SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭૧ न्यायावतार - श्लो० २९ यद्युपकार्योपकारकभावव्यतिरेकेणापि भवति, ततः सर्वत्राविशेषेण प्रसज्येत, तदभावाविशेषात्। अस्त्येवोपकार्योपकारकभाव इति चेत्, हन्त हतोऽसि अनेकोपकारकस्यानेकस्वभावताप्राप्तेः, तद्विरहेऽनेकोपकारकत्वाभावात् । न हि येन स्वभावेनैकस्योपकरोति तेनैव द्वितीयस्य, तस्य तत्रैवोपयुक्तत्वात्, द्वितीयोपकारकस्वभावस्य तदुपमर्दनद्वारेणोत्पत्तेः, इतरथैकमेवोपकुर्वस्तिष्ठेत्, तदेकस्वभावत्वात् । भिन्नाभिः शक्तिभिरुपकरोति न भिन्नैः स्वभावैः, तेन नानेकान्त इति चेत्, –૦નાયરશ્મિ - જૈનઃ- આ પણ યોગ્ય નથી, સમવાય જો ઉપકાર્ય ઉપકારક ભાવ વિના પણ તે પદાર્થની સાથે તે ધર્મોનું જોડાણ કરતો હોય, તો પછી ઉપકાર્ય-ઉપકારકભાવનો અભાવ તો સર્વત્ર સમાનરૂપે રહેલ હોવાથી, પૂર્વની જેમ તે ધર્મોને સર્વત્ર રહેવાનો પ્રસંગ આવશે. નૈયાયિક - અરે ભાઈ ! તે સમવાયનો ધર્મીની સાથે અમે ઉપકાર્ય-ઉપકારક ભાવ સ્વીકારીએ છીએ, તેથી પૂર્વોક્ત કોઈપણ આપત્તિ આવશે નહીં. જેન- અરે ખેદની વાત છે ! સમવાય અને ધર્મીની વચ્ચે ઉપકાર્ય - ઉપકારક ભાવ સ્વીકારશો, તો પછી અનેકના ઉપર ઉપકાર કરનારા એવા સમવાયમાં અનેક સ્વભાવતા સ્વીકારવી પડશે. અનેક સ્વભાવતાને માન્યા વિના અનેક ઉપર ઉપકાર કરનાર છે, એમ ઘટી શકશે નહીં. જે સ્વભાવથી સમવાય એક ધર્મને ધર્મીમાં રાખવાનો ઉપકાર કરે છે, તે જ સ્વભાવથી બીજા ધર્મને રાખવાનો ઉપકાર તે કરી શકતો નથી, કારણ કે તે સ્વભાવ તો પહેલા ધર્મને જ રાખવા માટે ઉપયુક્ત થયેલ છે. જો સમવાયમાં બીજો સ્વભાવ સ્વીકારમાં આવે, તો તેની ઉત્પત્તિ પ્રથમ સ્વભાવને નાશ કર્યા વિના થઈ શકતી નથી. જો પ્રથમ સ્વભાવનો નાશ જ ન થાય, તો પછી સમવાયનો એક જ સ્વભાવ હોવાથી એક જ ધર્મને વિષે ઉપકાર કરતો રહેશે. બીજાનો વારો જ આવશે નહીં. નૈયાયિકા- ઉપકારક એવા સમવાયમાં ભિન્ન-ભિન્ન સ્વભાવ નથી રહેતા, પણ એક જ સ્વભાવ રહેલો છે, છતાં પણ તેમાં ભિન્ન-ભિન્ન શક્તિઓ રહેલી છે, તેના દ્વારા તે ધર્મી ઉપર અનેક ધર્મોને રાખવા દ્વારા ઉપકાર કરી શકે છે. આ પ્રમાણે સ્વીકારતા અમને અનેક સ્વભાવ સ્વીકારવાનું ન થવાથી અનેકાન્તની આપત્તિ આવતી નથી. જૈન- ઓ! આ શક્તિ વળી શું છે ! આ શક્તિ સ્વીકારવા છતાં અમે પૂછીએ કે, આ શક્તિઓ તે એક સ્વભાવવાળા ઉપકારક એવા સમવાયમાં કેવી રીતે રહે છે? જો તમે એમ કહેશો કે, સમવાય સંબંધથી તે શક્તિઓનું જોડાણ એક સ્વભાવવાળા સમવાયમાં થાય છે, તો પછી તે સમવાય એક સ્વભાવવાળા સમવાયની સાથે ઉપકાર્ય-ઉપકારક ભાવ વિના રહે છે કે, ઉપકાર્ય-ઉપકારક ભાવથી રહે છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો પૂર્વની જેમ ઉપકાર્ય - ઉપકારક ભાવ ન હોવાથી સર્વત્ર રહેવાની આપત્તિ આવશે. જો ઉપકાર્ય-ઉપકારક ભાવ માનવામાં આવે, તો પછી ફરીથી તે બીજા સમવાયમાં અનેક સ્વભાવ માનવાની આપત્તિ પૂર્વની યુક્તિથી આવે જ. જો ફરીથી શક્તિને ઉપકારક એવી ભિન્ન શક્તિ માનવામાં આવે, તો પછી પૂર્વોક્ત દોષોનો છુટકારો અનેકાન્તને સ્વીકાર્યા વગર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy