SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪ न्यायावतार परानभ्युपगमयति, इत्यलं विस्तरेण । तस्मात्तस्यैव तत्र प्रतिभासनात् सर्वसंविदामनेकान्तात्मकं वस्तु गोचर इति स्थितम् ।। -૦ન્યાયરમિ – (૩) અનવસ્થા- પદાર્થ જે અંશની અપેક્ષાએ નિત્ય છે તે અંશની અપેક્ષાએ શું (૧) નિત્ય જ છે કે, (૨) ત્યાં પણ નિત્યાનિત્ય છે ? જો નિત્ય જ છે એમ પહેલો પક્ષ સ્વીકારવામાં આવે તો પછી અનેકાન્તવાદની ક્ષતિ થઈ જશે અને જો નિત્યાનિત્ય સ્વરૂપવાળો બીજો પક્ષ સ્વીકાર કરો, તો પાછો ત્યાં પ્રશ્ન આવર્તન થશે કે, જે અંશની અપેક્ષાએ નિત્ય છે તે અંશની અપેક્ષાએ શું (૧) નિત્ય જ છે કે (૨) નિત્યાનિત્ય ? આમ કરતા અનવસ્થા દોષ તૈયાર જ રહેશે, અનિત્યપક્ષને આશ્રયીને પણ આ રીતે અનવસ્થા આવે જ. (૪) વૈયધિકરણ્ય - ભિન્ન-ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત છે જેમના એવા બે શબ્દોનું, એક જ પદાર્થમાં રહેવું તેને સામાનાધિકરણ્ય કહેવાય છે. જેમકે :- નીલોત્પલ. અહીં એક કમળરૂપ દ્રવ્યમાં, નીલગુણને આશ્રયીને નીલ શબ્દની પ્રવૃત્તિ થાય છે અને ઉત્પલત્વ જાતિને આશ્રયીને ઉત્પલ શબ્દની પ્રવૃત્તિ થાય છે. આમ ભિન્ન-ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળા નીલ અને ઉત્પલ શબ્દોનું એક અધિકરણમાં રહેવાપણું હોવાના કારણે, સમાનાધિકરણ્ય તેમાં ઘટી શકે છે. પ્રસ્તુતમાં નિત્યવાનિયત્વાદિ ધર્મોને તમે દ્રવ્યથી અભિન્ન સ્વરૂપે સ્વીકારેલ છે, તેથી આની અપેક્ષાએ જે નીલધર્માત્મક વસ્તુ નીલશબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત છે, તે જ સદશપરિણામ સ્વરૂપ ઉત્પલત્વજાતિ આત્મક ઉત્પલશબ્દનું પણ પ્રવૃત્તિ નિમિત્ત છે. તેથી જો અનેકાન્તને સ્વીકાર કરશો તો પછી અભિન્ન પ્રવૃત્તિનિમિત્ત હોવાથી સામાનાધિકરણ્ય ઘટી શકતું નથી, માટે અહીં વૈયધિકરણ્ય દોષ આવે છે. (૫) અસંભવઃ- તથા જે યુક્તિઓ દ્વારા સંશય, વિરોધ આદિ દોષો આવે છે. તેનાથી અસંભવ દોષ પણ આવે જ છે, કારણ કે એક જ વસ્તુ નિત્ય, અનિત્ય વગેરે અનેક ધર્મોથી યુક્ત હોઈ શકતી નથી. આ પ્રમાણે પરવાદી વડે ઉભાવિત કરાયેલા સંશય, વિરોધ, અનવસ્થા, વૈયધિકરણ્ય, અસંભવ, વગેરે સર્વ દોષો તે નિર્મૂલક એવી મિથ્યા કલ્પના વડે ઉત્પન્ન કરાયેલા હોવાના કારણે, અનુભવ (પ્રત્યક્ષ) રૂપી હઠોડા વડે નાશ કરાયેલા માથાવાળા થઈ જવાથી જીવવા માટે પણ ઉત્સાહને ધારણ કરતા નથી, અર્થાત્ અનેકાન્તવાદમાં કોઈપણ જાતના ઉપરોક્ત દોષો આવતા નથી. આ પ્રમાણે તથા પ્રતિભાસ સ્વરૂપ હેતુ, અસિદ્ધતા વગેરે દોષોથી રહિત હોવાના કારણે, પ્રમાણ અનેકાન્તાત્મક વસ્તુને જ વિષય કરે છે, આમ બીજાઓને પણ સ્વીકાર કરાવે છે. હવે ઘણા વિસ્તારથી સર્યું. તેથી છેલ્લો નિષ્કર્ષ આ આવ્યો કે, “પરસ્પરથી અભિન્ન અનેક ધર્મોથી યુક્ત પદાર્થનો જ પ્રમાણમાં પ્રતિભાસ થાય છે તેથી સર્વજ્ઞાનનો વિષય પણ તે જ છે. આ સિદ્ધાન્ત આટલી ચર્ચાવિચારણાથી નિશ્ચિત થયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy