SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૧ ટીકાર્ય - નન..... પરાગપ્રતિક્ષેત્વિ, નિશ્ચયના આરાધનમાં=સાધુ દ્વારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરીને નિશ્ચયનયની આરાધનામાં, વ્યવહારનું વિરાધન=ગૃહસ્થaષવાળાને સાધુ વંદન કરે એ રૂપ વ્યવહારનું વિરાધન, અકિંચિત્કર છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – તે પણ વ્યવહારનય પણ, બલિકતર છે=બળવાન છે; કેમ કે સ્વસ્થાનમાં તેનું વ્યવહારનયનું, પર દ્વારા=નિશ્ચય દ્વારા, અપ્રતિક્ષેપ્યપણું છેઅનિરાકરણ કરવા યોગ્યપણું છે. * “તો પિત્રવ્યવહારનયોગવિ' અહીં ‘વ’ થી નિશ્ચયનયનો સમુચ્ચય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે સાધુવેષરહિત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને વંદન કરવાના સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારનયનો પ્રતિક્ષેપ=નિરાકરણ=નિષેધ થઈ શકતો નથી, તો પછી અનુયોગદાનના અવસરે વ્યાખ્યાન કરનારને નિશ્ચયનયનું અવલંબન કરીને દીર્થસંયમપર્યાયવાળા સાધુ કેમ વંદન કરે છે ? અર્થાત્ વંદન ન કરવું જોઈએ; કેમ કે જેમ ગૃહસ્થમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણની આરાધના અર્થે વ્યવહારનયનો પ્રતિક્ષેપ=નિષેધ સ્વીકારવો ઉચિત નથી, તેમ જ્ઞાનગુણની આરાધના અર્થે વ્યાખ્યાનકારને દીર્થસંયમપર્યાયવાળાએ વંદન કરવા અર્થે વ્યવહારનો પ્રતિક્ષેપ સ્વીકારવો ઉચિત નથી. તેના સમાધાનરૂપે એ કહેવું પડે કે વ્યાખ્યાનગુણને આશ્રયીને જે વંદનની પ્રવૃત્તિ છે તે નિશ્ચયનું સ્થાન છે, વ્યવહારનું સ્થાન નથી. તેથી વ્યવહારના અસ્થાનમાં વ્યવહારનો પ્રતિક્ષેપ કરીને નિશ્ચયથી પ્રવૃત્તિ થઈ શકે છે, અને તેની પુષ્ટિ કરવા અર્થે અન્ય હેતુ કહે છે – ટીકાર્ય : સ્થાને .... તુચત્વાન્ ! અને અસ્થાનમાં પ્રતિક્ષેપનું નિશ્ચયનયમાં પણ તુલ્યપણું છે. * નિવડવિ' અહીં સ’ થી એ કહેવું છે કે, વ્યવહારનું તો અસ્થાનમાં પ્રતિક્ષેપ્યપણું છેઃનિરાકરણ કરવા યોગ્યપણું છે, પણ નિશ્ચયનું પણ અસ્થાનમાં પ્રતિક્ષપ્યપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, એવું કોઈ વ્યવહારનું સ્થાન નથી કે જેમાં નિશ્ચયનું સ્થાન ન હોય. માટે પૂર્વમાં કહ્યું કે અસ્થાનમાં પ્રતિક્ષેપનું નિશ્ચયમાં પણ તુલ્યપણું છે, તે સંગત નથી. તેના નિરાકરણ અર્થે કહે છે – ટીકાર્ચ - નાનાલ્યમૂવાં.... નિરવયાનવત્ એવા પ્રકારનું વ્યવહારનું સ્થાન નથી જેનિશ્ચયનું અસ્થાન હોય, એ પ્રમાણે ન કહેવું; કેમ કે વંઘમાં દોષના અપ્રતિસંધાન=વંદ્યમાં દોષની અનુપસ્થિતિ અને ગુણની પ્રતિસંધાનદશામાં ગુણની ઉપસ્થિતિમાં, વ્યવહારનો અવકાશ હોવા છતાં પણ નિશ્ચયનયનો અવકાશ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy