SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી / ગાથા ૬૧ ૩૪૯ નથી કે, “અત્યારે મેં આ છંદકની ભિક્ષા ગ્રહણ કરી છે, તો મારે પણ તેને પ્રસંગે ભિક્ષા આપવી પડશે.” પરંતુ છંઘને જ્યારે એવું જણાય કે, “દાન આપનાર આ છંદકની નિર્જરા માટે મારે આહાર ગ્રહણ કરવો ઉચિત છે, અને મારા સ્વાધ્યાયાદિની વૃદ્ધિ માટે પણ આહાર ગ્રહણ કરવો ઉચિત છે,” ત્યારે ઇંદ્ય છંદકના દાનનું ગ્રહણ કરે છે, પરંતુ મોહને પરવશ થઈને વિપરીત અધ્યવસાય કરતા નથી અર્થાત્ આવા સાધુઓ છંદના સામાચારીનું પાલન કરતી વખતે તે પાલનની સાથે સંભવિત એવા મોહના પરિણામને કરતા નથી, પરંતુ ભગવાનના વચનાનુસાર ઉચિત ભાવોને કરીને નિર્જરાફળને પામે છે. અહીં વિશેષ એ છે કે, કોઈ વ્યક્તિ માયાવી હોય તો પોતાના હૈયામાં વર્તતો મલિનભાવ જણાવા ન દે જેમ વિનયરને પોતાનો મલિનભાવ ગુરુને જણાય નહીં તે રીતે પ્રવૃત્તિ કરી હતી. તેથી અલક્ષિતચિત્ત-અભિપ્રાયવાળો હોય તે ગંભીર, તેવું માત્ર કહીએ તો વિનયરત્ન પણ આવા ગુણવાળા પ્રાપ્ત થાય. પરંતુ તે તેમની ગંભીરતા માયામાંથી પેદા થયેલી છે, તેથી દોષરૂપ છે. અને અહીં સામાચારી પાલન કરનાર મુનિઓ શાસ્ત્રવચનથી ભાવિત થયેલા હોય છે, તેથી ગંભીર હોય છે, તે ગંભીરતા અહીં ગ્રહણ કરવાની છે. અને આથી આવી વ્યક્તિઓના વર્તનમાં ક્યાંય ચિત્તના વિકારરૂપ અભિપ્રાય પ્રગટ થતો નથી, અને અંદરમાં એવી કોઈ માયા પણ હોતી નથી, કે જેથી પોતાને વિકાર હોવા છતાં કોઈને ન જણાઈ જાય તે રીતે ચિત્તને પ્રવર્તાવે. પરંતુ સ્વાભાવિક રીતે તત્ત્વથી ભાવિત મતિ હોવાથી વિકાર વિનાનું ચિત્ત હોય છે. આવી પારમાર્થિક ગંભીરતા અહીં ગ્રહણ કરેલ છે. Iકવા ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे छन्दना विवृता ।।८।। આ પ્રકારે=આઠમી છંદના સામાચારી ગાથા-પપ થી ૬૧ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં છંદના સામાચારી વર્ણન કરાઈ. llcil. * છંદના સામાચારી સમાપ્ત ક | | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy