५२ ચાયાવતાર विशिष्टदेशदशावच्छिन्नपदार्थग्राहितया तत्प्रवृत्तेः, अन्यथा विशेषसंवेदनत्वायोगात् । न चैतौ परस्परविभिन्नावपि प्रतिभासमानौ सामान्यविशेषौ कथंचिन्मिश्रयितुं युक्तौ, अतिप्रसङ्गात्, विभिन्नप्रतिभासिनामपि निखिलार्थात्मनामैक्यप्राप्तेः । २२७. एवं च प्रमाणयति-परस्परविश्लिष्टौ सामान्यविशेषौ, पार्थक्येनोपलब्धेः, इह यद्यत् पार्थक्येनोपलभ्यते तत्तत् परस्परविश्लिष्टं द्रव्यम्, तद्यथा-देवदत्तयज्ञदत्ताविति, पार्थक्येन चोपलभ्येते सामान्यविशेषौ, अतः परस्परविभिन्नाविति । न सामान्यात् पृथग्विशेषोपलम्भ इति चेत्, कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम्, सामान्यव्याप्तस्येति चेत्, न तर्हि स विशेषोपलम्भः, –૦ન્યાયરશ્મિ - નથી. જો ભિન્ન રૂપે પ્રતિભાસિત થતી વસ્તુને પણ ભેગી કરાતી હોય, તો પછી ઘટ-પટ વગેરે ભિન્નભિન્ન સ્વરૂપે પ્રતિભાસિત થતા પદાર્થોમાં પણ ઐક્ય માનવાની આપત્તિ આવશે. તેથી સામાન્ય-વિશેષ તે બન્ને જુદા જ છે. 0 સામાન્ય - વિશેષને ભિન્ન સિદ્ધ કરનાર પ્રમાણ ૦ (૨૨૭) સામાન્ય અને વિશેષના પાર્થક્યને સિદ્ધ કરનારા પ્રમાણની આ પ્રમાણે પ્રવૃત્તિ થશેઃસામાન્યવિશેષો પરસ્પરવિન્નિષ્ટ પાર્થયેનો ધ્યેઃ | સામાન્ય - વિશેષ પરસ્પર ભિન્ન છે, કારણ કે પૃથક્ સ્વરૂપે તેમને ઉપલબ્ધિ થાય છે. જે જે વસ્તુની પૃથક્ સ્વરૂપે ઉપલબ્ધિ થાય છે, તે તે પરસ્પર ભિન્ન દ્રવ્યો હોય છે, જેમ કે પૃથક્ રૂપે ઉપલબ્ધ થતાં દેવદત્ત અને યજ્ઞદત્ત. તે પ્રમાણે પૃથફ-પૃથફ રૂપે સામાન્ય-વિશેષની પણ ઉપલબ્ધિ થાય છે, તેથી તે બન્ને પરસ્પર ભિન્ન છે. પ્રશ્ન- તમે કહો છો કે, સામાન્યથી વિશેષ ભિન્ન છે, કારણ કે પૃથફ રૂપે ઉપલબ્ધિ થાય છે, પરંતુ ઘટ વગેરે પદાર્થોમાં તો સામાન્યથી પૃથફ રૂપે વિશેષનો ઉપલંભ જ થતો નથી, તેથી તમારો આ હેતુ અસિદ્ધ છે. ઉત્તર:- સામાન્યથી વિશેષનો જો પૃથફ સ્વરૂપે ઉપલંભ ન થતો હોય, તો પછી અમે તમને પૂછીએ કે ઘટ વગેરે વિશેષની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે? પૂર્વપક્ષ- ઘટવાદિ સામાન્યથી વ્યાપ્ત સ્વરૂપે જ ઘટ વગેરે વિશેષનો ઉપલંભ થાય છે. ઉત્તરપક્ષ- તે યોગ્ય નથી, કારણ કે ઘટવ વગેરે સામાન્યનું પણ તે જ્ઞાનમાં ગ્રહણ થતું હોવાથી તેને ઘટ વગેરે વિશેષના ઉપલંભ રૂપે કહી શકાય નહીં અને પૃથુબુવ્વાદિ આકાર વિશિષ્ટ એવા ઘટ વિશેષનો, તે બોધમાં પૃથક સ્વરૂપે ગ્રહણ ન થતું હોવાથી, પ્રમાતા વિશેષ માટે પ્રયુક્ત કરાતા ઘટ વગેરે શબ્દ તથા તેનાથી સાધ્ય વ્યવહારને વિષે પ્રવૃત્તિ કરશે નહીં, પરંતુ તે પ્રકારે તો દેખાતું નથી કે, ઘટ શબ્દ અને તેના વ્યવહારનો અભાવ થઈ જતો હોય, ઉલટાનો તે રીતે જ સર્વજનની પ્રવૃત્તિ થાય છે. તેથી વિશેષ એવા ઘટ વગેરે શબ્દ અને વ્યવહારની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy