SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १३५ न्यायावतार श्लो० ६ ૧૨૧. शङ्कानिवृत्तेरनाश्वास एव । न च ९० तदर्थप्राप्त्यादिकमारेकानिराकरणकारणं कल्पनीयम्, स्वप्नावस्थायां तत्सद्भावेऽप्यलीकार्थतासिद्धेः । बाधकप्रत्ययोपनिपातात् १९१ तस्यासत्यार्थतेति चेत्, न, १९२तस्य स्वगोचरपर्यवसितत्वेन बाधकत्वायोगात् । अन्यथा नीलमाददाना देवदत्तबुद्धिः प्राक्प्रवृत्तपीतबुद्धेर्बाधिकापद्येत, सर्वप्रतिभासस्य बाधकाभावसिद्धेश्च १९३ समानता । तस्माद भ्रान्ताभ्रान्तज्ञानभ्रान्तिरियं મવતામ્, , १९४ विवेकाभावेन सर्वस्यालीकार्थत्वादिति ।। ६ ।। ∞ન્યાયરશ્મિ ૦ જ્ઞાન, જ્ઞાનરૂપે તો સમાન જ જણાય છે. જો સ્પષ્ટ પ્રત્યક્ષના વિષયભૂત બે ચન્દ્ર વિગેરે પણ અલીક સાબિત થતા હોય, તો જે જ્ઞાનનો સર્વ વિષય સત્ય હોવાની માન્યતા છે, તેના વિષયભૂત અર્થ પણ અલીક હોવાની આશંકા ઊભી જ રહે છે.. જૈનઃ- એ આશંકાની નિવૃત્તિ અર્થપ્રાપ્તિ દ્વારા થઈ જશે, એટલે જળ વગેરે અર્થની પ્રાપ્તિ થાય તો જ્ઞાન યથાર્થ-અનલીકાર્થ છે, એમ નિશ્ચય થઇ જશે. બૌદ્ધઃ- અર્થપ્રાપ્તિ થાય એટલા માત્રથી જ્ઞાન યથાર્થ ન માની શકાય, કારણ કે અર્થપ્રાપ્તિ તો સ્વપ્નમાં પણ થાય છે, છતાં તે યથાર્થ બનતું નથી. માટે અલીકાર્થતાની આશંકા તો સત્યજ્ઞાનમાં પણ ઊભી જ રહે છે. જૈનઃ- સ્વપ્નજ્ઞાનની અલીકાર્થતા એટલા માટે છે, કે પાછળથી બાધક પ્રત્યય થાય છે, જેનાથી સ્વપ્નજ્ઞાનની અસત્યાર્થતાનો નિશ્ચય થાય છે. (જેમ કે સ્વપ્નમાં પોતાને રાજા બનેલો જુએ, પણ ઉઠી જતાં જાતને ભિખારી તરીકે જૂએ ત્યારે સ્વપ્નજ્ઞાનની અલીકાર્થતા સિદ્ધ થાય છે.) અદ્વૈતવાદીઃ- ના, જે પાછળથી થતો પ્રત્યય છે, તે તો પોતાનો વિષય જ બતાવે છે. તે પૂર્વે થયેલા જ્ઞાનના વિષયમાં બાધક ન બની શકે. નહીં તો દેવદત્તને પહેલા પીતવર્ણનું જ્ઞાન થયું પછી કાળાંતરે નીલવર્ણનું જ્ઞાન થાય તો તે નવું જ્ઞાન પૂર્વના પીતજ્ઞાનનું બાધક બને તેમ માનવું પડશે. જૈનઃ- નીલજ્ઞાન તો સ્વસામગ્રીબળે ઉત્પન્ન થયું હોવાથી પીતજ્ઞાન તેમાં બાધક ન બની શકે. બૌદ્ધઃ- એમ તો સ્વપ્નજ્ઞાન માટે પણ કહી શકાય – એટલે બધા જ જ્ઞાનો એવા જ છે કે જેમાં કોઈ બાધક ન બને. એટલે, અર્થપ્રાપ્તિ હોય તે અભ્રાન્ત, ન હોય તે ભ્રાન્ત.. વિગેરે તમારી ભ્રાન્તિ છે, કારણ કે કોઈ ભેદ વિના બધા જ જ્ઞાનના વિષયભૂત અર્થ અલીક જ છે. (૬) -0. અર્થસંપ્રેક્ષ— (१९०) तदर्थप्राप्त्यादिकमिति । तस्य प्रतिभासमानस्य जलादेरर्थस्य प्राप्तिः, आदिशब्दात् पानावगाहनाद्यर्थक्रियापरिग्रहः । (૧૧૧) તત્ત્વતિ । સ્વપ્નજ્ઞાનસ્ય | (૧૬૨) તત્ત્વ વાધપ્રત્યયસ્ય | (૧૬૩) સમાનતેતિ || कश्चित्प्रतिभासो बाध्यो नापि च बाधकः । (१९४) विवेकाभावेनेति । विवेको भ्रान्तात् स्वप्नज्ञानादेरभ्रान्तस्य પાર્થચેન વ્યવસ્થાપનમ્ || ૬ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy