________________
४५०
उ कीरइ जो पुव्वट्ठिओ चरित्तंमि ।।' (पंचवस्तु- १०१५) इति ।
ટીકાર્ય :
‘નિચ્છયાણા ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
નિશ્ચયનયથી=ભાવપ્રધાનવાદી એવા શબ્દાદિનયથી, ય==અહીં અર્થાત્ જ્યેષ્ઠત્વના વિચારના અવસરમાં, પર્યાય–વ્રતકાળ, અથવા વય=અવસ્થાવિશેષ ઉંમરવિશેષ પ્રમાણ નથી=આદરણીય નથી=વંદન માટે માન્ય નથી; કેમ કે તે બંનેનું=વય અને પર્યાયનું, કાર્યઅક્ષમપણું હોવાથી અર્થાત્ વય અને પર્યાય નિર્જરાવિશેષરૂપ કાર્ય કરવામાં અસમર્થ હોવાથી, વંદન માટે પ્રમાણરૂપ નથી, એમ અન્વય છે; જે કારણથી પર્યાયથી કે વયથી મોટા પણ, વિશિષ્ટ ઉપયોગથી વિકલ એવા સાધુ=સમિતિગુપ્તિના વિશિષ્ટ ઉપયોગથી વિકલ એવા સાધુ, પરમપદના=મોક્ષના, કારણભૂત એવી નિર્જરાવિશેષને પ્રાપ્ત કરતા નથી. ‘કૃતિ’ શબ્દ નિશ્ચયનયની માન્યતાની સમાપ્તિમાં છે.
ઉપસંપદા સામાચારી ગાથા : ૮૯
વ્યવહારને=વ્યવહારનયને, પર્યાય અથવા વય પ્રમાણ છે=વંદન માટે આદરણીય છે. વ્યવહારનયને પર્યાય કે વય વંદન માટે પ્રમાણ કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – જોકે વંદનને ઔપયિક વંદ્યગત ગુણવિશેષ છે, તોપણ આલય-વિહારાદિની વિશુદ્ધિથી યુક્ત એવા સંયમના પર્યાયવિશેષનું જ તેના= ગુણવિશેષના, પ્રતિસંધાનનું ઉપાયપણું હોવાથી પર્યાય જ પ્રધાન છે= વંદનવ્યવહારમાં પર્યાય જ પ્રમાણ છે; કેમ કે ગુણવિશેષનું ‘મેળ મે ....’ ઇત્યાદિ ન્યાયથી ગૌણપણું છે. વ્યવહારનયથી વંદન માટે પર્યાય પ્રમાણ છે, તેમાં ‘ઉર્જા 7’ થી સાક્ષી આપે છે ઃ અને કહેવાયું છે
-
પંચવસ્તુ ગાથા-૧૦૧૫ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે .
“નિશ્ચયથી કયો શ્રમણ કયા ભાવમાં વર્તે છે તે દુર્રેય છે. વળી વ્યવહારથી ચારિત્રમાં જે પૂર્વસ્થિત છે=આદિમાં પ્રવ્રુજિત છે, તે કરાય છે=વંદન કરાય છે.”
‘કૃતિ’ વ્યવહારનયના કથનની સમાપ્તિમાં છે.
* ‘ધોડપિ’ અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, પર્યાયથી કે વયથી અધિક ન હોય એવો વિશિષ્ટ ઉપયોગવિકલ સાધુ તો નિર્જરા ન કરે, પણ અધિક હોય તોપણ=ઉપયોગવિકલ સાધુ નિર્જરાવિશેષ ન કરે. * ‘બાળવિહારવિ’ અહીં ‘વિ’ થી સમિતિ, ગુપ્તિ, દશવિધ શ્રમણધર્મનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
નિશ્ચયનય વંદનને માટે ઉપયોગી ચારિત્રગુણને સ્વીકારે છે અને તે રૂપ ભાવપ્રધાનને કહેનાર શબ્દાદિ નયો છે. તેથી ટીકામાં કહ્યું કે, ભાવપ્રધાનવાદી એવા શબ્દાદિ નયોરૂપ નિશ્ચયનય વડે વંદનને માટે જ્યેષ્ઠ કોણ છે તેની વિચારણામાં સંયમનો પર્યાય કે ઉંમરવિશેષરૂપ વય પ્રમાણ નથી અર્થાત્ આ ઉંમરથી મોટો છે કે આ સંયમપર્યાયથી મોટો છે માટે વંદનીય છે, તેવો નિયમ નથી; કેમ કે વ્રતપર્યાય કે અવસ્થાવિશેષ નિર્જરારૂપ કાર્ય કરવા માટે સમર્થ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org