SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ न्यायावतार श्लो० २३ विरोधात्, तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नातीति ततो निवर्तमानमनन्यशरणतया नित्यत्वं साधयति । तथा हि-क्षणिकोऽर्थः 'सद् वा कार्यं कुर्यात्, असद् वा, गत्यन्तराभावात् । 'न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात्, सकलभावानां परस्परं कार्यकरणभावप्राप्त्यातिप्रसङ्गाच्च । `नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते, असतः कार्यकरणशक्तिविकलत्वात्, अन्यथा शशविषाणादयोऽपि कार्यकरणायोत्सहेरन्, विशेषाभावादिति । - १७४. तदेवमेकान्तद्वयेऽपि ये ये हेतवस्ते ते युक्तेः समानतया विरुद्धं न व्यभिचरन्ति, अविचारितरमणीयतया मुग्धजनध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिकाः, ∞ન્યાયરશ્મિ ૦ - ♦ અપેક્ષાએ અર્થક્રિયા કરવા માટે સમર્થ નથી. અર્થક્રિયાનો અભાવ થવાથી અર્થક્રિયા કરવા સ્વરૂપ સત્ત્વ પણ ક્ષણિકમાંથી નિવર્તન થતાં, અનન્યશરણસ્વરૂપે નિત્ય પદાર્થને સિદ્ધ કરે છે. અર્થક્રિયાની અઘટમાનતા આ પ્રમાણે જાણવીઃ- ક્ષણિક પદાર્થ પોતાનું કાર્ય ક્યારે કરે ? (૧) જ્યારે પોતે વિદ્યમાન હોય ત્યારે, કે (૨) પોતે અવિદ્યમાન હોય ત્યારે ? આ બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે કે, ‘ક્ષણિક પદાર્થ પોતાની વિદ્યમાનતા હોય ત્યારે કાર્યને કરે.’તે યોગ્ય નથી, કારણ કે તે પદાર્થનો, સમાનકાલીન અન્ય પદાર્થના વિષયમાં વ્યાપાર ઘટતો નથી, અર્થાત્ સમાનકાલીન અન્ય પદાર્થને તે ઉત્પન્ન કરી શકે નહીં. જેમકે ડાબું શિંગડું જમણા શિંગડાને ઉત્પન્ન કરતું નથી. વળી બીજો દોષ આ પ્રમાણે જાણવો કે, સર્વ પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ માનવાની આપત્તિ આવે. તે આ રીતેઃ- નિયતપૂર્વવર્તિતા કારણતાની નિયામક છે. જો કારણની સમાનકાલીન પણ કાર્ય હોય, તો પૂર્વવર્તિતાને કારણ માનવાનું કોઈ પ્રયોજન ૨હેશે નહીં. જો સમાનકાલીન પદાર્થ કારણ બનશે તો પછી સમાનકાલીન સર્વ પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ માનવો પડશે. જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે કે, ‘પોતાની અવિદ્યમાનતામાં ક્ષણિક પદાર્થ કાર્ય કરે' તે પણ યોગ્ય નથી, કેમ કે અસત્ વસ્તુમાં કાર્ય કરવાની શક્તિ હોતી નથી. અસત્ પદાર્થ પણ જો કાર્ય કરવા લાગે, તો તો શવિષાણ વગેરે અસત્ પદાર્થો પણ કાર્ય ક૨વા લાગશે, કારણ કે અસત્આપણું તો બન્ને જગ્યાએ સમાનરૂપે રહેલું છે. આ પ્રમાણે હોવા છતાં, એક કાર્યને કરે અને અન્ય ન કરે તેવું માનવા માટે કોઈ નિયામક નથી. આમ ક્ષણિક પદાર્થમાં પણ કોઈ પણ રીતે અર્થક્રિયા ઘટતી ન હોવાથી, સત્ત્વ ત્યાંથી નિવૃત્ત થઈ નિત્ય પદાર્થમાં આવીને રહે છે. આમ નિત્યવાદી દ્વારા અનિત્યવાદી ઉપર દૂષણ અપાય છે. (૧૭૪) તેથી એકાન્ત નિત્ય કે અનિત્યની સિદ્ધિ ક૨વા માટે જે કોઈપણ હેતુઓનો ઉપન્યાસ ક૨વામાં આવે, તે સર્વે હેતુઓ, યુક્તિની સમાનતા હોવાથી વિરૂદ્ધપણાને તેઓ વ્યભિચારી નથી, એટલે કે વિપક્ષમાં પણ તે સર્વ હેતુઓની વૃત્તિતા રહેલી જ છે. એકાન્ત નિત્યાનિત્યને સિદ્ધ કરનારા સર્વ હેતુઓ, જ્યાં સુધી વિચારણા કરવામાં ન આવે ત્યાં સુધી જ સુંદર લાગે છે. તેથી જે મુગ્ધજન = = ભોળા માણસો છે, જે સૂક્ષ્મ વિચારણામાં શક્તિમાન નથી, તેવા જીવોની બુદ્ધિને વિષે તેઓ અંધાપાને કરે છે, ભ્રમ પેદા કરે છે. આમ આ સર્વ હેતુઓ વિપક્ષમાં પણ રહેતા હોવાથી અનૈકાન્તિક For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy