SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ न्यायावतार 10 साध्यप्रतीतेः परार्थानुमानावसरेऽपि हेतुप्रतिपादनमेव कर्तव्यम्, "विदुषां वाच्यो हेतुरेव हि केवलः" - इति वचनात्, तेषां कृतकत्वाद् इतीयता हेतूपन्यासेनैव सिसाधयिषितसाध्यसिद्धेः समस्तदृष्टान्ताभासवर्णनमपि पूर्वापरव्याहतवचनरचनाचातुर्यमाविर्भावयति | आसातां तावदेतो, दृष्टान्तरय साधनावयवत्वेनानभ्युपगमात् । अथेत्थमाचक्षीथा:-अन्वयव्यतिरेकापरिज्ञाने प्रतिपाद्यस्य न दृष्टान्तमन्तरेणैतौ दर्शयितुं शक्यौ, अतोऽन्वयव्यतिरेकदर्शनार्थं दृष्टान्तोऽभिधातव्यः, ततश्च तत्कार्याकारिणां तदाभासतेति चेत्, गले गृहीतस्यायमुल्लाप तथाप्यप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेको दृष्टान्ताभासौ न वास्तवौ, किं तर्हि वक्तृदोषसमुत्थौ, अतो नाभिधातुं युक्तौ, तथाविधस्य विद्यमानवस्तुप्रकाशनसामर्थ्यरहितस्य निबिडजडिमावष्टब्धस्य पुंसो वादानधिकारित्वाद्, मातृकापाठशालायोग्यतया विदुषां वादयितुमयुक्तत्वादिति ।। २५ ।। १८३. तदेवं परार्थानुमानं व्याचक्षाणेन यदुक्तम-यदुत तत्पक्षादिवचनात्मकमिति –૦ન્યાયરશ્મિ – મતે, “તત્વા’ સ્વરૂપ હેતુ ઉપન્યાસ કરવા દ્વારા જ, સિદ્ધ કરવા માટે ઈચ્છિત એવા સાધ્યની સિદ્ધિ થઈ જતી હોવાથી, સંપૂર્ણ દૃષ્ટાંતાભાસોનું વર્ણન પણ પૂર્વાપરબાધિત એવી વચન રચનાની ચાતુર્યતાને જ પ્રગટ કરે છે, અર્થાત્ દૃષ્ટાંતની જરૂર જ નથી તો દૃષ્ટાંતાભાસ શી રીતે માની શકાય? તથા અપ્રદર્શિતવ્યતિરેક અને વિપરીત વ્યતિરેકની વાત તો જવા દો, તમે તો દૃષ્ટાંતને સાધ્યની સિદ્ધિ કરવાના અંગ રૂપે જ સ્વીકારેલ નથી, તો પછી આ દૃષ્ટાંતાભાસતા વગેરેનું વર્ણન કરીને શું ફાયદો થશે ? શંકા- અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન ન હોતે છતે, પ્રતિવાદી અથવા સાંભળનારને દષ્ટાંત વિના અન્વય - વ્યતિરેક જણાવી શકાતા નથી, તેથી તે જણાવવા માટે દૃષ્ટાંત કહેવું જોઈએ અને અન્વયવ્યતિરેક જણાવવાનું કાર્ય જે દૃષ્ટાંત ન કરે, તેને દષ્ટાંતાભાસ કહેવાય છે. સમાધાનઃ- આ તો કોઈ વ્યક્તિનું ગળું પકડ્યું હોય અને ત્યારે તે જોર-જોરથી ચીસ પાડે, તેના જેવી ચેષ્ટા છે, એટલે કાંઈપણ કરીને છેલ્લે તો તમારે દષ્ટાંત અને દષ્ટાંતાભાસને સ્વીકારવા જ પડે છે છતાં પણ અપ્રદર્શિતવ્યતિરેક અને વિપરીતવ્યતિરેક તે દૃષ્ટાંતાભાસ રૂપે થઈ શકતા નથી, કારણ કે તે વક્તાના દોષના કારણે જ ઉત્પન્ન થયેલા છે જે વસ્તુ જે સ્વરૂપે વિદ્યમાન છે, તે વસ્તુને તે સ્વરૂપે કહેવાના સામર્થ્યથી રહિત, અત્યંત બુદ્ધિની જડતાથી યુક્ત એવા પુરૂષને વાદ કરવાનો જ અધિકાર નથી. તે તો નાના છોકરાઓની શાળામાં ભણવા માટે યોગ્ય હોવાથી, વિદ્વાનોની સાથે વાદ કરવા માટે તેનો અધિકાર જ નથી. આ પ્રમાણે વૈધર્મદષ્ટાંતાભાસને જણાવવા પૂર્વક દષ્ટાંતાભાસનું વર્ણન પૂર્ણ થયું. (૨૫) ૦ દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂ૫ ૦. (૧૮૩) આ પ્રમાણે પરાર્થાનુમાનને જણાવતાં જે કહેવાયેલું કે, “પરાર્થાનુમાન તે પક્ષાદિ વચનાત્મક હોય છે તેમાં પક્ષ, હેતુ, અને દૃષ્ટાંત તથા તેના આભાસ વગેરેનું પ્રતિપાદન કરવા દ્વારા પરાર્થાનુમાન સંબંધી વક્તવ્યતા પ્રાયઃ સંપૂર્ણ થઈ. હવે માત્ર પક્ષાદિ વચનાત્મક પરાર્થાનુમાનને વિષે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy