SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૦ ૪૧૭ માટે જ્ઞાનગુણથી અધિક એવા વ્યાખ્યાન કરનારને દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરે તે ઉચિત છે. આ નિશ્ચયનયને વ્યવહારનય દૂષણ આપે છે કે, જો આ રીતે તે જ્ઞાનગુણથી અધિક અને પર્યાયથી લઘુ એવા પણ વ્યાખ્યાન કરનાર સાધુ અધિકસંયમપર્યાયવાળાથી વંદ્ય હોય, તો જે સાધુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નથી, તેવા સાધુથી ક્ષાયિક સમ્યગ્દર્શનગુણવાળો ગૃહસ્થ પણ વંઘ થાય; કેમ કે જેમ જ્ઞાનઆરાધના અર્થે વ્યાખ્યાનગુણથી અધિક એવા સાધુને દીર્ધસંયમપર્યાયવાળા સાધુ પણ વંદન કરી શકે, તેમ દર્શનઆરાધના માટે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ સાધુએ વંદન કરવું જોઈએ; કેમ કે જેમ જ્ઞાન મોક્ષનું કારણ છે, તેમ દર્શન પણ મોક્ષનું કારણ છે. આ પ્રમાણે વ્યવહારનયે નિશ્ચયનયને આપેલ દોષ ઉભયનયમતને પ્રમાણરૂપે સ્વીકારવાથી નિરાકરણ થાય છે; કેમ કે ઉભયનયમતનો સ્વીકાર કરવો એટલે નિશ્ચયના સ્થાને નિશ્ચયને પ્રધાનરૂપે સ્વીકારવો અને વ્યવહારને ગૌણરૂપે સ્વીકારવો, અને વ્યવહારનયના સ્થાને વ્યવહારને પ્રધાનરૂપે સ્વીકારવો અને નિશ્ચયનયને ગૌણરૂપે સ્વીકારવો. આથી વ્યાખ્યાનગુણનો અવસર છે ત્યારે નિશ્ચયનયને પ્રધાન કરીને જ્ઞાનગુણને પ્રધાન કરવામાં આવે છે, તેથી પર્યાયયેષ્ઠ દીર્થસંયમપર્યાયવાળા, સાધુ પણ તે વ્યાખ્યાન આપનારને વંદન કરે છે; અને વાચના આપનાર લઘુપર્યાયવાળા સાધુ જ્યારે ચારિત્રની આરાધના કરવા અર્થે વંદનમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે જે દીર્થસંયમપર્યાયવાળા સાધુ વાચનાની માંડલીમાં પોતાને વંદન કરતા હતા તે દીર્થસંયમપર્યાયવાળા સાધુને વ્યવહારનયને પ્રધાન કરીને સ્વયં વંદન કરે છે. તેથી ઉભયનયનો સ્વીકાર કરવા અર્થે નિશ્ચયના સ્થાને નિશ્ચયનયથી પ્રવૃત્તિ થાય છે અને વ્યવહારનયના સ્થાને વ્યવહારનયની પ્રવૃત્તિ થાય છે. આમ છતાં, વ્યવહારના સ્થાને કદી નિશ્ચયનયથી પ્રવૃત્તિ ન થાય, માટે જે ગૃહસ્થ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે, તેનામાં દર્શનગુણ વિશેષ છે, તો પણ સાધુઓ ક્યારેય તેવા શ્રાવકને વંદન કરતા નથી; કારણ કે ગૃહસ્થવેષમાં રહેલાને સાધુવેષમાં રહેલા વંદન કરે તે વ્યવહારને અત્યંત બાધ કરનાર છે. જ્યારે વ્યાખ્યાન વખતે દીર્ધસંયમપર્યાયવાળા સાધુ જ્ઞાનગુણને આશ્રયીને નાના સાધુને વંદન કરે છે, ત્યારે વ્યાખ્યાન કરનાર સાધુ સંયમપર્યાયથી નાના હોવા છતાં સાધુવેષમાં છે, માટે ત્યાં વ્યવહારનો બાધ થતો નથી; પરંતુ તે સ્થાનમાં નિશ્ચયનય મુખ્ય બને છે અને વ્યવહારનય ગૌણ બને છે, માટે ત્યાં વંદન કરવામાં દોષ નથી. જ્યારે ગૃહસ્થવેષમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વંદન કરવામાં વ્યવહારનયનો અત્યંત બાધ છે, માટે સાધુઓ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રાવકને વંદન કરતા નથી. આમ છતાં વ્યવહારનિરપેક્ષ એવા એકાંત નિશ્ચયનયની દૃષ્ટિથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા ગૃહસ્થને વંદન સંભવી શકે; પરંતુ એકાંત નિશ્ચય તે સુનય નથી, દુર્નય છે. માટે ઉભયનયના સ્વીકારથી દુર્નયરૂપ એકાંત નિશ્ચયનયનું નિરાકરણ થાય છે અને જ્ઞાન ગુણવાળાને વંદન કરાય છે, એ નિશ્ચયના સ્થાનમાં વ્યવહારનયે જે દોષ આપેલ તેનું પણ નિરાકરણ થાય છે. IIળા અવતરણિકા : एतदर्थमेव विवेचयति - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy