SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ન્યાયાવતાર ) स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव, बहिरापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयन्नाह- ग्रहणेक्षया इति, इह ग्रहणं प्रक्रमाद् बहिः प्रवर्तनमुच्यते, अन्यथा विशेषणवैयर्थ्यं स्यात्, तस्येक्षा अपेक्षा तया, बहिःप्रवृत्तिपयलोचनयेति यावत् । ९८. तदयमर्थः यद्यपि स्वयं प्रत्यक्षम्, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणे साक्षात्कारितया व्याप्रियते इति “परोक्षमित्युच्यते । एतच्च बुभुत्सितार्थान्यथानुपपन्नार्थान्तरप्रतीतिव –૦નાયરશ્મિ – સ્વરૂપે જ થાય છે. પરંતુ ફેર પડે છે બાહ્યર્થને અવલંબીને. પરોક્ષ બાહ્યર્થનો જ અસાક્ષાત્ બોધ કરાવે છે – એ જણાવવા જ શ્લોકમાં “ગ્રહણક્ષયા” પદ મૂક્યું છે. પ્રસ્તુતમાં ગ્રહણનો અર્થ છે – બાહ્ય અર્થ તરફ પ્રવર્તવું – આમ જ ગ્રહણનો અર્થ કરવો, નહીંતર ગ્રહણ રૂપ વિશેષણ જ વ્યર્થ થશે. તે આ રીતે – ગ્રહણનો અર્થ “બહિઃ પ્રવર્તન' (બાહ્ય પદાર્થ વિશે પ્રવર્તન) એવો ન કરીએ અને “સ્વરૂપમાત્રને જાણવું” એમ કરીએ, તો સ્વસંવેદનથી તો બધા જ જ્ઞાન પ્રત્યક્ષ જ હોવાથી, અને પરોક્ષરૂપ કોઇપણ જ્ઞાન વ્યવચ્છેદ્યરૂપે ન મળવાથી, પ્રત્યક્ષના લક્ષણમાં મૂકેલ ‘અપરોક્ષતયા” એવું વિશેષણ વ્યર્થ બની જાય... તેથી ગ્રહણનો બાહ્ય પ્રવર્તન' અર્થ જ યોગ્ય છે અને “ઇક્ષા' નો અર્થ અપેક્ષા છે. માટે ગ્રહણક્ષયાનો અર્થ થયો કે “બાહ્ય અર્થ તરફ પ્રવર્તનની અપેક્ષાએ (૯૮) તેથી સંપૂર્ણ અર્થ :- જે જ્ઞાન આપણે પરોક્ષ માનીએ છીએ, તે જ્ઞાન સ્વસંવેદનની અપેક્ષાએ તો પ્રત્યક્ષ જ છે, પરંતુ લિંગ-શબ્દાદિ દ્વારા બાહ્ય પદાર્થનું અસાક્ષાત્કારી જ્ઞાન કરાવે છે, માટે તે અપેક્ષાએ તે પરોક્ષ છે. આ પરોક્ષ જ્ઞાન, જીજ્ઞાસિત અર્થથી અન્યથાનુપપન્ન એવા અર્થાતરની પ્રતીતિને આશ્રયીને બે પ્રકારના ધર્મવાળું છે, એટલે તેનું સામાન્ય લક્ષણ હોવાથી એકાકાર હોવા છતાં, બીજાની વિપ્રતિપત્તિના નિરાકરણ માટે બે પ્રકારે ભેદ પડે છે. (પરોક્ષતયા ર્થાદવું - એ સામાન્ય લક્ષણ છે. અર્થાતરની પ્રતીતિને આશ્રયીને બે પ્રકાર પડે છે – એ આશય છે.) તેથી (૧) અનુમાન અને (૨) શાબ્દ – એમ પરોક્ષના બે ભેદ પાડ્યા છે. -शास्त्रसंलोक(71) "प्रत्यक्षादितरदसाक्षात्कारिज्ञानं परोक्षमवगन्तव्यम् । तदपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरर्थापेक्षया परोक्षमिति दर्शयति। ग्रहणेक्षयेति ग्रहणमर्थाद् बहिः प्रवर्तनम्, तस्येक्षा पर्यालोच्यता तया" न्या.हा. "परोक्षं यद्यपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षं, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणेऽसाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यते।" षड्द.टी पृ.३४६ । (72) “યત્ર દિ વિશેષોપસર્નનસામાન્ય પ્રતિમાસો જ્ઞાને તે સ્પષ્ટ વ્યવયિતે, યત્ર 7 સામાજોપ सर्जनविशेषप्रतिभासः सामग्रीविशेषात् तत् स्पष्टमुच्यते।" -सन्मति.टी.पृ.२६० । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy