SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૪૭-૪૮ ૨પપ આશય એ છે કે, વસ્ત્ર ધોવાની ક્રિયા જો વિધિપૂર્વક ન થાય તો તે કર્મબંધનું કારણ બને અને જો શિષ્ય તે ક્રિયા વિધિપૂર્વક કરે તો તેના સંયમની વૃદ્ધિનું કારણ બને; કેમ કે “મારે ભગવાને કહેલી વિધિપૂર્વક વસ્ત્ર ધોવાનાં છે” એવો અધ્યવસાય જ, વસ્ત્ર ધોવાની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને તેનાં પ્રતિબંધક એવાં કર્મોનો નાશ કરે છે, જેથી તે વસ્ત્ર ધોવાની ક્રિયા શિષ્ય માટે નિર્વિઘ્નપણે નિર્જરાનું કારણ બને છે. આવા પ્રકારના શુભ અધ્યવસાયથી જ્યારે શિષ્ય વસ્ત્ર ધોવાની ક્રિયા કરતો હોય ત્યારે, વસ્ત્ર ધોવાના ક્રિયાકાળ દરમ્યાન વચ્ચે વચ્ચે ચિત્ત અનુપયુક્ત રહે કે અન્યત્ર ગમન કરે તેવા પ્રકારનાં આંતરાલિક વિપ્નનાં ઉત્પાદક કર્મો પણ શિષ્યને વિધ્વરૂપે ઉદયમાં આવતાં નથી. આશય એ છે કે, વિધિના શ્રવણથી ચિત્તમાં થયેલો વિધિ પ્રત્યેનો અહોભાવ ક્રિયાકાળમાં એવો સુદઢ યત્ન કરાવે છે કે, ક્રિયાના પ્રારંભથી સમાપ્તિ સુધી શિષ્ય વિધિપૂર્વકની તે વસ્ત્ર ધોવાની પ્રવૃત્તિ કરી શકે, જેથી વચમાં વચમાં ચિત્ત અન્યત્ર જવામાં કારણ બને તેવાં આંતરાલિક વિઘ્ન આવતાં નથી. અહીં વસ્ત્રધોવનમાં વિઘ્ન એ ધોવાની ક્રિયાને અધૂરી રાખે તેવું મુખ્યરૂપે અભીષ્ટ નથી, પણ ગૌણરૂપે અભીષ્ટ છે. મુખ્યરૂપે તો ભગવાનની આજ્ઞાનુસારી વસ્ત્રોવનની ક્રિયામાં આજ્ઞાપાલન વિષયક સ્કૂલનાદિને નિષ્પન્ન કરે એવાં વિઘ્નોને ગ્રહણ કરવાનાં છે, જેના ક્ષયથી આજ્ઞાનુસારી ક્રિયાઓ ઉત્તરોત્તર જ્ઞાન-દર્શનાદિરૂપ સાધ્યની વૃદ્ધિનું કારણ બને. ટીકામાં કહ્યું કે, વિધિબોધ થયે છતે વિધિના દેખાડનારા ભગવાનમાં તીવ્ર શ્રદ્ધા થાય છે. એનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ મુનિ પહેલાં પણ ભગવાનના વચનમાં અત્યંત રુચિવાળા હોય છે, પરંતુ ભગવાનના વચનમાં જે રીતે સૂક્ષ્મ યુક્તિપૂર્વકનો અને ઉચિત વિવેકવાળો જીવોની અનુપઘાતકતાનો નિર્દેશ છે, તેવો બોધ શિષ્યને વિધિજ્ઞાન પૂર્વે ન હતો. તેથી ઓઘથી ભગવાનના વચનમાં રુચિ હોવા છતાં વિધિબોધ થયે છતે ભગવાનના વચનની જે વિશેષતા છે, તેનું જ્ઞાન થવાથી, પૂર્વમાં જે રુચિ હતી, તે અત્યંત ઉલ્લસિત થાય છે. તેથી ભગવાનના વચનમાં તીવ્ર શ્રદ્ધા થાય છે, તેમ કહેલ છે. સર્વ જીવોને અનુપઘાતક એવું ભગવાનનું વચન છે,’ એ પ્રકારે વિધિ દેખાડનારા ભગવાનના વચનમાં તીવ્રશ્રદ્ધાલક્ષણ શુભભાવથી વિજ્ઞક્ષય થાય છે, તે પ્રકારના કથનમાં શુભભાવનો અર્થ કર્યો કે, પ્રશસ્ત દ્રવ્યલેશ્યાથી ઉપરંજિત એવા ચિત્તથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયથી વિનક્ષય થાય છે. તેનો આશય એ છે કે, જ્યારે ગુરુ શિષ્યને વિધિનો બોધ કરાવે છે, ત્યારે ગુરુના વચન પ્રમાણે વિધિના સ્વરૂપનું શિષ્ય મનથી પર્યાલોચન કરે છે, તે માનસિક પ્રયત્ન પ્રશસ્ત દ્રવ્યલેશ્યારૂપ છે; કેમ કે માનસ ચિતવનમાં ભગવાનના વચનમાં તીવ્ર શ્રદ્ધારૂપ પ્રશસ્ત ભાવ વર્તે છે અને તેવી પ્રશસ્ત દ્રવ્યલેશ્યાથી રંજિત થયેલો એવો તેનો માનસ ઉપયોગ છે. આ માનસ ઉપયોગ શુભ અધ્યવસાયરૂપ છે અને તેનાથી ઈચ્છિત કાર્યમાં પ્રતિબંધક એવાં વિપ્નોનો ક્ષય થાય છે. અહીં પ્રશ્ન થાય કે, સામાન્ય રીતે વિધિને સાંભળ્યા પછી ધર્મી જીવોને પણ ભગવાનના વચન પ્રત્યે રુચિ ઉલ્લસિત થાય છે, તેમ છતાં વિધિપૂર્વકની પ્રવૃત્તિ બહુલતાએ થતી દેખાતી નથી; કેમ કે બાહ્ય રીતે ક્રિયાઓમાં પ્રવૃત્તિ છતાં અંતરાય કરનારા કાઠિયાઓ અંતરવૃત્તિથી પરિણામને પેદા કરવામાં વિઘ્નભૂત બને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy