SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧૧ २०४ न्यायावतार - श्लो. ८ सूचकत्वायोगात् । ननु हेतुप्रतिपादने यदि तत् प्रमाणम्, ततो हेतुसमर्थकप्रमाणान्तरप्रतीक्षणं न विशीर्येत, २०३ तेनैव निर्णीतस्वरूपत्वात्तस्य प्रमाणसिद्धे पुनः प्रमाणान्तरवैयर्थ्यात् । नैतदस्ति, भवत्परिकल्पिताध्यक्षस्याप्रामाण्यप्रसङ्गात्, तद्दर्शितेऽर्थे विकल्पप्रतीक्षणात्तस्यैव प्रामाण्यमासज्येत । तद्गृहीतमेवार्थमसावभिलापयतीति चेत्, शब्दप्रतिपादितं हेतुं प्रमाणान्तरं समर्थयते इति समानो न्यायः ।। ८ ।। १३३. शाब्दं च द्विधा भवति-लौकिकं शास्त्रजं चेति । तत्रेदं द्वयोरपि साधारणं लक्षणं प्रतिपादितम्, समर्थनं पुनरविप्रतारकवचनप्रभवस्येहादिवाक्यप्रस्ताव एव लौकिकस्य विहितम्, –૦નાયરશ્મિ - કરતો હોવાથી, ઉપચારતયા (ગૌણરૂપે) શબ્દને પ્રમાણ માની શકાય, પણ વાસ્તવમાં નહીં. જેન- આ વાત યોગ્ય નથી, કારણ કે જે પદાર્થ વસ્તુતઃ અપ્રમાણ જ હોય તે કોઈનું સૂચક પણ બની શકે નહીં. બૌદ્ધઃ- જો, હેતુનું પ્રતિપાદન કરવામાં વચન પ્રમાણ હોય, તો પછી હેતુનું સમર્થન કરવામાં (અર્થાત્ હેતુ સાધ્વગમક છે એ બતાવવા માટે) જે બીજા પ્રમાણો અપાય છે (જેમ કે હેતુમાં વ્યભિચાર વિગેરે દોષોનો ઉદ્ધાર કરાય છે) તેની જરૂર જ નહીં રહે, કારણ કે વચનથી જ હેતુનું સ્વરૂપ નિર્ણત થઈ ગયું અને તે પ્રમાણસિદ્ધ છે, તો પછી બીજા પ્રમાણોથી તેની સિદ્ધિ નિરર્થક થશે. જૈન - આ બરાબર નથી, તે આ રીતે - તમે પ્રત્યક્ષને પ્રમાણ માનો છો, છતાં, પ્રત્યક્ષથી જે અર્થ જણાયો, તેનો જ વિકલ્પ ઉત્પન્ન થાય તો જ તેને પ્રમાણ માનો છો. એટલે જો તમે એમ કહેશો કે હેતુના પ્રતિપાદનમાં વચન પ્રમાણ નથી, એટલે જ બીજા પ્રમાણોની અપેક્ષા રહે છે, તો અમે એમ કહીશું કે પ્રત્યક્ષ પ્રમાણ નથી, એટલે જ તેને વિકલ્પની અપેક્ષા રહે છે. આમ પ્રત્યક્ષ અપ્રમાણ અને વિકલ્પ પ્રમાણ બની જવાની આપત્તિ આવશે. બૌદ્ધ - નિર્વિકલ્પપ્રત્યક્ષથી ગૃહીત અર્થને જ, વિકલ્પ શબ્દથી કહે છે, માટે એટલા માત્રથી નિર્વિકલ્પ અપ્રમાણ બની જાય, એવું નથી. જેન- તો અમે પણ એ જ કહીએ છીએ, કે શબ્દપ્રતિપાદિત હેતુને જ અન્ય પ્રમાણો સમર્થન કરે છે, માટે એટલા માત્રથી શબ્દ અપ્રમાણ બની જાય, એવું નથી. તેથી “શાબ્દજ્ઞાન'ની પણ પ્રમાણરૂપે સિદ્ધિ થાય છે. (૮) (૧૩૩) શાબ્દ પ્રમાણના બે પ્રકાર છે. (૧) લૌકિક, અને (૨) શાસ્ત્રજ. તેમાં લૌકિક શાબ્દપ્રમાણ, જે અવિપ્રતારક પુરુષના વચનથી ઉત્પન્ન થાય છે, તેમાં પ્રમાણત્વનું સમર્થન તો આદિવાક્યની ચર્ચામાં કરી જ દીધું છે. પરંતુ હવે શાસ્ત્રજન્ય શાબ્દનું સમર્થન કરવાનું છે, એટલે –૦૩૫ર્થસંપ્રેક્ષા— (૨૦૩) તે શબ્દેન I (૨૦૪) તજી દેતોઃ || ૮ || For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy