SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ न्यायावतार - श्लो. १८ १५९. अधुना दृष्टान्तलक्षणावसरः । स च द्वेधा साधर्येण वैधर्येण च । तत्र साधर्म्यदृष्टान्तमधिकृत्याह साध्यसाधनयोर्व्याप्तिर्यत्र निश्चीयतेतराम । साधर्येण स दृष्टान्तः संबन्धस्मरणान्मतः ।। १८ ।। दृष्टयोरवलोकितयोः सामर्थ्यात् २३६साध्यसाधनयोः अन्तः परिनिष्ठितिः अन्वयाद व्यतिरेकाद्वा साध्यसाधनभावव्यवस्थितिनिबन्धना यस्मिन्निति दृष्टान्तः, समानो धर्मोऽस्येति २३७सधर्मा तद्भावः –૦ન્યાયરશ્મિ - ૦ દાંતનું લક્ષણ અને તેના ભેદો... ૦ (૧૫૯) પરાર્થનુમાનને વિષે હેતુનું લક્ષણ જણાવ્યા બાદ, હવે દૃષ્ટાંતનું લક્ષણ કહેવાનો અવસર છે. દૃષ્ટાંત બે પ્રકારના છે, (૧) સાધર્મ દૃષ્ટાંત (૨) વૈધર્મ દષ્ટાંત. તેમાં પહેલા સાધર્મ દૃષ્ટાંતનું લક્ષણ જણાવતા કહે છે... શ્લોકાર્થ- જ્યાં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ સ્પષ્ટપણે નિર્ણત થાય તેને સાધર્મ દૃષ્ટાંત કહેવાય છે. આ દૃષ્ટાંતનો પ્રયોગ સંબંધના સ્મરણ કરાવવા માટે સ્વીકાર કરાયેલ છે (૧૮) વિવેચન - પરાર્થાનુમાનમાં પક્ષ અને હેતુનો વચનાત્મક પ્રયોગ પર પ્રતિપત્તિમાં કારણભૂત છે એ વ્યુત્પન્નમતિવાળા જીવને આશ્રયીને યોગ્ય છે, કારણ કે તેને તો આ બે દ્વારા જ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. તેવા જીવને આશ્રયીને દૃષ્ટાંત વગેરેનો પ્રયોગ નિરર્થક છે, માટે દૃષ્ટાંતને પરાર્થનુમાનના અંગરૂપે સ્વીકારેલ નથી, તો પણ મન્દબુદ્ધિવાળા જીવો માટે દૃષ્ટાંત ખુબ જ ઉપયોગી હોવાથી તેઓને વિષે ઉપકાર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી દૃષ્ટાંતનું લક્ષણ જણાવે છે. દૃષ્ટાંત, દૃષ્ટ અને અન્તઃ આ બે શબ્દોના સમાસથી બનેલો શબ્દ છે. દષ્ટ એટલે જોવાયેલા, પ્રસ્તુતમાં સામર્થ્યથી સાધ્ય-સાધનનો, અંત = પરિનિષ્ઠા = અન્વય અથવા વ્યતિરેક દ્વારા આ સાધ્ય છે, આ સાધન છે, એવો સંબંધ નિર્ણત થઈ જાય એ પરિનિષ્ઠા, આ જ્યાં નિશ્ચિત થયેલ છે તે દૃષ્ટાંત કહેવાય છે. દષ્ટાંત સાધમ્મ અને વૈધર્મે એમ બે પ્રકારે છે. તેમાંથી સાધર્મેદષ્ટાંતનું લક્ષણ જણાવતા કહે છે કે, સમાન છે ધર્મ જેનો તેને સધર્મા કહેવાય અને તેનો ભાવ અર્થમાં તદ્ધિતનો ય પ્રત્યય લાગતા સાધમ્મ થાય છે. તેના સ્વરૂપને જણાવતા કહે છે કે, જીજ્ઞાસાના વિષયરૂપે થયેલ અર્થ તે સાધ્ય, અને તેને સિદ્ધિ કરનારો જે હોય તે સાધન = હેતુ. આ હેતુ આ સાધ્ય વિના રહેતો નથી, આ પ્રમાણેની વ્યાપ્તિ જે ઠેકાણે અત્યંત નિર્ણત થાય તેને સાધમ્મ દૃષ્ટાંત કહેવાય છે. દા.ત. = “આ પ્રદેશ અગ્નિવાળો હોવો જોઈએ, કારણ કે અગ્નિ હોય તો જ ધૂમનું અસ્તિત્વ હોઈ શકે છે, જેમકે – ૩૫ર્થસંપ્રેક્ષા – (२३६) साध्यसाधनयोरित्यादि । अन्वयेन व्यतिरेकेण वा साध्यसाधनभावस्य इदमस्य साध्यमिदमस्य साधनमिति संबन्धस्य व्यवस्था निबन्धनं यस्याः परिनिष्ठितेः सा तथोक्ता । (२३७) सधर्मेति । धर्मादन् केवलात् इति बहुव्रीहौ धर्मशब्दादन् समासान्तः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy