SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ © ૧૨૦ न्यायावतार 10 तर्हि, न समवायः; तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत् । 'भिन्नश्चेत्, स कथं तेषु वर्तेत सामस्त्येन आहोस्विदेकदेशेन । तद्यदि सामस्त्येन, तदयुक्तम्, समवायबहुत्वप्रसङ्गात्, प्रतिसमवायि तस्य परिसमाप्ततावाप्तेः | Bअथैकदेशेन, तदप्यचारु, सांशताप्रसङ्गेन निरवयवत्वक्षतेः, स्वांशवर्तनेऽपि सामस्त्यैकदेशचोद्यावताराच्च । तत्रापि सामस्त्यपक्षे बहुत्वं तदवस्थमेव । एकदेशपक्षे त्वंशान्तरप्रसङ्गेनानवस्था । तन्न समवायबलाद् गमकतां प्रत्याशा -અન્યાયરશ્મિ – જેન- ભિન્ન એવો સમવાય, સમવાયીઓમાં કઈ રીતે રહે છે? “સામત્યેન કે એકદેશથી? 2.A સમવાયીથી ભિન્ન એવો સમવાય, રૂપ-રસ વિગેરે સમવાયીઓમાં સામત્યેન અર્થાત્ સંપૂર્ણતયા રહે છે, એમ કહો તો સમવાય અનેક માનવાની આપત્તિ આવશે, કારણ કે પ્રત્યેક સમવાયીમાં તે સંપૂર્ણતયા રહે છે. (જ્યારે તમે તો સમવાયને એક જ માનો છો, તેથી અપસિદ્ધાંત થશે.) 2.B સમવાયીથી ભિન્ન એવો સમવાય, સમવાયીઓમાં એકદેશન - આંશિક પણે રહે છે, એમ માનીએ તો સમવાય એકદેશથી અમુક વ્યક્તિમાં, બીજાદેશથી અમુક વ્યક્તિમાં એમ સમવાયના અલગ-અલગ દેશ-અંશ-અવયવો થઈ જતાં, તમે જે સમવાયને નિરંશ અને નિરવયવ માનો છો, તેની ક્ષતિ થશે. તથા, તમે જે કહ્યું કે “સમવાય એકદેશથી રહે છે' - તે અંગે આવો પ્રશ્ન ઉભો થાય છે કે માનો કે રૂપ-રસ બે સમવાયી છે, અડધો સમવાય રૂપમાં રહે છે, અડધો સમવાય રસમાં રહે છે – આમ સમવાયના બે અવયવ થયા. હવે વૈશેષિક-નૈયાયિકમતે, અવયવી અવયવમાં રહે છે. એટલે સમવાયરૂપ અવયવીને તેના બે ટુકડામાં રહેવું પડે. તે બંનેમાં તે સામસ્યથી રહે છે કે એકદેશથી ? સામત્યેન કહો તો સમવાય અનેક થઈ જાય અને એકદેશેન કહો તો સમવાય નિરવયવ ન રહે, સાથે-સાથે સમવાય જે એકદેશન એકદેશમાં રહે છે, તે એકદેશમાં પણ સમવાય કઈ રીતે રહે છે ? સામત્યેન કે એકદેશેન ? ... વગેરે પ્રશ્નપરંપરા ચાલતા અનવસ્થા થશે. આમ સમવાયનું અસ્તિત્વ જ શક્ય નથી, તો પછી તે સમવાયના આધારે “રૂપાદિ તે રસાદિના ગમક છે” એવી વ્યવસ્થા તમે શી રીતે કરી શકો ? ઉપરોક્ત સમવાયના નિરાસથી વૈશેષિકકલ્પિત સંયોગીરૂપ લિંગનું પણ ખંડન થાય છે, કારણ કે સમવાયપક્ષભાવી સર્વ દોષો અહીં આવે છે. તે આ રીતે - સંયોગ બંને સંયોગીથી અભિન્ન/ભિન્ન ? અભિન્ન હોય તો સંયોગ છે જ નહીં, ભિન્ન હોય તો બંનેમાં સામત્યેન/એકદેશેને ? સામત્ય હોય તો અનેકસંયોગ, એકદેશ હોય તો સાંશત્વ, ફરી તે દેશોમાં સામત્યેન કે એકદેશન એવી અનવસ્થા.... તથા વિરોધરૂપ લિંગ પણ, વિરૂદ્ધના અભાવનો ગમક બનવા દ્વારા છેલ્લે તો અન્યથાનુપપન્નત્વ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy