SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ न्यायावतार 10 विकल्पकभ्रान्ताभ्रान्तादिरूपमभ्युपयतो १८९बहिरथे विरुद्धधर्माध्यासप्रतिषेधबुद्धिः केवलं जाड्यं सूचयति । तन्न प्रमाणं कथंचिद् भ्रान्तं समस्ति, स्वरूपप्रच्यवप्रसङ्गादिति स्थितम् । १२५. ननु च तद्दर्शितार्थालीकतया ज्ञानस्य भ्रान्तता, न 'स्वरूपेण, न च तदुदयसमये कस्यचिदिदमलीकार्थम्, इदं त्वनलीकार्थमिति विवेकेनावधारणं समस्ति; भ्रान्तताभ्रान्तताभिमतयोस्तदेकरूपतया प्रकाशनात् । यदा च विशददर्शनपथचारिणोऽपि शशधरयुगलादयोऽलीकतामाविशन्तो दृश्यन्ते, तदा सकलसत्यार्थताभिमतप्रतिभासेष्वप्यलीकार्थता –૦નાયરમિ શકે છે - તેમાં કોઈ વિરોધ નથી, તેથી તમે જે વિરોધ ઊભો કરો છો તે પણ આવો જ હોવાથી ધ્યાન દેવા યોગ્ય નથી. બીજી વાત, તમે (અદ્વૈતવાદી) જે સંવેદનને પારમાર્થિક અપેક્ષાએ પ્રત્યક્ષ – અવિકલ્પ અને અભ્રાન્ત માનો છો, તે જ સંવેદનને વ્યાવહારિક અપેક્ષાએ અપ્રત્યક્ષ – સવિકલ્પ અને બ્રાન્ત માનો છો - આમ એક જ સંવેદનમાં પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ, ભ્રાન્ત - અભ્રાન્ત, સવિકલ્પ - અવિકલ્પ વિગેરે વિરૂદ્ધ ધર્મો માનતા તમને વિરોધ નથી દેખાતો અને “એક જ સ્થળે ભિન્ન-અભિન્નત્વ, રાગ - અરાગાદિ વિરૂદ્ધ ધર્મો શી રીતે રહે ?” – એમ અહીં તમને વિરોધ દેખાય છે – આ તો તમારી માત્ર મૂર્ખતા જ વ્યક્ત થાય છે. માટે જે પ્રમાણરૂપ હોય તે ક્યારે પણ ભ્રાન્તરૂપ ન જ હોય, જો તેને ભ્રાન્ત માનશો, તો તે પોતાના પ્રમાણસ્વરૂપથી જ ટ્યુત થશે - અપ્રમાણ બની જશે. તેથી પ્રત્યક્ષ જો પ્રમાણરૂપ હોય તો તેને અભ્રાન્ત જ માનવું જોઈએ. (૧૨૫) બૌદ્ધઃ- જ્ઞાન તે સ્વરૂપથી ભ્રાંત નથી, પરંતુ તે જ્ઞાન દ્વારા દર્શાવેલો અર્થ અલીક (ખોટો) હોવાથી, તાહક જ્ઞાન પણ અલીક મનાય છે. પ્રશનઃ- પણ, બધું જ જ્ઞાન અલીક અર્થને જ ગ્રહણ કરે છે, એમ શી રીતે કહેવાય ? ઉત્તરઃ- જે વખતે જ્ઞાનનો ઉદય થાય, તે વખતે “આનો અર્થ અલીક છે અને આનો અર્થ અનલીક છે” – એમ પૃથગુ રૂપે કોઈને પણ નિશ્ચય થતો નથી, માટે સંવેદિત થતાં જ્ઞાનનો વિષય અલીક પણ હોઈ શકે છે. પ્રશ્ન- પણ, જે જ્ઞાનનું સ્પષ્ટરૂપે સંવેદન થતું હોય, તે જ્ઞાનને અલીકાર્થવિષયક શી રીતે મનાય ? ઉત્તર- સ્પષ્ટરૂપે સંવેદન થતું જ્ઞાન ભ્રાન્ત' પણ હોઈ શકે છે, કારણ કે ભ્રાન્ત-અભ્રાન્ત બંને -अर्थसंप्रेक्षण(१८९) बहिरर्थे । बाह्यवस्तुनि भेदाभेदादिविरुद्धधर्माध्यासेन कृत्वा हेतुना वा प्रतिषेधबुद्धिः केवलं मन्दतां प्रकटयति । - शास्त्रसंलोक(101) "સર્વમાન્ડને બ્રાન્તમ, સ્વરુપે " #માણવા./ મી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy