SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૦ ભાવાર્થ : પૂર્વ ગાથા-૮૬માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, વ્યાખ્યાન સમયે લઘુપર્યાયવાળા વ્યાખ્યાનકાર સાધુ પણ જ્ઞાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ છે, એ કથન નિશ્ચયનયની દૃષ્ટિએ છે. વ્યાખ્યાનશ્રવણકાળ સિવાય શેષકાળમાં દીર્ઘપર્યાયવાળાને વંદન થાય છે, તે કથન વ્યવહારનયને આશ્રયીને છે. આથી અધ્યયનકાળ સિવાય દિર્ધસંયમપર્યાયવાળા સાધુને વ્યાખ્યાનકાર સાધુ પણ વંદન કરે છે. તેથી સ્થિતપક્ષ પ્રમાણે વ્યવહારનયના સ્થાને વ્યવહારનયની પ્રવૃત્તિ થાય છે અને નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનયની પ્રવૃત્તિ થાય છે. આથી ચારિત્રપર્યાયને સામે રાખીને વંદન કરવું હોય ત્યારે દીર્થસંયમપર્યાયને વિચારીને વંદનવ્યવહાર થાય છે, અને વ્યાખ્યાન સાંભળવા બેસવું હોય ત્યારે વ્યવહારનયનું અવલંબન ન લેતાં નિશ્ચયનયથી વ્યાખ્યાનગુણનો વિચાર કરીને વંદનવ્યવહાર થાય છે. એના દ્વારા વ્યવહારનયે નિશ્ચયનયમાત્રના અવલંબીઓને જે દૂષણ આપ્યું, તે પ્રતિક્ષિપ્ત થાય છે, એ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં બતાવે છે. જોકે આ પ્રકારનું દૂષણ પૂર્વમાં ક્યાંય અપાયેલું નથી, પરંતુ વ્યવહારનયે જે નિશ્ચયમાત્રને અવલંબીને દૂષણ બતાવ્યું છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવવાના છે, અને તેનો પરિહાર ઉભયનયના મતના સ્વીકારવાથી થઈ જાય છે. ગાથા : एएण नाणगुणओ लहुओ जइ वंदणारिहो नूणं । होइ गिहत्थो वि तहा गणंतरेणं ति णिद्दलियं ।।१०।। છાયા : एतेन ज्ञानगुणतः लघुको यदि वंदनार्हो नूनम् । भवति गृहस्थोऽपि तथा गुणान्तरेणेति निर्दलितम् ।।९।। અન્વયાર્થ : ન જો નહુષો લઘુનાળાનોજ્ઞાનગુણથી (વ્યાખ્યાનકાળમાં) વંગારિદો-વંદનયોગ્ય દોડું છે, તો મૂi=નક્કી કૃત્યો વિગૃહસ્થ પણ વંતરેશ=ગુણાંતરથી (સાયિક સમ્યક્ત ગુણથી) તહીંતેવો છે=વંદ્ય છે. રિએ કથન TUM આના દ્વારા=ઉભયમતના સ્વીકાર દ્વારા,forનિયંત્રવિદલિત છે નિરાકૃત છે. ગાથાર્થ : જો લઘુ પણ જ્ઞાનગુણથી (વયપર્યાયથી જ્યેષ્ઠને પણ) વંદન યોગ્ય છે, તો નક્કી ગૃહસ્થ પણ ગુણાંતરથી (ક્ષાયિક સમ્યક્ત્વ ગુણથી) તેવો છે વંઘ છે, એ કથન ઉભયમતના સ્વીકાર દ્વારા નિરાકૃત થાય છે. II૯oll ટીકા : एएण त्ति। एतेन उभयमताङ्गीकारेण, इति-एतद् - भणितं निर्दलितं-निराकृतम् । इतीति किम् ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy